જલ્સા કરોને જેંતીલાલ

જાનને બદલે જનાજો નીકળ્યો, એક તરફ વરરાજા જાનની તૈયારીમાં વ્યસ્ત હતા, જ્યાં બીજી તરફ કન્યાની અર્થી ઉઠી ગઈ

રવિવારે ઉત્તર પ્રદેશના કુશીનગરના ખડ્ડા વિસ્તારમાં વરરાજો જાન લઈ જવાની તૈયારીઓ કરી રહ્યો હતો અને બીજી તરફ નેબુઆ નૌરંગીયા વિસ્તારમાં દુલ્હનની અર્થી ઉઠી ગઈ. લગ્નના દિવસે જ દુલ્હનના મોતના સમાચાર સાંભળીને વરરાજો બેભાન થઈ ગયો ગયો. જે ઘરમાં લગ્નને લઇને ઉત્સવનું વાતાવરણ હતું ત્યાં શોકમાં માહોલ છવાઈ ગયો હતો.

image soucre

ખડ્ડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધનૌજી અબડકરી ગામના ઉદયભાનના મોટા પુત્ર ઓમપ્રકાશ કુશવાહાના લગ્ન 29 નવેમ્બરને રવિવારના રોજ નેબુઆ નૌરંગીયા પોલીસ સ્ટેશન વિસ્તારના કથનીયા ખુચા ટોલામાં રહેતા શ્રીનારાયણની પુત્રી માયા સાથે થવાના હતા. 26 તારીખે ધામધૂમથી માયાના પરિવારના સભ્યોએ ઓમપ્રકાશનું તિલક પણ ચઢાવ્યું હતું. તે જ દિવસે કન્યા તેના માયા તેના ભાઈ સાથે લગ્નની કેટલાક સામગ્રી ખરીદવા માટે ચાચિયાર માર્કેટમાં જઇ રહી હતી અને બ્રેકર પાર કરતી વખતે માયા બાઇક પરથી પડી હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી. સારવાર પછી, તે સ્વસ્થ થઈ અને ઘરે આવી, પરંતુ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું. શનિવારે રાત્રે છોકરા અને છોકરીની પીઠીની વિધિ પણ પૂર્ણ થઈ હતી, ત્યારબાદ શોભાયાત્રામાં જોડાયેલા મહેમાનો જમ્યા પછી સૂઈ ગયા હતા.

image source

રવિવારની સવારે અચાનક 4 વાગ્યે દુલ્હન માયાની તબિયત લથડતાં તે થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામી. વરરાજા ઓમપ્રકાશ સાંજે અહીં જાન લઈને આવવની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ પર દુલ્હનના મોતની જાણ થતાં જ તે બેભાન થઈ ગયો હતો. બંને ઘરોમાં હાહાકાર મચી ગયો હતો. વરરાજાના પરિવારજનોએ વહુને વિદાય આપવાને બદલે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા ઘરની બહાર નીકળ્યા હતા.

હાલમાં આ લગ્નમાં પણ કન્યા આવી હતી ચર્ચામાં

image source

હાલમાં કોરોનાએ વિશ્વભરને બાનમાં તો લીધુ જ લીધુ છે, પરંતુ કોરોનાનાં કારણે અનેક વખત એવુ પણ જોવામાં આવ્યું છે કે આ કામ પૂર્વે અસંભવ લાગતું કે કોઇ ન કરતા તે પણ લોકોને કરવા પડ્યાં છે. આવો જ એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. વલસાડ લગ્નના દિવસે જ કન્યાને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો છે. આજે એટલે કે શનિવારે જ યુવતીના લગ્ન યોજાયા હતા. યુવતી 10 તારીખે ખરીદી માટે મુંબઈ ગઇ હતી. સાઈલીલા મોલ મેરેજ હોલમાં આજે લગ્ન હતા. યુવતીની મુંબઇ મુલાકાત અને લગ્ન પ્રસંગનાં મેળાવડાની તંત્રને જાણ થતા. આરોગ્ય વિભાગ ની ટીમ લગ્ન સ્થળ પર પહોંચી હતી.

image source

ટીમ દ્વારા વર – વધુ સહિત મહારાષ્ટ્ર થી આવેલ જાનૈયાઓના કોરોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. તમામ ટેસ્ટ બાદ માલુમ થયુ કે, માત્ર કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાકીના તમામનાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કન્યાને તેના પિતાના ઘરેજ હોમ ક્વોરેનટીન કરી દોવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version