મિકેનિકલ એન્જિનિયર બન્યો, પછી ફેબ્રિકેશનનો ધંધો કર્યો અને ગીર ગાયોનું સંવર્ધન શરૂ કરીને હવે મેળવે છે 8 લાખનો નફો

મિકેનિકલ એન્જિનિયર બન્યો, પછી ફેબ્રિકેશનનો ધંધો કર્યો અને ગીર ગાયોનું સંવર્ધન શરૂ કરીને હવે મેળવે છે 8 લાખનો નફો

ઘણા લોકોને એવા વિચાર આવતા હોય કે તેને ખુદને ખબર ન હોય કે આ વિચાર તેને ક્યા લઈને જશે, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ભણ્યો કંઈક અલગ અને કામ કઈક અલગ કર્યું. છતાં તેણે વર્ષે લાખોનો ચોખ્ખો નફો મેળવ્યો છે. તો આવો જાણીએ આ કિસ્સા વિશે એક મિકેનિકલ એન્જિનિયરે ફેબ્રિકેશનનો ચાલતો ધંધો બંધ કરીને અચાનક જ વિચાર આવતાં પશુ સંવર્ધનની રાહ પકડી છે.

image source

પાટણના 35 વર્ષીય એન્જિનિયરે બોરતવાડા ગામ ખાતે પોતાના બાપ-દાદાની માલિકીના ખેતરમાં ગૌશાળા સ્થાપી છે, જેમાં ગીર ઓલાદની 44 ગાયનું સંવર્ધન કરી વર્ષે 8 લાખથી વધુની કમાણી કરે છે. એટલું જ નહીં, પશુપાલનની આડપેદાશ એવાં ગોબર અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી પોતાની 30 વીઘા જમીન પર ખેતીમાં થતો રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચાવે છે.

image source

જો વધારે વાત કરીએ તો આ એન્જિનિયર યુવક ગાયોના દૂધમાંથી ઘી બનાવે છે, જેની વડોદરા-સુરત-મુંબઈ જેવાં મોટાં શહેરોમાં પણ ભારે માગ રહે છે. ચાર ગાયથી શરૂઆત કરનાર યુવક પાસે હાલ નાની-મોટી 44 ગાય છે, પરંતુ 100 ગાયનું સંવર્ધન કરવાની તેની ઈચ્છા છે. પશુપાલનમાં મેળવેલી મહારથને પગલે રાજ્ય સરકારે તેને શ્રેષ્ઠ પશુપાલકનો અવૉર્ડ આપીને સન્માન પણ કર્યું છે. પાટણ શહેરમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયર એવા 35 વર્ષીય હરેશ પટેલે પિતા અને ભાઈની સલાહથી પાટણ તાલુકાના બોરતવાડા ખાતે આવેલી તેમની ખેતીની જમીનમાં ગૌશાળા શરૂ કરી છે.

image source

ત્યાં તે ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે. આ વર્ષે જ દાહોદ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ પશુપાલક અવૉર્ડ વિતરણ સમારોહમાં હરેશભાઈને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હસ્તે પાટણ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે અવૉર્ડ અને રૂ.15000ની પ્રોત્સાહક રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

image source

કઈ રીતે આ ધંધાની શરૂઆત કરી એના વિશે જોઈએ તો તેમણે માત્ર ચાર ગાય લાવી પશુપાલનની શરૂઆત કરી હતી. આજે તેની પાસે નાની-મોટી મળી 44 ગાય છે. વધારે વાત કરતાં હરેશ પટેલ જણાવે છે, તેઓ બોરતવાડા ગામમાં માધવ ગૌશાળા અને સંવર્ઘન કેન્દ્ર ચલાવે છે, જેમાં ભારતીય નસલની દેશી ગીર પાળે છે. અત્યારે તેની પાસે નાની-મોટી મળીને કુલ 44 ગાય છે. ગાયોના દૂધમાંથી ઘી બનાવીને વેચતા રૂ.1700 બજાર ભાવ મળે છે.

image source

આટલું કરવા સિવાય પણ હરેશવ ગાય મૂત્રમાંથી અર્ક અને ગોબરમાંથી ઈકોફ્રેન્ડલી ઘૂપબત્તી (વિવિધ ફ્લેવરમાં ગૂગળ, લોબાન વગેરે), પંચદ્રવ્યમાંથી નસ્ય જેવી બાયપ્રોડક્ટથી કમાણી કરે છે. હાલમાં હરેશ પટેલ પાસે 30 વીઘા જમીન છે, જેમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે. ખેતીમાં ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગ કરે છે. ગૌ અમૃત્તમ બેક્ટેરિયા, ડિકમ્પોઝર અને્ ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, ગાય માટે ઘાસચારા પણ ત્યાં વાવવામાં આવે છે. ઔષધિય ગુણોથી ભરપૂર એવા ગીર ગાયના શુદ્ધ ઘીની માગને ધ્યાનમાં રાખીને બીજા વર્ષે હરેશે મેળવેલાં તમામ દૂધ ઉત્પાદનનો ઘી બનાવવા ઉપયોગ કર્યો હતો.

image source

માત્ર ઘીની આવક અને ઉત્પાદનની વાત કરીએ તો વાર્ષિક દૂધ ઉત્પાદનમાંથી કુલ 400 કિલો કરતાં વધુ ઘી તૈયાર કરી રૂ. 7 લાખ જેટલી આવક મેળવે છે, સાથે સાથે આયુર્વેદમાં આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવેલા ગૌમૂત્રનો અર્ક બનાવી એનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે. પશુપાલનની શરૂઆત કરી ત્યારે હરેશ પટેલે વાર્ષિક 12 હજાર લિટર દૂધનું ઉત્પાદન મેળવ્યું હતું, જેનું પ્રતિલિટર રૂ 70ના ભાવે દૂધનું છૂટક વેચાણ કર્યું હતું, જ્યારે બચેલા બાકીના દૂધમાંથી ઘી બનાવીને રૂ.1700 પ્રતિકિલોના ભાવે વેચાણ કર્યું હતું.

હરેશ ગૌશાળાની ગાયોના ઘીને વડોદરા, સુરત અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાંથી માગ આવતાં ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે. માત્ર આવકના સાધન તરીકે જ નહીં, પણ ઉચ્ચ ઓલાદની ગાયોનાં સંવર્ધન માટે પણ હરેશ પટેલ પ્રયત્નશીલ છે. તેઓ સમયાંતરે તેમની ગૌશાળામાં રહેલા ખૂંટ દ્વારા ગીર ઓલાદની ગાયોના બ્રીડિંગ માટે બીજદાન પણ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયથી અન્ય ગાયોની ખરીદી કરી આગામી સમયમાં 100 જેટલી ગાયોના સંવર્ધનનો હરેશભાઈનો લક્ષ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ