મિત્રો, પ્રવર્તમાન સમય આધુનિક બની ચુક્યો છે અને આ આધુનિકતાની સાથે ઘણી બધી વસ્તુઓમા બદલાવ આવે છે. આજના આ બદલાતા યુગમા લોકો ભારતીય શૌચાલય પ્રણાલી કરતા પશ્ચિમી શૌચાલય પ્રણાલીને વધારે પડતી પસંદ કરે છે. જે લોકોને પગમા અથવા તો ઘૂંટણ પર બેસવામા કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો તેના માટે પશ્ચિમી સંસ્કૃતિવાળુ શૌચાલય ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
શું તમને ખ્યાલ છે કે, નાની ઉંમરે આ પશ્ચિમી શૌચાલયનો ઉપયોગ કરવો શરીર માટે સારુ નથી. જ્યારે યુવાન લોકો નાની ઉંમરે આ શૌચાલયનો ઉપયોગ કરે છે, ત્યારે તેમને ઘૂંટણ અને સાંધાને લગતી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજના આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, શા માટે પશ્ચિમી શૌચાલય કરતા ભારતીય શૌચાલય સારા છે?
ભારતીય શૌચાલય પર શૌચ કરવાથી આપણી પાચક શક્તિ મજબૂત બને છે. અહી તમારા પેટ પર એક દબાણ બને છે, જેના કારણે તમારુ પેટ સારી રીતે સાફ થઈ જાય અને બીજી તરફ જ્યારે કોઈ વ્યક્તિ પશ્ચિમી શૌચાલયનો ઉપયોગ કરો તો વ્યક્તિના પેટ પર કોઈ દબાણ નથી થતુ અને તેના કારણે પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ પણ થતી નથી અને પરિણામે કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જે લોકો પશ્ચિમી સીસ્ટમવાળા શૌચાલયનો ઉપયોગ કરે છે તે લોકો સાબુથી હાથ ધોવાની જગ્યાએ ટોઇલેટ પેપરનો ઉપયોગ કરે છે. આ કારણોસર તેમના હાથમા બેક્ટેરિયાનુ જોખમ પણ વધી જાય છે. બીજી તરફ જે લોકો ભારતીય શૌચાલયનો ઉપયોગ કરે છે તે સાબુથી તેમના હાથને સારી રીતે ધોઈ નાખે છે, તેના કારણે હાથમા બેક્ટેરિયાનુ જોખમ ઘટી જાય છે.
ભારતીય શૌચાલયમા જતી વખતે તમારે ઉઠક-બેઠક કરવી પડે એટલે કે આ સમય દરમિયાન હાથ અને પગનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર તમારા પગના સ્નાયુઓ પણ મજબૂત બને છે. આ સિવાય જે લોકો વેસ્ટર્ન ટોઇલેટનો ઉપયોગ કરે છે તેઓ સાબુથી હાથ ધોવાની જગ્યાએ ટોઇલેટ પેપરનો ઉપયોગ કરે છે અને તેના કારણે તમારા હાથ પર બેક્ટેરિયાનુ જોખમ વધારે રહે છે અને તમારુ સ્વાસ્થ્ય કથળે છે તથા તમારા સ્વાસ્થ્યનુ જોખમ પણ વધે છે.
જે લોકો ભારતીય શૌચાલયનો ઉપયોગ કરે છે તે સાબુથી હાથ સારી રીતે ધોઈ નાખે છે, જે તેમના હાથને સ્વચ્છ બનાવે છે અને બીમારીઓના જોખમને પણ ઘટાડે છે. ભારતીય શૌચક્રિયાની પદ્ધતી મુજબ નિરંતર ઉઠવાથી અને બેસવાથી તમારા પગના સ્નાયુઓ પણ મજબૂત બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,