1. ઇશ્વર તેમજ મનુષ્ય વચ્ચેની સાંકળ તરીકે ઇશ્વરના ઐશ્વર્યના ગુણગાન કરવા માટે પ્રાર્થના ઘર બનાવવામાં આવે છે. ધાર્મિક ઇમારતો બનાવવી અને તેમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે મનુષ્યએ પુરાણ કાળથી અલૌકિક જગ્યાઓનું નિર્માણ કર્યું છે.
2. એક મંદિર એક ઇમારત કરતાં ક્યાંય વિશિષ્ટ છે
3. મંદિરના દૈવિ પાસાઓ
4. ઉર્જા કેન્દ્રો
5. મંદિરનું બંધારણ
6. મંદિરે દર્શન કરવા જવા પાછળના વૈજ્ઞાનિક કારણો
ભારતમાં જુદાં જુદાં કદ, આકાર, સ્થળના હજારો મંદિર આવેલા છે, પણ તેમાંના બધા જ વૈદિક રીતે બનાવવામાં આવ્યા નથી. એવું કહેવામાં આવે છે કે પૌરાણિક સમયમાં મંદિરનું નિર્માણ એવી જગ્યાએ કરવામાં આવતું જ્યાં પૃથ્વિનું ચુંબકિય તરંગ તિવ્ર રીતે પસાર થતું હોય. જો કે આ ચુંબકિય તરંગને કેવી રીતે શોધવામાં આવતું હતું તેની કોઈ જાણકારી નથી. પણ આપણે જે રીતે આપણા પૌરાણિક સંતો વિષે તેમજ તેમના પરંમ જ્ઞાન વિષે સાંભળ્યું છે તે પરથી કહી શકાય કે તે માટે તેમણે કોઈક રસ્તો ચોક્કસ શોધી લીધો હશે.
7. મુખ્ય દેવતાનું સ્થાન
પૌરાણિક મંદિરો વ્યૂહાત્મક રીતે એવી જગ્યાએ બનાવવામાં આવતા હતા કે જ્યાં હકારાત્મક ઉર્જા ચુંબકિય તેમજ વિજ તરંગ યોગ્ય રીતે વિભાજીત થયેલા હોય અને સતત પ્રાપ્ય રહે. મુખ્ય મૂર્તિને મંદિરના ગર્ભગૃમાં રાખવામાં આવે છે. હકીકતમાં સમગ્ર મંદિરનું નિર્માણ મૂર્તિની સ્થાપના કર્યા બાદ કરવામાં આવતું હતું. માટે મુખ્ય દેવતાની મૂર્તિ જે જગ્યાએ પૃથ્વિનું ચુંબકિય ક્ષેત્ર વધારે સક્રિય હોય ત્યાં જ મુકવામાં આવતી.
8. મૂર્તિ નીચેની ધાતુની પ્લેટ
મોટા ભાગના મંદિરોમાં આપણે જોઈએ છીએ કે ભગવાનની મૂર્તિને એક તાંબાની પ્લેટ પર મુકવામાં આવી હોય છે. તે પાછળનું કારણ શું હોઈ શકે ? એવી પ્રબળ માન્યતા છે કે તાંબુ એ પૃથ્વિના ચુંબકિય તરંગોને શોષે છે અને તેને પોતાની આસપાસ પ્રસરાવે છે. માટે જે વ્યક્તિ મંદિરની નિયમિત મુલાકાત લેતું હોય અને મુર્તિની ઘડિયાળની દિશામાં પ્રદક્ષિણા કરતું હોય તેના પર ચુંબકિય તરંગો પ્રતિબિંબિત થાય છે. આ એક ખુબ જ ધીમી પ્રક્રિયા છે અને આમ કરવાથી એક નિયમિત મુલાકાતી ધીમેધીમે કરતાં હકારાત્મકતા અનુભવવા લાગે છે.
9. ભગવાનની ઓરડીની બનાવટ તમને તાણ મુક્ત રહેવામાં મદદ કરે છે
10. પવિત્ર સુવાસ
ફુલ તેમજ બળતા કપૂરમાંથી આવતી સુગંધ એક પ્રકારની રાસાયણિક ઉર્જા પેદા કરે છે જેના દ્વારા એક પવિત્ર સુવાસ ફેલાય છે. આ બધા જ પ્રકારની ઉર્જાઓને મૂર્તિ, તેની નીચેની તાંબાની પ્લેટ અને ભગવાનની પુજા કરતી વખતે વાપરવામાં આવતા સાધનોમાંથી ઉત્પન્ન થતી ઉર્જા એક અનોખી ઉર્જાનું નિર્માણ કરે છે. જ્યારે તમે સાંજની આરતી માટે મંદિરમાં જાઓ છો અને મંદિરના કપાટ ખુલે છે ત્યારે તેમાંની સમગ્ર હકારાત્મક ઉર્જા ત્યાં હાજર દરેક પર ફરી વળે છે.
11. પવિત્ર પાણી – ચરણામૃત
દહીં, મધ, દુધ, ખાંડ અને નારિયેળ પાણી કે જેના દ્વારા આપણે તાંબાની મૂર્તિ સાફ કરીએ છીએ તેમાંથી ચરણામૃત બને છે જે આપણા માટે આશિર્વાદરૂપ છે. આ ઉપરાંત, આ પવિત્ર પાણીમાં તુલસીના પાન અને કપૂર હોવાથી તે વિવિધ જાતના રોગો સામે રક્ષણ પણ આપે છે જેમ કે ઉધરસ, શરદી વિગેરે.
12. મંદિરના ઘંટનો જાદૂ
મંદિરના ઘંટ પાછળ એક અલગ જ વૈજ્ઞાનિક કારણ છે. તે કંઈ કોઈ સામાન્ય ધાતુનો બનેલો નથી હોતો. તે વિવિધ જાતની ધાતૂઓના મિશ્રણથી બનેલો હોય છે જેમાં કેડિમિયમ, શીશુ, તાંબુ, ઝિંક, નિકલ, ક્રોમિયમ અને મેન્ગેનિઝનો સમાવેશ થાય છે. તેમાં તે દરેકનું વપરાયેલું પ્રમાણ પણ નક્કી હોય છે અને તેની પાછળ પણ વિજ્ઞાન કારણરૂપ છે. આ દરેક ઘંટને એક ચોક્કસ અવાજ ઉત્પન્ન કરવા માટે બનાવવામાં આવ્યો હોય છે. તેનો ધ્વનિ તમારા ડાબા તેમજ જમણા મગજની એકરસતા નિર્માણ કરે છે.
13. તમે જ્યારે ઘંટ વગાડો છો ત્યારે શું થાય છે?
જે ક્ષણે તમે ઘંટ વગાડો છો તે જ ક્ષણે ઘંટ એક તીક્ષ્ણ તેમજ ખુબ લાંબો ધ્વનિ ઉત્પન્ન કરે છે જે ઓછામાં ઓછો સાત સેકન્ડ સુધી પડઘાય છે. જે તમારા શરીરમાંના સાત હિલિંગ ચક્રોને સ્પર્શે છે. જે ક્ષણે ઘંટનાદ થાય છે તે જ ક્ષણે તમારા મગજમાંથી એકાએક બધા જ વિચારો ખાલી થઈ જાય છે. અચાનક તમે એવી સ્થિતિમાં મુકાઈ જાઓ છો કે તમે શૂન્ય મનસ્ક થઈ જાઓ છો. આ એક સજાગ સૂન્ય મનસ્કતા હોય છે.
14. શું તમે ક્યારેય કોઈ જુના મંદિરમાં જીવાત જોઈ છે?
15. મૂર્તિ પુજા પાછળનું તર્ક
મૂર્તિઓ તમારા ફોકલ પોઈન્ટ તરીકે કામ કરે છે. આ ખ્યાલ તમારા ગર્ભ તેમજ તેમાં પસાર કરેલા નવ મહિનાની યાદ કરાવવા માટે છે. અહીં તમારા સાચા સામર્થ્યને યાદ કરાવવામાં આવે છે. નિરવતામાં તમારા વિચારો હકીકતમાં ફેરવાવાની સંભાવના વધી જાય છે. તે માટે જ લોકો કહેતા હોય છે કે “મારી પ્રાર્થના ફળી છે.” ખરેખર બધી જ પ્રાર્થનાઓમાં તે સાચી થવાની અપાર સમર્થતા હોય છે ખાસ કરીને તે સજાગ અવસ્થામાં કરી હોય ત્યારે. મંદિરમાંની મૂર્તિ તમારા વગર નિરર્થક છે. તે માત્ર તમારામાંના ફોકલ પોઇન્ટને જાગૃત કરે છે અને તમારા મન પર પ્રહાર કરે છે.
16. મંદિરની માત્ર ઉભા ઉભા મુલાકાત ન કરો પણ ત્યાં બેસો
પરંપરાગત રીતે એવી માન્યતા છે કે જ્યારે તમે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે માત્ર દર્શન કરીને જ બહાર ન નીકળી જાઓ પણ ત્યાં થોડીવાર માટે બેસવું પણ જોઈએ. તેમ નહીં કરો તો તમારા મંદિરે જવાનો કોઈ અર્થ નથી રહેતો. કારણ કે મંદિરો ઉર્જા મેળવવાનું જાહેર સ્થળ છે ત્યાં તમે તમારી જાતે જ ઉર્જા મેળવો છો અને તે કંઈ ઇન્સ્ટન્ટ નથી હોતું. મંદિરમાંથી હકારાત્મક ઉર્જા મેળવવા માટે તમારે ત્યાં થોડીવાર બેસવું પડે છે.
17. મંદિરમાં જૂતા નહીં
18. સ્વચ્છતા જ ઇશ્વરિયતા છે
પગરખા બહાર કાઢીને જવા પાછળ બીજું પણ એક કારણ એ છે કે તમે તે પગરખાં પહેરીને ગમે ત્યાં ફર્યા હોવ અને તે દ્વારા તમે મંદિરમાં પણ ગંદકી લઈ જાઓ. તેના કારણે મંદિરનું શુદ્ધ પવિત્ર, હકારાત્મક ઉર્જાવાળુ વાતાવરણ દૂષિત થાય છે અને નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહિત કરે છે.
19. કપૂર પ્રગટાવવું
20. પરિક્રમાઃ
મંદિરના ગર્ભગૃહમાં આવેલી મૂર્તિ દરેક પ્રકારની ઊર્જા જેમ કે ઘંટનાદ, કપૂરની ગરમીને શોષી લે છે અને તેના દ્વારા ઓરડામાંની હકારાત્મક ઉર્જા તરંગીત થાય છે જે કેટલોક સમય સ્થીર રહે છે. જ્યારે તમે તે ગર્ભ ગૃહની પ્રદક્ષિણા કરો છો ત્યારે તમે પણ તે હકારાત્મક તરંગોને શોષો છો અને તમારામાંની 5 ઇન્દ્રિઓ સક્રિય થાય છે.
21. શંખ ફૂંકવો
હિન્દુ ધર્મમાં, શંખમાંથી આવતા અવાજને પવિત્ર ધ્વનિ “ઓમ” સાથે સાંકળવામાં આવ્યો છે. “ઓમ” શબ્દને અખિલ શ્રૃષ્ટિના નિર્માણનો પ્રથમ નાદ કહેવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆતમાં શંખ ફૂંકવો એ શુકન કહેવાય છે. શંખના નાદને સૌથી શુદ્ધ તેમજ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. જે તાજગી તેમજ નવી આશા જન્માવનારો છે. જ્યારે મંદિરના હકારાત્મક ઉર્જા વાળા વાતાવરણમાં શંખને ફૂંકવામાં આવે છે ત્યારે તે અતિ શક્તિશાળી બને છે અને તેની શ્રદ્ધાળુઓ પર અદભુત અસર થાય છે. શંખ ફૂંકવાથી આફણા ફેફસાં પણ મજબુત થાય છે.
22. મંદિરો કોઈ પણ ધર્મના નથી હોતા