જો તમારામાં હુન્નર અને કાબેલિયત ધરાવતા હશો તો દુનિયાની કોઈપણ તાકાત તમને કામિયાબ થવાથી નહીં રોકી શકે. આજે એક એવી વ્યક્તિ વિશે જણાવીશું કે જેણે અશક્ય કામને પણ શક્ય કરી બતાવ્યું છે. તે વ્યક્તિનો જન્મ તમિલનાડુના એક પરિવારમાં થયો. તેમનું નામ કે જયાગનેશ. તેમણે ૭મા પ્રયત્નમાં UPSCની પરીક્ષા પાસ કરી અને IAS ઓફિસર બન્યા. હવે એમના વિશે વિસ્તારથી જાણીશું…
કે જયાગનેશ એક ગરીબ પરિવારમાંથી આવે છે, એવામાં તેઓ તેમના પરિવારની ગરીબી હટાવવા ઇચ્છતા હતા અને IAS ઓફિસર બનવા માટે UPSC ની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. સતત મેહનત કરવાના કારણે સફળતા મળી છે આ વાત જયાગનેશે સાબિત કરી દીધું છે. ૧ કે ૨ વાર નહિ પણ ૬ વખત UPSC ની પરીક્ષામાં નાપાસ થયા પછી પણ તેમણે ૭મી વખત પરીક્ષા આપી અને સફળતા મેળવી અને ૧૫૬મો રેન્ક પ્રાપ્ત કરી શક્યા છે…
આજે જાણીશું જયાગનેશની IAS સુધીની સફર વિશે…
એન્જીનીયરીંગની ડિગ્રી મળ્યા પછી તેમણે રૂપિયા ૨૫૦૦માં એક નોકરી મળી ગઈ, પરંતુ જલ્દી જ તેમને ખ્યાલ આવી ગયો કે શિક્ષા તેમના ગામના બાળકો માટે ખૂબ જરૂરી છે કેમકે તેઓના ગામના પછાતપણું અને બાળકોના શાળાએ ન જવાના કારણે દુઃખી થાય છે. તેમણે જણાવ્યું કે તેમના ગામમાં બાળકો ૧૦મા સુધી જ ભણી શકે છે અને ઘણા બાળકો તો સ્કૂલ જોઈ પણ નથી શકતા. જયાગનેશ જણાવે છે કે તેમના ગામના મિત્રો રીક્ષા ચલાવે છે અથવા તો શહેરની કોઈ ફેકટરીમાં મજૂરી કામ કરે છે. એમના મિત્રોમાં એ એક જ એવા છે જે અહીંયા સુધી પહોંચીયા છે.
ગામને બદલવાનો વિચાર આવ્યો:
ત્યારબાદ તેમણે ચેન્નઈમાં સરકારી કોચિંગ વિશે જાણકારી મળી જ્યાં IASની કોચિંગની તૈયારી કરવાઈ છે. તૈયારી કરવા માટે ચેન્નઈ જતા રહ્યા. ત્યાં એક સત્યમ સિનેમા હોલમાં બીલિંગ ઓપરેટર તરીકે કામ મળી ગયું. ત્યારબાદ તેમને ઈન્ટરવલના સમયમાં વેઇટરનું કામ પણ કરવું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે મને મારું એક જ લક્ષ હતું કોઈપણ ભોગે IAS ઓફિસર બનવા ઇચ્છતા હતા.
જયાગનેશે ખૂબ મહેનતથી તૈયારી કરી હતી, તેમ છતાં પાંચમી વાર પણ સફળતા ના મળી. આગળ ભણવાનું ચાલુ રાખવા માટે પૈસાની તંગી ખૂબ વરતાઈ રહી હતી. હવે એમણે UPSC ની તૈયારી કરાવતા એક કોચિંગમાં સોશિયોલોજી ભણાવવાનું શરૂ કરી દીધું.તેમણે ૬ઠા પ્રયાસમાં પ્રારંભિક પરીક્ષા પાસ કરી લીધી પરંતુ ઇટરવ્યૂ પાસ કરવાનું ચૂકી ગયા હતા.
ત્યારબાદ જયાગનેશને લાગ્યું કે જાણે એક મોટું યુદ્ધ જીતી લીધું. આપને જણાવી દઈએ કે, જયાગનેશ પાસે ઇટેલીજન્સ બ્યુરોમાં ઓફિસરની નોકરીની પણ ઓફર હતી. પરંતુ તેમની જીદ IAS ઓફિસર બનવાની હતી અને તેઓ બની ગયા.