નવું ઘર ખરીદવાનું કે બનાવવાનું જીવનની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક છે. તમામ લોકો એવા હોય છે જે આખું જીવન ભાડે રહેવામાં કાઢી દેનારા હોય છે. તેમને પોતાની છત નસીબ હોતી નથી. આ સમયે ભગવાનનો આભાર પ્રકટ કરવાની અને સાથે તે સ્થાનની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે લોકો ગૃહપ્રવેશના સમયે સત્યનારાયણની કથા, હવન કરે છે.જો તમે પણ નવું ઘર કરીદ્યું છે અને ગૃહપ્રવેશની તૈયારી કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી છે.
સૌ પહેલા ગૃહપ્રવેશને માટે દિવસ, તિથિ, નક્ષત્ર વગેરેને ધ્યાનમાં રાખીને ગૃહપ્રવેશ કરો. આ સાથે આ વિષયમાં કોઈ જ્યોતિષાચાર્ય સાથે વાત કરી લો, આ કામમાં શુભ મૂહૂર્તને ધ્યાનમાં રાખવાનું જરૂરી છે.
ગૃહપ્રવેશના પહેલા મુખ્ય દ્વાર પર તોરણ બાંધો. આસોપાલવના પાનનું તોરણ લગાવવાનું શુભ રહે છે. તેનાથી સકારાત્મક ઉર્જા પ્રવાહિત થતી રહે છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો ભગવાનને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું છે તો તેમના આવવાની તૈયારી પણ સારી રીતે કરી લેવી જરૂરી છે. તેના માટે ઘરના દરવાજા પર રંગોળી કરો. માન્યતા છે કે માતા લક્ષ્મીને રંગોળી ખૂબ જ પ્રિય છે.
ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુ પૂજા અને ગૃહશાંતિ પૂજા કરાવી લો. તેનાથી ખરાબ સપના, અકાળ મૃત્યુ, ક્લેશ, આર્થિક સંકટ તમામ સમસ્યાનો ખતરો દૂર થાય છે.
ગણપતિને શુભ ફળના દાતા માનવામાં આવે છે. આ માટે ઘરમાં પ્રવેશ કરતી સમયે ગણેશજીની મૂર્તિ પોતાની સાથે લઈને જાઓ તે જરૂરી છે.
જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો પતિ અને પત્ની સાથે મળીને ઘરના દરવાજામાં પ્રવેશ કરો અને જમણો પગ પહેલા આગળ વધારો. તેને શુભ માનવામાં આવે છે.
કહેવાય છે કે ગૃહપ્રવેશ કરાવ્યા બાદ ઘરમા 40 દિવસ સુધી રહેવું જરૂરી છે. આ માટે કેટલી પણ જરૂર પડે પણ 40 દિવસ પહેલા ઘરને એકલું ન છોડો.
ગૃહપ્રવેશ કર્યા બાદ સૌથી પહેલા ઘરમાં દૂધ ઉકાળો અને તમારા હાથથી કોઈ ગળી વસ્તુ બનાવીને તેનો ભોગ ભગવાનને લગાવો. એક ભાગ ગાય, કાગડા, કૂતરાને પણ આપો. તેનાથી પિતૃઓના આર્શિવાદ મળી રહે છે.
તો હવેથી તમે પણ નવું ઘર ખરીદો છો તો આ નાની નાની વાતોનું ધ્યાન રાખી લો તે ખૂબ જ જરૂરી છે. આ સાથે જ નાની વાતો તમને મોટું ફળ આપનારી સાબિત થાય છે.