ગુજરાતના આ મંદિરે દર્શન કરવા જાવો તો ભૂલથી પણ ના પહેરતા ટૂંકા વસ્ત્રો, જાણો આ વિશે લીધો મોટો નિર્ણય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓના પહેરવેશ અંગે આપેલ નિવેદન અંગે ખુબ વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આવો જ વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ટૂંકા વસ્ત્રો (સ્કર્ટ બર્મુડા) પહેરેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

પુરૂષો માટે ધોતી અને પીતામ્બરની વ્યવસ્થા કરાશે

image soucre

મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આવા કપડા પહેરીને આવતા ભક્તોને મંદિરની બહાર રોકી દેવામાં આવશે. જો કે મંદિરમાં દર્શન કરવા માટે ટ્રસ્ટ દ્વારા કપડાંની વ્યવસ્થા કરવામાં આવશે. આ અંતર્ગત, મંદિરની બહાર, પુરૂષો માટે એક ધોતી અને પીતામ્બર અને મહિલાઓ માટે લહેંગા વ્યવસ્થા હશે, જે પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકાશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું

image soucre

ટ્રસ્ટે મંદિરની બહાર એક બોર્ડ પણ મૂક્યું છે, જેમાં લખ્યું છે કે – દર્શન માટે આવતા ભાઈ-બહેનોને વિનંતી છે કે ટૂંકા વસ્ત્રો અને બર્મુડા પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ નહીં મળે, તેથી પરંપરાગત વસ્ત્રો પહેરો. માસ્ક પહેરવું ફરજિયાત છે.

આ મંદિર શ્રી કૃષ્ણના શ્યામલ સ્વરૂપના નામે પ્રખ્યાત છે

Entry banned with short clothes at famous Shamlaji temple of Aravalli Gujarat– News18 Gujarati
image soucre

શામળાજી એ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું એક શહેર છે, જે શામળાજી વિષ્ણુ મંદિરના નામ પરથી છે. તે લગભગ 2,000 વર્ષ જૂનું મંદિર છે. આ પવિત્ર મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. શ્રીહરિના આઠમા અવતાર શ્રી કૃષ્ણના શ્યામલ સ્વરૂપ પછી તેનું નામ આપવામાં આવ્યું છે. તે ગુજરાતનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. નોંધનિય છે કે, યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહે છે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો પણ ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. નોંધનિય છે કે, આ મંદીર કૃષ્ણ તરીકે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે અને વૈષ્ણવોના 154 મહત્વપુર્ણ યાત્રાધામમાંથી એક માનવામાં આવે છે. ગાયની પ્રતિમા પણ અહિ પુજવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણને બાળપણમાં ગોવાળીયો તરીકે દર્શાવે છે.

તિરથ સિંહ રાવતે આપ્યું હતું વિવાદિત નિવેદન

image soucre

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તિરથ સિંહ રાવતે કહ્યું હતું કે, મહિલાઓને ઘૂંટણની પાસે ફાટેલી જીન્સ પહેરેલી જોઈને આશ્ચર્યજનક લાગે છે. જો આવી મહિલાઓ બાળકો સામે આવા કપડાં પહેરે છે, તો તેઓ તેમને શું સંસ્કાર આપશે? તેના નિવેદન પછી, સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ કમેન્ટો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સીએમ રાવતના નિવેદનની ટીકા કરતાં ઘણી મહિલાઓએ રિપ્ડ જીન્સ સાથે તેમના ફોટા શેર કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ