તમે પણ એકવાર લો ઇન્ડોનેશિયાના આ પાંચ ટેમ્પલની મુલાકાત અને અનુભવ કરો એક અલગ જ શાંતિનો…

મિત્રો, ઈશ્વરે આ સમગ્ર વિશ્વની ધરા પર કોઈ ને કોઈ રીતે એક અદ્ભુત પ્રકૃતિનુ સર્જન કર્યુ છે કે, જેને આજનો માનવી ના તો સમજી શક્યો છે કે , ના તો તેના વાસ્તવિક મર્મ સુધી પહોંચી શક્યો છે. આ નિર્દોષ અને નિર્મળ પ્રકૃતિને જોઇને માનવી તેમા ખોવાઈ જાય છે, તેની સુધ્ધા જ ચાલી જાય છે. આજે અમે તમને આવી જ અમુક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા હોશ ઉડાડી દેશે તો ચાલો જાણીએ.

image soucre

ઇન્ડોનેશિયા એ તેની સુંદરતાને કારણે મોટાભાગના લોકોનું મનપસંદ પર્યટન સ્થળ માનવામાં આવે છે. અહીં, લગભગ વસ્તી મુસ્લિમ છે, પરંતુ હજી પણ હિન્દુ સંસ્કૃતિની નિશાની છે. હિન્દુઓના ઘણા પ્રખ્યાત મંદિરો પણ છે. અહી જાવા ટાપુ પર એક મંદિર આવેલું છે જ્યાં ઘણા વર્ષો જૂનું શિવલિંગ છે.

અમુક માહિતી અનુસાર, આ શિવલિંગ એ રાઇનસ્ટોનથી બનાવવામા આવ્યું છે, જેની અંદર સ્થાનિક લોકો અમૃત છુપાયેલુ છે એવુ માને છે. જોકે વૈજ્ઞાનિકો તેની પુષ્ટિ કરતા નથી. તો ચાલો આજે આપણે ઇન્ડોનેશિયાના અન્ય પ્રખ્યાત અને સુંદર હિન્દુ મંદિરો વિશે પણ માહિતી મેળવીએ.

તનાહ લોટ મંદિર, બાલી :

image soucre

આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. બાલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નથી. એવુ માનવામાં આવે છે કે આ મંદિર ૧૬ મી સદીની આસપાસ બનાવવામાં આવ્યું હતું. તેની સુંદરતાને કારણે આ મંદિર ઇન્ડોનેશિયાના મોટા મનોહર સ્થળોની યાદીમાં આવે છે.

પુરા બેસ્કીહ મંદિર :

image soucre

આ મંદિરને યુનેસ્કોએ ૧૯૯૫મા વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. આ મંદિર ખૂબ જૂનું છે જ્યાં હિન્દુ દેવતાઓની ઘણી મૂર્તિઓ છે. આ સુંદર મંદિરને જોવા માટે દુનિયાથી લોકો અહીં આવે છે.

image source

આ મંદિર જ્ઞાનની દેવી સરસ્વતીને સમર્પિત છે. આ મંદિરમાં બનાવવામાં આવેલા સુંદર કુંડ આકર્ષણનું મુખ્ય આકર્ષણ છે. આ મંદિરમાં દરરોજ જલસાનું આયોજન કરવામાં આવે છે. અહીં પણ દેવી સરસ્વતીને સંગીત અને જ્ઞાનની દેવી તરીકે પૂજી છે.

સિંઘસારી શિવ મંદિર :

image soucre

એવુ માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ૧૩ મી સદીની નજીક કરવામાં આવી હતી. અહીં ભગવાન શિવનું લૌકિક સ્વરૂપ જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન શિવના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.

પ્રમ્બાન્ન મંદિર :

image soucre

આ મંદિર ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માજીને સમર્પિત છે. યુનેસ્કો દ્વારા આ મંદિરને વિશ્વ ધરોહર પણ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ