અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કેસની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા વચ્ચે હવે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી નથી. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો યથાવત. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫ હજાર ૬૬૯ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૬ લોકોના મૃત્યુ થયા છે અને એકિટવ કેસની સંખ્યા વધીને ૫૧ હજાર ૯૦૫ ઉપર પહોંચી છે. મંગળવારે વધુ ૧ હજાર ૯૩૦ લોકોને રજા આપવામાં આવતા અત્યાર સુધી કુલ ૮૬ હજાર લોકો કોરોના મુકત થયા. તો મંગળવારે ૨૬ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨ હજાર ૭૭૩ લોકોના કોરોનાથી મરણ થયા થયા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના 14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે. રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840 પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદમાં 56, અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188, આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165, ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157, કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128, પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151, વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124 કેસ સાથે કુલ 14352 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.
લોકડાઉન કે દિવસે કર્ફ્યૂની જરુર નથીઃ સીએમ રુપાણી
કોરોનાના વધી રહેલા કેસોને જોતા ગુજરાતમાં ફરીથી લોકડાઉન કરવામાં આવશે તેવી અફવા વચ્ચે રાજ્ય સરકારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન આવવાનું નથી તેવી સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકડાઉન ફરી આવવાની વાતને અફવા ગણાવીને લોકોના સ્વાસ્થ્યને મહત્વ આપવાની વાત કરવાની સાથે ઓછામાં ઓછું કોરોનાનું સંક્રમણ ફેલાય તે દિશામાં સરકાર પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું છે.
રુપાણીએ લોકો સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરે તે જરુરી છે તેમ જણાવીને કહ્યું છે કે, “રાજ્યમાં એવી કોઈ ખરાબ પરિસ્થિતિ નથી અને લોકોએ ગભરાવાની જરાય જરુર નથી. પરંતુ લોકો સાવચેત રહે અને માસ્ક જરુર પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે, ભીડમાં જવાનું ટાળે, ભીડ થાય તેવું કૃત્ય કોઈ કરે પણ નહીં.” લોકડાઉન લાગુ થશે તેવી અફવાઓને ફગાવીને તેમણે કહ્યું છે કે, જે કોઈ અફવાઓ ચાલે છે તે ખોટી છે, કોઈ લોકડાઉન આવવાનું નથી. ફરીથી કર્ફ્યૂ આવશે તે પણ ખોટી વાત છે. તેમણે એ પણ ઉમેર્યું કે “કોરોના વકરે તો સમય પ્રમાણે જે જરુરી હશે તે નિર્ણય કરીશું. લોકોની સલામતી પહેલી પ્રાથમિકતા છે.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!