ક્યારેક વેઇટરનું કામ કરતા હતા આ વ્યક્તિ, ૭મી વખત પ્રયત્ન કરીને UPSC ની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા છે…

જો તમારામાં હુન્નર અને કાબેલિયત ધરાવતા હશો તો દુનિયાની કોઈપણ તાકાત તમને કામિયાબ થવાથી નહીં રોકી શકે. આજે એક એવી વ્યક્તિ વિશે જણાવીશું કે જેણે અશક્ય કામને પણ શક્ય કરી બતાવ્યું છે. તે વ્યક્તિનો જન્મ તમિલનાડુના એક પરિવારમાં થયો. તેમનું નામ કે જયાગનેશ. તેમણે ૭મા પ્રયત્નમાં UPSCની પરીક્ષા પાસ કરી અને IAS ઓફિસર બન્યા. હવે એમના વિશે વિસ્તારથી જાણીશું…

કે જયાગનેશ એક ગરીબ પરિવારમાંથી આવે છે, એવામાં તેઓ તેમના પરિવારની ગરીબી હટાવવા ઇચ્છતા હતા અને IAS ઓફિસર બનવા માટે UPSC ની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. સતત મેહનત કરવાના કારણે સફળતા મળી છે આ વાત જયાગનેશે સાબિત કરી દીધું છે. ૧ કે ૨ વાર નહિ પણ ૬ વખત UPSC ની પરીક્ષામાં નાપાસ થયા પછી પણ તેમણે ૭મી વખત પરીક્ષા આપી અને સફળતા મેળવી અને ૧૫૬મો રેન્ક પ્રાપ્ત કરી શક્યા છે…

આજે જાણીશું જયાગનેશની IAS સુધીની સફર વિશે…
જયાગનેશના પિતા ગરીબ હતા. તેઓ લેધર ફેકટરીમાં સુપરવાઇઝરનું કામ કરતા હતા. જેનાથી તેઓનો પગાર રૂ.૪૫૦૦ સુધી કમાઈ શકતા હતા. પરિવારમાં હંમેશાં પૈસાની તાણ રહેતી હતી. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા જયાગનેશ છે. આવામાં મોટાભાઈ હોવાના કારણે ઘરખર્ચની જવાબદારી તેમની ઉપર પણ હતી. જયાગનેશ ભણવામાં શરૂઆતથી જ હોશિયાર હતા. ૧૨મા તેઓ ૯૧% ટકા સાથે પાસ થયા હતા. ત્યારબાદ તેમણે મિકેનિકલ એન્જીનીયરીંગનું ભણતર શરૂ કર્યું.

એન્જીનીયરીંગની ડિગ્રી મળ્યા પછી તેમણે રૂપિયા ૨૫૦૦માં એક નોકરી મળી ગઈ, પરંતુ જલ્દી જ તેમને ખ્યાલ આવી ગયો કે શિક્ષા તેમના ગામના બાળકો માટે ખૂબ જરૂરી છે કેમકે તેઓના ગામના પછાતપણું અને બાળકોના શાળાએ ન જવાના કારણે દુઃખી થાય છે. તેમણે જણાવ્યું કે તેમના ગામમાં બાળકો ૧૦મા સુધી જ ભણી શકે છે અને ઘણા બાળકો તો સ્કૂલ જોઈ પણ નથી શકતા. જયાગનેશ જણાવે છે કે તેમના ગામના મિત્રો રીક્ષા ચલાવે છે અથવા તો શહેરની કોઈ ફેકટરીમાં મજૂરી કામ કરે છે. એમના મિત્રોમાં એ એક જ એવા છે જે અહીંયા સુધી પહોંચીયા છે.

ગામને બદલવાનો વિચાર આવ્યો:
આ દરમિયાન તેમને ખબર પડી કે ગામમાં બદલાવ લાવી શકાય છે જો એ કલેકટર બની જાય. એટલે એમણે પોતાની નોકરી છોડી દેવી જોઈએ તેમાજ સમજદારી લાગી અને સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી. જલ્દી કોઈનું માર્ગદર્શન ન મળવાના કારણે આ રસ્તો કઠિન લાગ્યો. તેઓને પેહલાં બે પ્રયાસમાં તો પ્રારંભિક પરીક્ષામાં પણ પાસ થયા નહિ. ત્યારબાદ તેમણે મિકેનિકલ એન્જીનીયરીંગને બદલે સોશિયોલોજીને પસંદ કર્યું. તેનો પણ કોઈ ફાયદો થયો નહિ અને ત્રીજી વખત પણ નાપાસ થયા.

ત્યારબાદ તેમણે ચેન્નઈમાં સરકારી કોચિંગ વિશે જાણકારી મળી જ્યાં IASની કોચિંગની તૈયારી કરવાઈ છે. તૈયારી કરવા માટે ચેન્નઈ જતા રહ્યા. ત્યાં એક સત્યમ સિનેમા હોલમાં બીલિંગ ઓપરેટર તરીકે કામ મળી ગયું. ત્યારબાદ તેમને ઈન્ટરવલના સમયમાં વેઇટરનું કામ પણ કરવું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે મને મારું એક જ લક્ષ હતું કોઈપણ ભોગે IAS ઓફિસર બનવા ઇચ્છતા હતા.

જયાગનેશે ખૂબ મહેનતથી તૈયારી કરી હતી, તેમ છતાં પાંચમી વાર પણ સફળતા ના મળી. આગળ ભણવાનું ચાલુ રાખવા માટે પૈસાની તંગી ખૂબ વરતાઈ રહી હતી. હવે એમણે UPSC ની તૈયારી કરાવતા એક કોચિંગમાં સોશિયોલોજી ભણાવવાનું શરૂ કરી દીધું.તેમણે ૬ઠા પ્રયાસમાં પ્રારંભિક પરીક્ષા પાસ કરી લીધી પરંતુ ઇટરવ્યૂ પાસ કરવાનું ચૂકી ગયા હતા.
૬ઠા પ્રયાસમાં અસફળ થવા છતાં તેમણે પોતાના પ્રયત્ન ચાલુ રાખ્યા. ત્યારપછી તેમણે ૭મી વાર UPSC ની પરીક્ષાની તૈયારીમાં ફરીથી લાગી ગયા. ૭મી વારમાં તેમણે પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ પણ પાસ કરી લીધું. જયાગનેશને ૭મી વારના પ્રયત્નમાં સફળતા મળી અને ૧૫૬મો રેંક મેળવ્યો.

ત્યારબાદ જયાગનેશને લાગ્યું કે જાણે એક મોટું યુદ્ધ જીતી લીધું. આપને જણાવી દઈએ કે, જયાગનેશ પાસે ઇટેલીજન્સ બ્યુરોમાં ઓફિસરની નોકરીની પણ ઓફર હતી. પરંતુ તેમની જીદ IAS ઓફિસર બનવાની હતી અને તેઓ બની ગયા.