મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, બોલીવૂડ ફિલ્મજગત એ ગ્લેમર જગત છે, અહી દરરોજ અનેકવિધ પ્રકારના લોકો પોતાનુ ભાગ્ય અજમાવવા માટે આવે છે પરંતુ, તેમાંથી અમુક જ એવા હોય છે, જે પોતાના ભાગ્યના બળ પર આ ફિલ્મજગતમા પોતાની નામના બનાવે છે.
આજે આ લેખમા આપણે એક એવા જ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેણે હાલ ફિલ્મજગત ક્ષેત્રે ખુબ જ વિશેષ ખ્યાતી મેળવી છે પરંતુ, તેમના જીવનનો એક એવો કિસ્સો છે કે જે આપણને ભાગ્યે જ ખ્યાલ હશે, તો ચાલો જાણીએ કોણ છે આ કલાકાર? અને શું હતો આ કિસ્સો?
૯૦ ના દશકાના સુપરસ્ટાર ગોવિંદા તો આપણને યાદ જ હશે. આજે પણ તેમના શાનદાર ડાન્સ અને શાનદાર કોમેડી ફિલ્મો માટે તેમને લોકો દ્વારા યાદ કરવામા આવે છે. આજના આ લેખમા અમે તમને અભિનેતા ગોવિંદા વિશે એક જાણીતી વાત જણાવવા જઈ રહ્યા છીએ.
વાસ્તવમા ગોવિંદા એ પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રી નીલમને પ્રેમ કરતો હતો. તે નીલમના પ્રેમમા એ હદ સુધી પાગલ થઇ ચુક્યો હતો કે તેણે તેની પત્ની સુનિતા સાથે પણ બ્રેકઅપ કરી લીધુ હતુ. મીડિયાના અહેવાલ મુજબ ગોવિંદાએ આ અભિનેત્રીને ફિલ્મ નિર્માતા પ્રાણલાલ મહેતાની ઓફિસમા સૌથી પહેલીવાર જોઈ હતી.
ગોવિંદાએ અભિનેતા નીલમને લઈને પાગલ થયા પછી જ ગોવિંદાએ પોતે એક ઇન્ટરવ્યૂમા જણાવ્યુ હતુ કે, તે નીલમ તરફ આકર્ષાયો હતો અને ઘણીવાર ફિલ્મોના સેટ પર આ અભિનેત્રીની મજાક ઉડાવતો હતો. જો કે, આ અભિનેત્રી માટે જ્યારે ગોવિંદાએ સુનિતા એટલે કે દિગ્દર્શક આનંદ સિંહની સાળી સાથેની સગાઈ તોડી ત્યારે ગોવિંદાના માતા નિર્મલા દેવી આ તમામ ઘટનાક્રમની વચ્ચે આવ્યા અને તેમને સ્પષ્ટપણે સૂચના આપી દીધી કે, તેમના લગ્ન થશે તો સુનીતા સાથે જ થશે બીજા કોઈ સાથે નહિ.
ગોવિંદાની માતાએ જે સ્ટેટમેન્ટ ભાર પાડ્યુ, તે પછી તો આ વાતમા આગળ કોઈપણ પ્રકારની ચર્ચા કરવાની રહેતી જ નહોતી. આ સ્ટેટમેન્ટ પછી ગોવિંદા પાસે નીલમને ભૂલવા સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો જ નહોતો. તેમણે વર્ષ ૧૯૮૭મા સુનિતા સાથે લગ્ન કર્યા હતા. જો કે તે ઈચ્છતા તો નહોતા પરંતુ, માતાના દબાણના કારણે તે આ સમયે તેમની સાથે લગ્નસંબંધે બંધાયા.
તમને જણાવી દઈએ કે, ગોવિંદા અને નીલમની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૮૬મા ‘આરોપી’ હતી. ત્યારબાદ આ જોડીએ એકસાથે અનેકવિધ સુપરહિટ ફિલ્મો આપી હતી અને તે લાંબા સમય સુધી દર્શકોની હોટ ફેવરિટ જોડી પણ રહી હતી પરંતુ, અફસોસની વાત તો એ છે કે, આ જોડી વાસ્તવિક જીવનમા એકબીજાની સાથે ના રહી શકી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!