આપણા શરીરમાં કિડની ખૂબ મહત્વનું અંગ છે.
કિડનીનું કામ શરીરમાં પાણીનું સ્તર અને અન્ય તરલ પદાર્થો, કેમિકલ અને મિનરલ્સનું સ્તર જાળવી રાખવાનું છે. તેમજ નુકસાનકારક ટોક્સિનને શરીરની બહાર ફેકવાનું છે.
આપણે જે પણ ખાઈએ છીએ તેનાથી જ આપણા શરીરને તાકાત મળે છે. ખાવાના જરૂરી તત્વોને શરીરના લોહી સુધી પહોંચાડવાનું કામ કિડની કરે છે. ઘણીવાર ખોટા ખાનપાનથી કિડનીને નુકસાન પહોંચે છે અને કિડની સાથે જોડાયેલી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.
કિડની સ્ટોન એટલે કે મૂત્રપિંડમાં પથરી પણ આ બધી તકલીફોમાંથી એક તકલીફ છે. કેટલીકવાર આ સ્ટોનને કાઢવા માટે ઓપરેશન પણ કરાવવું પડે છે. જો કે કેટલાક ઘરેલુ ઉપાયો છે જેનાથી કિડની સ્ટોનમાં રાહત મળી શકે છે.
આવો જાણીએ તે ઉપાયો વિશે વિસ્તારથી….
-વધુમાં વધુ પાણી પીવું:
આપને એ વાતની ખબર હશે જ કે આપણા શરીરમાં ૭૦% પાણી છે. આપ સમજી જ શકો છો કે પાણીની ઉણપથી શરીરને કેટલાક પ્રકારના નુકસાન પહોંચી શકે છે. કોઈપણ સામાન્ય વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૭-૮ ગ્લાસ પાણી પીવું જોઈએ.
આપ જેટલું પાણી પીશો એટલા જ વધારે યુરિન દ્વારા શરીરના ટોક્સિન વધારે બહાર જશે. જો આપને કિડની સ્ટોન છે તો આપે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. જેનાથી સ્ટોનને બહાર નીકળવામાં મદદ મળે છે.
ઓલિવ ઓઈલ અને લીંબુનો રસ:
જો આપને કિડનીમાં સ્ટોન છે અને આપ ઈચ્છો કે તે સ્ટોન કોઈપણ ઓપરેશન વગર બહાર નીકળી જાય તો આપે ઓલિવ ઓઇલ અને લીંબુના રસનો ઉપાય કરવો જોઈએ. આપને સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ આ એક કારગત ઉપાય નીવડે છે.
લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ભેળવીને રોજ પીવાથી સ્ટોનની સમસ્યા ખતમ થઈ શકે છે. લીંબુનો રસ સ્ટોનને તોડવામાં મદદ કરે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.
સ્ફરજનનું વિનેગર:
સફરજનના વીનેગરમાં સૈટ્રિક એસિડ હોય છે જે કિડની સ્ટોનને નાના નાના કણોમાં તોડવામાં મદદ કરે છે. સફરજનના વિનેગરના ઉપયોગથી કિડની સ્ટોનને મૂળમાંથી ખતમ કરી શકાય છે.
સ્ફરજનનું વિનેગર શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જો કે તેને લેતા સમય તેના પ્રમાણનું ધ્યાન રાખવું જોઈએ. આપે સફરજનના વીનેગરને ફક્ત બે નાની ચમચી ગરમ પાણી સાથે રોજ લઈ શકો છો.
દાડમનું સેવન:
એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર દાડમ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે જ દાડમનું જ્યુસ શરીરને પાણીની ઉણપથી બચાવવામાં મદદ કરે છે અને કુદરતી રીતે કિડની સ્ટોનમાં રાહત આપે છે.
આમળા:
આમળા પણ પથરીને કાઢવામાં મદદ કરે છે. એના માટે રોજ સવારે એક એક ચમચી આમળાનો પાવડર ખાવો. આમળા સિવાય પથરીના ઈલાજમાં જાંબુ પણ કારગત સાબિત થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ