હથેળીમાં આ નિશાન બનાવે છે તમને ધનવાન – આવી રીતે ઓળખો નિશાનને ધનવાન બનાવે છે હથેળી પરની આ રેખાઓ, એકવાર ચેક કરીને જુઓ.
હસ્ત રેખા શાસ્ત્ર પ્રમાણે, આપણા હાથની રેખાઓ જીવનનો અરીસો હોય છે. આ રેખાઓ વિષે જાણવાથી તમે તમારા આખા જીવનની યાત્રા કરી શકો છો અને જાણી શકો છો કે તમારું ભવિષ્ય કેવા પ્રકારનું હશે. દરેકની હથેળીમાં એવા નિશાન કે ચિન્હો હોય છે જે તમારા જીવનની જરૂરી જાણકારી આપે છે. આ રેખાઓ વિષે તમે જાતે જ જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. આ રેખાઓથી એવા યોગ બને છે, જેનાથી માણસ ધનવાન બને છે અને દરેક સુખની પ્રાપ્તિ કરી શકે છે. તો ચાલો જાણીએ તમારી હથેળી પર આ રેખાઓ છે કે નહીં, જેનાથી તમે ધનવાન બનો છો….
મહેનતથી મળે છે સફળતા
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે જો તમારા મણિબંધ પર ત્રણ રેખાઓ સુંદર અને સ્પષ્ટ હોય તો વ્યક્તિ પોતાની મહેનતના દમ પર ઉંચાઈઓ સર કરે છે. આવી વ્યક્તિ મહેનતુ અને લગનશીલ હોય છે. તે પોતાની યોગ્યતાઓ અને ક્ષમતાઓથી ખૂબ ધન મેળવે છે. આ લોકો વાતચીમાં પણ ખૂબ નિપુણ હોય છે, જેનાથી સમાજમાં સમ્માનનીય પણ બને છે.
ભૌતિક સુખ-સુવિધાનો લે છે આનંદ
જો શુક્ર પર્વતથી નીકળીને કોઈ રેખા ભાગ્ય રેખામાં જઈ મળી જાય તો તેવી વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી હોય છે. આવા લોકો શરૂઆતમાં તો ખૂબ મહેનત કરે છે પણ પછી તેમને તેમની મહેનતનું ખૂબ ફળ મળે છે. આવા લોકો રાજયોગનુ સુખ ભોગવે છે અને સમાજમાં સમ્માનિત હોય છે. આવા લોકો પોતાના પરિશ્રમ અને મહેનતના દમ પર પોતાનુ મુકામ મેળવે છે અને પછી ભૌતિક સુખ-સિવિધાઓનો આનંદ લે છે.
પોતાની બધી જ જરૂરિયાતોને પૂરી કરે છે
જો કોઈ રેખા ચંદ્ર પર્વતથી નીકળીને ભાગ્ય રેખાને જઈ મળી જાય તો આવી વ્યક્તિ ખૂબ સફળ અને પ્રસિદ્ધ હોય છે. આવી રેખાવાળા જાતકો પોતાના મિત્રોના સહયોગથી ખૂબ ધન પ્રાપ્ત કરે છે અને દરેક બાબતનો આનંદ લે છે. શરૂઆતમાં તો તેઓ મહેનત કરે છે પણ પછી મિત્રોના સાથ સહકારથી પોતાની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે. સાથે સાથે પોતાના પિરવારની દરેક જરૂરિયાતનો પણ પૂરો ખ્યાલ રાખે છે.
અચાનક મળે છે ધન
જે વ્યક્તિની હથેળી પર સૂર્ય રેખા સુંદર અને સીધી જ ટુટ્યા વગરની હોય અને સાથે જ બધા પર્વત દબાયેલા હોય તો આવી વ્યક્તિ બીજાને ધનના સુખ અને પ્રગતિ પ્રાપ્ત કરે છે. એવું પણ કહેવાય છે કે આ યોગથી એવી વ્યક્તિને ધનવાન લોકો દત્તક લઈ લે છે અને તેમની સંપત્તિ તેમના નામે પણ થઈ શકે છે.
ખૂબ જ ઝડપથી કરે છે પ્રગતિ
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે, જે વ્યક્તિની હથેળી પર ભાગ્ય રેખાની સાથે સાથે મસ્તિષ્ક રેખા અને હૃદય રેખા મળીને એક ત્રિભુજનું નિશાન બનાવે છે તો તે ખૂબ જ શુભ માનવામા આવે છે. આવી વ્યક્તિને અચાનક ધન લાભ થાય છે, તેનાથી તેઓ ખૂબ ઝડપથી પ્રગતિ કરે છે. આવા લોકોનું જીવન ખૂબ જ સુખમય પસાર થાય છે.
Source: Navbharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ