મિત્રો, વર્તમાન સમયમા લોકો અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેમા પણ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. આ સ્થૂળતાની સમસ્યાને કારણે લોકોને ઘણીવાર ઘૂંટણની પીડા થવાની સમસ્યા હોય છે. લોકો સ્થૂળતા ઘટાડવા માટે અનેકવિધ પગલા લે છે. આજે અમે તમને વજન ઘટાડવા માટે એક વિશેષ વનસ્પતિ વિશે જણાવીશુ કે, જે તમારી સ્થૂળતાની સમસ્યાને તુરંત દૂર કરી દેશે.
સ્થૂળતાની સમસ્યા ઘટાડવા માટે આપણે જે વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ગિલોય. જો તમે આ વનસ્પતિના પાનનો રસ ભૂખ્યા પેટે સેવન કરો તો તમે સરળતાથી મુક્તિ મેળવી શકો છો. જો તમે એક ગ્લાસ નવશેકા પાણી સાથે ૫ મિલી ગિલોયનો રસ અને એક ચમચી મધ પીવો અને અડધી કલાક સુધી કોઈપણ વસ્તુનુ સેવન ના કરો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ થઇ શકે છે. આજે આ લેખમા અમે તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ વિશે જણાવીશુ
લાભ :
કબજિયાત અને હરસની સમસ્યા દૂર થાય :
જે લોકો આ સમસ્યાથી પીડાતા હોય તેમના માટે ગિલોયનો રસ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે તમને સ્વાઈન ફ્લુ જેવી ગંભીર સમસ્યાઓ સામે પણ રક્ષણ આપી શકે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને :
આ વનસ્પતિના પાનમા પુષ્કળ માત્રામા ઓક્સિડેન્ટ તત્વો જોવા મળે છે અને જો તમે નિયમિત ગિલોયનુ સેવન કરો છો તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે તમને કોઈપણ બીમારી અસર કરતી નથી.
ડાયાબિટીસની સમસ્યા દૂર થાય :
જો તમે આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તમારે નિયમિત આ ગિલોયના રસનુ સેવન કરવુ જોઈએ. જો તમે આ રસમા દ્રાક્ષના પાનનો રસ અને થોડી હળદર મિક્સ કરો તો આ સમસ્યા નિયંત્રણમા રહે છે.
શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય :
જો તમને આ સમસ્યા છે તો તમારે નિયમિત બે ચમચી ગિલોયના રસનુ સેવન કરવુ જોઈએ. તે તમારી કફની સમસ્યાને તુરંત દૂર કરે છે.
તાવની સમસ્યા દૂર થાય :
જો તમે તાવની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેને ગીલોય વાટીને ખવડાવવામા આવે તો તેને રાહત મળે છે.
આંખોનુ તેજ વધારે છે :
જો તમે ગિલોયના રસને આમળાના રસમા મિક્સ કરીને સેવન કરશો તો તમારી આંખો સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારી આંખોની રોશની પણ તેજ થશે.
પાચનતંત્ર માટે ફાયદાકારક :
હાલના દિવસોમાં લોકો વધુ પડતુ બહારનુ ભોજન ખાય છે અને તેના કારણે પાચનતંત્ર વધારે પડતુ બગડે છે પરંતુ, જો તમે ગિલોય પાવડરને આમળાના પાવડર સાથે મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરશો તો તે તમારી પાચકશક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય ગિલોય તમારી પ્લેટલેટની સંખ્યામા પણ વધારો કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત