મિત્રો, આજે ફરી એકવાર આ લેખમા અમે તમારુ સ્વાગત કરીએ છીએ. આજે આ લેખમા અમે તમને એવી ત્રણ બાબતો વિશે જણાવીશુ કે, જે નિરંતર ખાવામા આવે તો તમારી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ દૂર થઇ શકે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બની શકે છે.
હાલ, પ્રવર્તમાન સમયમા યુગ એટલો આધુનિક બની ગયો છે કે, મનુષ્ય નિરંતર પોતાની સુખ-સુવિધાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મથતો રહે છે અને તેના કારણે તે યોગ્ય જીવનશૈલી જીવી શકતો નથી. ના તો તે યોગ્ય ઊંઘ લઇ શકે છે અને ના તો તે યોગ્ય ભોજન લઇ શકે છે અને તેના કારણે જ તે અનેકવિધ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાય છે. આજે આવી જ એક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યા અને તેના નિવારણ વિશે ચર્ચા કરીશુ.
મિત્રો, તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમા પૂરતુ લોહી હોવુ ખૂબ જ જરૂરી છે. જો કોઈપણ કારણસર આપણા શરીરમા લોહીની અછત સર્જાય તો આપણુ શરીર અનેકવિધ બીમારીઓથી ઘેરાયેલ રહે છે. આ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓના કારણે શરીરની કાર્યક્ષમતામા પણ ઘટાડો થાય છે.
શરીરમા લોહીની ઉણપ થવાના કારણે તમને થાક અને નબળાઈ જેવી સમસ્યાઓનો અનુભવ થાય છે. આપણા શરીરમા પૂરતું લોહી હોવું ખૂબ જ જરૂરી છે માટે આજે આ લેખમા અમે તમને ત્રણ એવા ફળો વિશે જણાવીશુ કે, જે તમારા શરીરમા આવશ્યક લોહીના સ્તરને જાળવી રાખશે.
ચકંદર એ એક એવુ ફળ છે કે, જે આપણા શરીરમા લોહીનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધારે છે. જે કોઈપણ વ્યક્તિ નિયમિત આ ફળનુ સેવન કરે તેના શરીરમા હિમોગ્લોબિનનુ સ્તર પુષ્કળ માત્રમા વધે છે. જો તમે તમારા રોજીંદા ભોજનમા આ ફળનો સમાવેશ કરો છો તો તમારા શરીરમા લોહીનુ પ્રમાણ ત્રણ ગણુ ઝડપથી વધશે.
આ સિવાય અંજીર પણ એક એવુ ફળ છે કે, જે તમારા શરીરમા લોહીનુ સ્તર વધારવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ફળના નિયમિત સેવનથી તમારી શારીરિક નબળાઈ દૂર થાય છે અને તમારા શરીરમા લોહીનુ યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. જો તમે તેને રાત્રે પલાળશો અને સવારે ઉઠીને તેનુ સેવન કરશો તો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ જશે.
આ ઉપરાંત દાડમના સેવનથી પણ લોહી ઝડપથી વધે છે. જ્યારે પણ તમને લાગે કે તમારા શરીરમા લોહીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે તમારે દાડમનો રસ પીવાનુ શરૂ કરવુ જોઈએ. જો તમે તમારા રોજીંદા ભોજનમા દામના રસનો સમાવેશ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને તમારા શરીરમા લોહીનુ યોગ્ય સ્તર પણ જળવાઈ રહે છે. તો આજે જ કરો આ ફળોનુ સેવન અને તમારા લોહીનુ પ્રમાણ વધારો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત