કોરોના કાળમાં આ રીતે વધારી દો તમારી ઇમ્યુનિટી, નહિં થાય શરદી-ઉધરસ

કોરોના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવું એ કોઈ પડકારથી ઓછું નથી. ખાસ કરીને શિયાળામાં અત્યંત નબળી હવાની ગુણવત્તાને કારણે શ્વસન રોગોનું જોખમ વધે છે, આ દિવસોમાં, શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી સંબંધિત કેસ વધુ જોવા મળે છે. નિષ્ણાતોના મતે શિયાળાના દિવસોમાં ખાસ કાળજી લેવી પડે છે. જો કોઈ વ્યક્તિ તેમની કાળજી પ્રત્યે બેદરકાર થાય તો સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. આ માટે, તમારે તમારા આહારમાં એવી વસ્તુઓ શામેલ કરવી જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગોને દૂર રાખે છે. જો તેવા ખોરાક વિશે તમે અજાણ છો તો ચાલો અમે તમને જણાવીએ કે આપણે શિયાળા દરમિયાન તંદુરસ્ત રહેવા માટે કઇ વસ્તુઓનું સેવન જરૂરી છે.

શુદ્ધ ઘીનું સેવન કરો

image source

લોકોમાં એવી માન્યતા છે કે ઘીના સેવનથી ચરબી વધે છે. ગાયના દૂધમાંથી બનાવેલા શુદ્ધ ઘીનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા અને ગરમી મળે છે. શિયાળા દરમિયાન તેનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો. ઉપરાંત, શુદ્ધ ઘહે તમારી ત્વચા અને વાળને પણ સ્વસ્થ બનાવવામાં તમારી મદદ કરે છે. શુદ્ધ ઘીમાં વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઇ, ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ હોય છે. આ માટે દરરોજ એક ચમચી શુદ્ધ ઘીનું સેવન કરો. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે.

ગોળ ખાઓ

image source

તમારા સ્વાસ્થ્ય માટે ગોળ તો દરેક ઋતુ દરમિયાન ફાયદાકારક છે જ પરંતુ શિયાળામાં ગોળ એ આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ગોળ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. સાથે ગોળનું સેવન કરવાથી લોહીની ધમનીઓ સરળતાથી કામ કરવાનું શરૂ કરે છે. તેમજ ગોળ ફેફસાંને સ્વસ્થ અને સાફ કરવામાં મદદ કરે છે. તેથી જ ડોકટરો ડાયાબિટીઝના દર્દીઓને ખાંડના બદલે ગોળ ખાવાની સલાહ આપે છે. તેનાથી તાવમાં પણ રાહત મળે છે. આ માટે ગોળ, આદુ અને અજમાનો રસ બનાવીને તેનું સેવન કરો.

મગફળી અને ગોળની ચીક્કી ખાઓ

image source

મગફળીને આયુર્વેદમાં એક દવા માનવામાં આવે છે. તેના ઉપયોગથી અનેક રોગોમાં રાહત મળે છે. તેથી ખાસ કરીને ડાયાબિટીઝ અને વધતા વજન માટે માફગલી એક દવા તરીકે કામ કરે છે. તેમજ શિયાળાના દિવસોમાં મગફળી અને ગોળનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ માટે મગફળી અને ગોળના મિક્ષણથી ચીક્કી બનાવો. તેમાં ઝીંક, આયરન, મેગ્નેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો જોવા મળે છે. પરંતુ બજારમાં મળતી ચિક્કીનું સેવન કરવાનું ટાળો અને તમારા ઘરે જ ચીક્કી બનાવો.

પંજરી

પંજરીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. તે શરદી અને ઉધરસમાં પણ રાહત આપે છે. પંજરી શરીરમાં ગરમીનો સંચાર કરવામાં મદદ કરે છે અને શિયાળામાં તમને સ્વસ્થ રાખે છે. જો તમે ઈચ્છો તો તમે સત્તુ અને ઘીથી બનેલા લાડુ પણ ખાઈ શકો છો.

મસાલા ચાનું સેવન કરો

image source

શિયાળાના દિવસોમાં દરેકની પેહલી પસંદ મસાલા ચા હોય છે. મસાલા ચાના સેવનથી શરદી અને ઉધરસનું જોખમ ઓછું થાય છે. ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે, મસાલા ચાનું સેવન કરો. આ માટે એક કપ પાણીમાં અજમો, વરિયાળી, જીરું નાંખીને ઉકાળો. હવે તેમાં મધ નાખો અને પી લો. જો તમે ઇચ્છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તુલસીની ચા પણ પી શકો છો.

સફરજન

image source

એક સફરજન તમને ડોક્ટરથી દૂર રાખે છે. સફરજન ખાવાથી તમે ઘણા રોગોથી બચી શકો છો. સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સફરજન ફાઇબરમાં ભરપૂર હોય છે, તે પાચન શક્તિને મજબૂત બનાવે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

દાડમ

image source

દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તે મેટાબિલિઝમને પણ સુધારે છે. દાડમ ખાવાથી લાલ લોહીના કોષો વધે છે એટલે કે લાલ રક્ત શેલ, જે શરીરમાં આયરન પૂરું પડે છે અને શરીરના તમામ અવયવોની કામગીરીને સુનિશ્ચિત કરે છે.

લીંબુ

image source

દરરોજ તમારા આહારમાં એક લીંબુનો સમાવેશ કરો. લીંબુ વિટામિન સીનો શ્રેષ્ઠ સ્રોત છે. લીંબુ તમને દરેક ઋતુમાં સરળતાથી મળી શકે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સહાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત