હાઈપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશર શરીર માટે હાનિકાર છે; હાઈ બ્લડ પ્રેશરમાં શું ખાવું અને શું ન ખાવું જાણો.
17મી મે વૈશ્વિક સ્તરે વિશ્વ હાયપરટેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે. તેનો એક દિવસ આ ધીમા અને હાનિકારક રોગને વધુ સારી રીતે સમજવા માટે સમર્પિત છે. હાઈ બી.પી. એવી તકલીફ છે જેનો આજે વૈશ્વિક રીતે દરેક લોકો સામનો કરે છે. સૌથી મોટો જોખમી અને આરોગ્યને નુક્સાન કરતા એક સ્વાસ્થ્યને લગતી તકલીફ છે. કેટલાક કહેશે કે તે લગભગ એક મહામારી છે. હાઈ બ્લડ પ્રેશર અસંખ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે જેમ કે ડાયાબિટીસ, સ્ટ્રોક, હૃદય રોગ, કિડની અને મૃત્યુ પણ નિપજી શકે છે!
હાયપરટેન્શન અસામાન્ય સ્થિતિ છે જેના લગભગ કોઈ સામાન્ય લક્ષણો નથી. તેને નિયંત્રિત રખવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમારા બ્લડ પ્રેશર નિયમિતપણે તપાસ કરો. જો એક મેડિકલ અભ્યાસને માનવામાં આવે, તો માત્ર એક તૃતિયાંશ લોકો જાણે છે કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. બ્લડ પ્રેશરને ‘પારાના મિલિમીટર’ (એમએમ એચજી) માં માપવામાં આવે છે અને તેને બે અલગ અલગ અંકો મુજબ આંકવામાં આવે છે. પ્રથમ નંબર અથવા સિસ્ટોલિક નંબર હૃદય સ્નાયુઓના બંધારણ વખતે ધમનીઓમાંના દબાણને માપે છે. જ્યારે સ્નાયુ હૃદયના ધબકારા વચ્ચે તે અટકે છે ત્યારે બીજા અંકે તે ધમનીમાંના દબાણને માપે છે.
તમારું બ્લડ પ્રેશર કેટલું ઊંચું હોવું જોઈએ?
અમેરિકન હાર્ટ એસોસિયેશન મુજબ, 120/80 ને સામાન્ય મર્યાદા માનવામાં આવે છે. 120/80 – 140/90 ની વચ્ચેની રેન્જને ‘પ્રી-હાઇપરટેન્શન’ તરીકે ઓળખવામાં આવે છે અને 140/90 કરતા વધુની કોઈપણ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે એક વાંચન એ સૂચવે છે કે તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છો. નંબરો સ્થિર ઓવરટાઇમ હોવાની જરૂર છે.
હાઈ બ્લડ પ્રેશર માટે સંભવિત કારણો –
હાયપરટેન્શનનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી, આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેટલીક હકીકતો તારવી લેવામાં આવી છે: મીઠાનો વધારે વપરાશ, વ્યાયામનો અભાવ, બિનઆરોગ્યપ્રદ આહાર અને આનુવંશિક પૂર્વગ્રહ. અન્ય પરિબળો જે મતભેદને વધારે છે: જેમ કે સિગારેટ ધૂમ્રપાન, બિયર પીવાનું, સ્થૂળતા અને તાણ. તાજેતરના એક અભ્યાસમાં જણાવાયું છે કે આ હાઈપરટેન્શન વધારવામાં બહારની તૈયાર ખાણી પીણ પણ યોગદાન આપે છે.
હાઇ બ્લડ પ્રેશર કેવી રીતે નિયંત્રિત કરવું?
સમય જતાં, બ્લડ પ્રેશર તમારા સ્વાસ્થ્ય પર વિનાશક પરિણામ લાવી શકે છે. તેથી અહીં તે વસ્તુઓનું ચેકલિસ્ટ છે જે તમને તેને નિયંત્રણમાં રાખવા માટે ઉપયોગ કરી શકો છો:
- ૧ ઓછું મીઠું લો – આપણને વારંવાર કહેવામાં આવ્યું છે કે ખૂબ વધારે મીઠું બ્લડ પ્રેશરમાં લોહીમાં ગાંઠા થવાનું કારણ બની શકે છે. જેથી મોટા ભાગના સંશોધન બતાવે છે કે સોડિયમનો વપરાશમાં ઘટાડો થવાથી તમારા બ્લડ પ્રેશરમાં ઘટાડો થઈ શકે છે, તે વ્યક્તિગત રીતે અલગ હોઈ શકે છે.
- ૨ તાણયુક્ત પરિસ્થિતિઓ બ્લડ પ્રેશરને વધુ ઉત્તેજન આપે છે તેથી શાંત રહો: તાણ તમારા બ્લડ પ્રેશરને વધારે છે અને હાયપરટેન્શનથી પીડાતા લોકો માટે, ટેન્શન કેટલાક પ્રકારની કાર્ડિયોવેસ્ક્યુલર નુકસાન પણ કરી શકે છે.
- ૩ ફિટ રહેવા માટે વ્યાયામ અને તમારા બીપીને નિયંત્રિત રાખવા માટે આ ખૂબ જ અગત્યની બાબત છે કે ભારતીયો ચટપટો અને તૈલીય નાસ્તો ખૂબ કરે છે, ખાસ કરીને તળેલા ખોરાકને લીધે હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધે છે. તેથી નિયમિત કસરત કરવી જરૂરી છે.
- ૪ જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાવ છો તો તમે સમયસર ઊંઘ કરી શકશો નહીં, તો દરરોજ રાત્રે ઓછામાં ઓછા 6-7 કલાક ઊંઘ મેળવો. અભ્યાસોમાં જોયું છે કે તમે જેટલી ઓછી ઊંઘ કરો છો, તેટલું વધારે તમારું બ્લડ પ્રેશર વધે છે.
- ૫ તમને દારૂના સેવનનું વ્યસન હોય તો મૂકી દ્યો. ધુમ્રપાન પણ છોડો કારણ કે નિકોટિનને બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે.
- ૬ તમારા શરીરમાં કેફીન પદાર્થો કાઢો. ચા – કોફી જેવા કેફીન પદાર્થો તમારા બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. વધુ પ્રમાણમાં લેવાનું ટાળવું.
હાઈ બ્લડ પ્રેશર ડાયેટ
હાઈ બ્લડ પ્રેશરને નિવારવા તમારા આહાર અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવાના રહેશે. તેથી તમારા શરીરમાં જતા સોડિયમના પ્રમાણને ઘટાડવા ઉપરાંત, તમે શું ખાવ છો તે મહત્વપૂર્ણ છે. સ્વસ્થ આહાર હાઈ બ્લડ પ્રેશરને રોકવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પરંતુ ઘણાંને ડર છે કે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતાં શરીરને કોઈ અન્ય નુક્સાન ન થઈ જાય.
આવો કેટલાક એવા આરોગ્યપ્રદ આહાર જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
કેળા
સ્વાદમાં મીઠાં અને ઓછું સોડિયમ ધરાવતા આ ફળને સરળતાથી ખાઈ શકાય છે. તે ખૂબ જ શક્તિવર્ધક છે. જ્યારે પણ નબળાઈ અનુભવાય તેને ખાઈ શકાય છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. કેળાને અનેક સ્વરૂપે ખાઈ શકાય છે. તેને રોજિંદા એક ખાવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. કબજિયાત થતી નથી. જેથી તાણમાં પણ રાહત અનુભવાય છે.
પાલખ
આ પાદડાંવાળી શાકભાજી ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેમાંથી ભરપૂર માત્રામાં રેસા મળી રહે છે. એ એક લો કેલેરી અને હાઈ ફાઈબર પ્રોટિન, મિનર્લ્સથી યુક્ત છે. તેનું શાક બનાવીને કે બાફીને સૂપ બનાવીને ભોજનમાં લઈ શકાય છે. તેની કુદરતી ખારાશને લીધે સોડિયમની જરૂરીયાત જળવાય છે.
સેલરી
કોબીજ અને તેના જેવી સેલરીના પર્ણ સલાડમાં વધારે પ્રમાણમાં વપરાય છે. તેનામાં રહેલાં કુદરતી તત્વો લોહીના પરિભ્રહ્મણમાં ઉપયોગી છે. તેનાથી લોહીના કોષો અને રક્તનળીઓની દિવાલોને પણ પોષણ મળે છે. આ એક લો કેલેરી આહારનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઓટમીલ
ઓટ્સમાં પ્રચૂર માત્રામાં ફાઈબર્સ રહેલા છે. સવારના નાસ્તામાં દહીં કે દૂધ સાથે લેવાય છે. તેને ઓછા તેલમાં પણ બનાવી શકાય છે. હાઈ બ્લડ પ્રેશરની સામે રાહત મેળવવા તે લો સોડિયમ ધરાવતું હોવાથી અને શીત પ્રકૃતિનું હોવાથી તે અતિશય લાભદાયી છે.
અવાકોડા અથવા પપૈયું
તે એક એવું ફળ છે જે કોલેસ્ટેરોલને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે. તેમાંથી વિટામિન એ, ઇ, કે અને બી મળી રહે છે. તે તમારા આસપાસ ન મળે તેને બદલે પપૈયું પણ લઈ શકાય છે. તે સૌથી વધુ ગુણકારી રહેશે.
તરબૂચ
તેનામાં પાણીનું પ્રમાણ ખૂબ માત્રામાં રહેલું છે. તે કુદરતી રીતે મીઠાશ ધરાવે છે અને શીત પ્રકૃતિનું છે. જેને તમે લો કેલેરી ફૂડ તરીકે નિઃ સંકોચ ખાઈ શકો છો અને તેમાં પોટેશિયમ સારી માત્રામાં રહેલું છે જે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરશે.
બીટરૂટ
તે લોહી શુદ્ધ કરવા માટે અને અનેક પ્રકારના રોગોમાં શરીરને જરૂરી એવા દરેક પ્રકારના જરૂરી કેલ્શિયમ, પ્રોટિન, મિનર્લ્સ અને ફાઈબર્સ તેમાંથી મળે છે. બીટ એક પ્રકારે મિરેકલ ફૂડ છે.
સૂર્યમૂખીના બી
તેમાંથી વિટામિન ઈ અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલા છે. જે હ્રદયમાં લોહીની ગતિને વેગ આપવામાં મદદરૂપ રહે છે. તેનો મુખવાસ બનાવીને ખાવાથી ખૂબ સારો લાભ મળે છે. કેટલીક વાનગીઓમાં પણ તે ઉમેરી શકાય છે. મીઠાની અવેજીમાં સોડિયમ મેળવવાનો તે એક કુદરતી સ્ત્રોત છે.
સંતરા
તેમાંથી વિટામિન સી, ઈ અને એ ભરપૂર માત્રામાં રહેલા છે. તે રેસાયુક્ત ફળ છે. લો કેલેરી અને સાઈટ્રિક એસિડનું પ્રમાણ પણ સારું છે. તેનો એક ગ્લાસ જ્યૂસ પીવાથી શરીરને ખૂબ લાભ મળે છે.
ગાજર
બીટા – કેરોટીનથી ભરપૂર છે. તે આંખ અને માથાની નસને શાંત કરવામાં મદદરૂપ રહે છે. હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શનની પરિસ્થિતિમાં ગાજરનો રસ પીવાથી રાહત મળે છે. તે હ્રદય, કિડની અને પાચનત્રંતને કાર્યરત રાખવામાં મદદરૂપ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ