ઇન્ડિયન આઇડલના વળતા પાણી, વધુ એક દિગ્ગજ કલાકારે પોલ છતી કરી, કહ્યું: સ્પર્ધકોનાં વખાણ કરવા માટે…

ઇન્ડિયન આઇડલ શો હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. આ સાથે તેનાં વિવાદોના કારણે પણ તે ખૂબ ચર્ચામાં છે. જ્યારે શોના સ્પર્ધકો તેમના અવાજના જાદુથી જજ અને પ્રેક્ષકોનું દિલ જીતી રહ્યા છે તે જ સમયે શોના નિર્માતાઓ ટીઆરપી માટે કંઈક અલગ કરવા મથતા હોય છે જેમાં ક્યારેક કઈક આવું થાય છે કે તેઓ લોકોનાં ગુસ્સાના શિકાર બને છે. તાજેતરમાં કિશોર કુમારના એપિસોડ અંગે શરૂ થયેલો વિવાદ હજી પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા આ શોમાં કિશોર કુમારના એપિસોડમાં મહેમાન તરીકે આવેલા તેમના પુત્ર અમિત કુમારે કહ્યું કે તેમને આ એપિસોડ પસંદ ન આવ્યો.

image source

તેમનાં આ નિવેદન બાદ લોકો ઈન્ડિયન આઇડલથી ગુસ્સે થયા હતા. આ પછી શોના હોસ્ટ આદિત્ય નારાયણે આ બાબતે કહ્યું હતું કે જો તે એપિસોડ તેમને પસંદ ન આવી રહ્યો હતો તો તેણે ત્યાં ટોકવું જોઈતું હતું. આ પછી હવે સુનિધિ ચૌહાણે પણ ઇન્ડિયન આઇડલને લઈને ઘણાં ખુલાસા કર્યા છે. સુનિધિ ચૌહાણે પણ આ મામલે પોતાનો જવાબ આપ્યો છે. તેનું કહેવું છે કે તેમને શોના સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું. તે કહે છે દરેકના વખાણ કરવા નહીં પણ હા વખાણ કરવાનું કહ્યું. મેં તેવુ બધું કર્યું નથી તેથી મારે શોથી અલગ થવું પડ્યું હતું.

image source

મળતી માહિતી મુજબ આ આગાઉ સુનિધિ ચૌહાણને ઈન્ડિયન આઇડોલની 5 અને 6 સીઝનમાં જજ તરીકે જોવા મળી હતી. સુનિધિએ વધુમાં વાત કરતાં કહ્યું હતું કે અમે નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીએ સ્પર્ધકોને સુધારતા સાંભળ્યા નથી. આ સાથે તેણે કહ્યું કે આપણે અમિત કુમારના ઇન્ટરવ્યૂને ભૂલવું નહીં જોઈએ જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે દરેક સ્પર્ધકની પ્રશંસા કરવામાં આવે. સુનિધિ કહે છે મને લાગે છે કે તે લોકોનું ધ્યાન ખેંચવા માટે આવું કરવામાં આવ્યું છે. મને લાગે છે કે તેઓ પ્રેક્ષકોને બતાવવાં માટે આવુ કરી રહ્યાં છે. કદાચ તે કામ કરે છે. પરંતુ આમાં સ્પર્ધકોની જ ખોટ છે.

image source

આ રીતે સ્પર્ધકોને રાતોરાત પ્રશંસા અને માન્યતા મળે છે જે AV દ્વારા બહાર આવે છે અને સારી રીતે કરવાનો પ્રયાસ કરવા માટેની તેમની ભૂખ ઓછી થાય છે. આ સાથે ચર્ચા થઈ રહી છે કે કિશોર કુમારના ગીતોને ખરાબ રીતે પેશ કરવામાં આવ્યાં હતાં. શોમાં તાજેતરમાં કિશોર કુમાર વિશેષ એપિસોડમાં તેમનો પુત્ર અમિત કુમાર ગેસ્ટ બનીને શોનો ભાગ બન્યો હતો.

image source

એપિસોડ જોયા પછી ગાયકો નેહા કક્કર અને હિમેશ રેશમિયાને સોશિયલ મીડિયા પર યુઝરો દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે કિશોર કુમાર જેવા દિગ્ગજ ગાયકોના ગીતો ખરાબ રીતે બતાવવામાં આવ્યાં હતા. કિશોર કુમારના પુત્રએ પણ આ શો વિશે ખુલાસો કર્યો હતો કે તેમને ત્યાંના દરેકના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વાત બહાર આવતાની સાથે શો પર અનેક સવાલો થઈ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!