ઝાડ અને છોડ તરફથી આવે છે આર્થિક સમૃદ્ધિ, ઘરમાં ભૂલીને પણ ના લગાવવા જોઈએ એવા પ્લાન્ટ.
વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) માં જણાવ્યા મુજબ ઝાડ અને છોડને જો યોગ્ય દિશામાં લગાવવામાં આવે છે તો ઘરના વાસ્તુ દોષને દુર કરે છે. ત્યાં જ ખોટી દિશામાં લગાવવાથી ઝાડ અને છોડ નકારાત્મક ઉર્જા (Negative Energy) ઉત્પન્ન કરે છે. જેની ઘરની આર્થિક સમૃદ્ધિ પર ખરાબ પ્રભાવ પડે છે અને આપને ધન હાનિનો સામનો કરવો પડે છે.
વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) માં જણાવ્યા મુજબ ઘરમાં ઝાડ અને છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા (Positive Energy) નો સંચાર થાય છે. તેમજ વાસ્તુ શાસ્ત્રમાં અલગ અલગ ઝાડ અને છોડનું પોતાનું એક અલગ જ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઝાડ અને છોડ જો યોગ્ય દિશામાં લગાવવામાં આવે છે તો ઘરનો વાસ્તુ દોષ દુર થાય છે. ત્યાં જ ખોટી દિશામાં લગાવવાથી ઝાડ અને છોડ નકારાત્મક ઉર્જા (Negative Energy) ઉત્પન્ન કરે છે, જેની ઘરની આર્થિક સમૃદ્ધિ પર ખરાબ પ્રભાવ પાડે છે અને આપને ધન હાનિ થાય છે.
ખુબ જ ઊંચા કે પછી લાલ ફળ વાળા વ્રુક્ષનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે. જયારે દૂધ વાળા છોડ જેવા કે, આંકડાનો છોડ, આંકડાના છોડનો સંબંધ ચંદ્રમાં સાથે માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડને શુભ માનવામાં આવે છે. તુલસી (Tulsi) નો છોડ વાસ્તુ દોષને સમાપ્ત કરી દે છે. ચાલો જાણીએ ઝાડ અને છોડ સાથે જોડાયેલ ખાસ વાસ્તુ ટિપ્સ.
ઘરમાં સુકા કે પછી કાંટાળા છોડ રાખવા જોઈએ નહી. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સુકાઈ ગયેલ અને કાંટાળા છોડ સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. આ સાથે જ આર્થિક સંપન્નતા પણ પ્રભાવિત થાય છે.
-ઘરની બહાર અશોકનું ઝાડ લગાવવાથી પારિવારિક પ્રસન્નતા પ્રાપ્ત થતી રહે છે. આ સાથે જ શોક દુર થાય છે. અશોકનું ઝાડ લગાવવાથી ઘરના સભ્યોની મધ્યે પ્રેમ અને સૌહાર્દ વધે છે.
-વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરમાં તુલસીના છોડને લગાવવું શુભ માનવામાં આવે છે. તુલસીના છોડ માટે ઉત્તર દિશા. ઉત્તર- પૂર્વ દિશા કે પછી પૂર્વ દિશાને પસંદ કરવી જોઈએ. આમ કરવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.
-મની પ્લાન્ટને પણ ઘરમાં લગાવવાનું શુભ હોય છે. આ છોડને ઘરની દક્ષિણ- પૂર્વી દિશા કે પછી ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મની પ્લાન્ટ એક એવો છોડ છે, જેનાથી ઘર- પરિવારમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
-વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરમાં પીપળાનું ઝાડ લગાવવું અશુભ હોય છે, પીપળાનું ઝાડ ઘરમાં હોય છે તો આપને ધનની હાનિ થાય છે. એવા છોડ જેમાં દૂધ જેંવું દ્રવ્ય નીકળે છે તેને ઘરની બહાર લગાવવું જોઈએ.
-વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કાંટાળા ઝાડ અને છોડ ઘરમાં લગાવવા જોઈએ નહી. ઘરની દક્ષિણ દિશામાં પાકડ અને કાંટાળા ઝાડને લગાવવાથી ઘરના સભ્યોમાં રોગ થવા લાગે છે.
-ઘરમાં રીંગણી રંગના છોડ લગાવવાનું શુભ માનવામાં આવે છે, આવા છોડ ધન લઈને આવે છે. આવા છોડો આર્થિક સંપૂર્ણતાનું પ્રતિક હોય છે.
-ઘરના ઉત્તર દિશામાં ગુલર અને લીંબુનું ઝાડ લગાવવામાં આવે છે તો વ્યક્તિને આંખો સંબંધિત બીમારીઓ થાય છે.
-કેળાના ઝાડને ઈશાન કોણ કે પછી ઉત્તર દિશામાં લગાવવાથી આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધી આવે છે.
-ઘરમાં કાંટાળા છોડ લગાવવા જોઈએ નહી. ગુલાબ સિવાય અન્ય કાંટાળા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવાહિત કરે છે.
-વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કૈક્ટસના છોડને ઘરમાં લગાવવું અશુભ માનવામાં આવે છે. કૈક્ટસનો છોડ લગાવવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,