દરેક વ્યક્તિ જીવનમાં પૈસા કમાવવા માંગે છે. માનવ જીવનમા નાણા એ ફક્ત આપણી ભૌતિક જરૂરિયાતોને જ પૂર્ણ નથી કરતુ પરંતુ, સમાજમા તેમને આદર પણ આપે છે. જીવનમા સુખ અને દુ: ખ આવ્યા જ રાખવાના છે. જ્યારે દુ:ખના સમયે નાણાકીય કટોકટી આવે તો દુ:ખ સાથે લડવુ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. માનવજીવનમાં પૈસાનુ મહત્વ એટલુ વધારે છે કે, પૈસા વિના સગાસબંધીઓ પણ તમારો સાથ છોડી દે છે.
દરેક વ્યક્તિ જીવનમા વધુ ને વધુ નાણા કમાવવા માટે અથાગ પ્રયાસ કરે છે પરંતુ, જો તમે તમારી દૈનિક જરૂરિયાતો ને પૂર્ણ કરવાની સાથોસાથ તમારા સ્વપ્ન ને પણ પૂર્ણ કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે અમુક વિશેષ ઉપાયો કરવા પડે છે, જેના વિશે આજે આ લેખમા આને માહિતી મેળવીશુ.
આજે આ લેખમા અમે તમને અમુક એવા વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને શ્રીમંત બનાવી શકે છે. જો તમે આ ઉપાયોને તમારા રોજીંદા જીવનમા અજમાવશો તો તમારા જીવનમા ક્યારેય પણ નાણાની અછત સર્જાશે નહીં. શ્રીમંત બનવા માટે નાણા કમાવવા જેટલા આવશ્યક છે તેટલુ જ આવશ્યક કાર્ય નાણા બચાવવાનુ પણ છે.
વાસ્તુ વિજ્ઞાન મુજબ આર્થિક સમસ્યાઓ ઉદ્ભવવા માટેનુ કારણ તમારા ઘરમા જ હાજરાહજૂર હોય છે , જેને આપણે વારંવાર અવગણીએ છીએ. જો તમે વાસ્તુશાસ્ત્રમા જણાવેલ અમુક સામાન્ય ઉપાયો અજમાવો છો તો આકસ્મિક ખર્ચમા ઘટાડો થઇ શકે છે અને બચતમા પણ વૃદ્ધિ થવા લાગે છે.
જો લક્ષ્મી માતા અને ભગવાન કુબેર નુ ચિત્ર અથવા સ્વસ્તિક નુ ચિહ્ન ઘરના પ્રમુખ દ્વાર પર લગાવવામા આવે તો તમારા ઘરમા ક્યારેય નાણાની અછત નથી થતી. આ ઉપરાંત ઘરમા ચાંદી , પિત્તળ અથવા તાંબાના પિરામિડ રાખવાથી આવકના સાધનોમા વધારો થાય છે તથા ઘરમા ક્યારેય નાણાકીય તંગી સર્જાતી નથી.
ઘર સાથે સંકળાયેલ તમામ મુશ્કેલીઓમાથી મુક્તિ મેળવવા માટે ધાતુનો કાચબા અને માછલી રાખવી અત્યંત શુભ માનવામા આવે છે. આ બંને જ તમારા ઘરમા પૈસા અને સુખ-સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત ઘરની પૂજા અને તિજોરીમા હંમેશાં લાલ કાપડ રાખો અને સાંજે તમારી પત્ની અથવા ઘરની કોઈપણ સ્ત્રીએ ત્યા ધૂપ લગાવીને પૂજા કરવી જોઈએ.
જો તમે ઘરમા તુલસી નો છોડ રોપી અને ત્યા ઘીનો દીવો પ્રગટાવાવાથી માતા લક્ષ્મી સદાય તમારા ઘરમા વાસ કરે છે. આ ઉપરાંત જો તમે ઘરના તમામ સભ્યોના માથા પર સાત વાર કાળા તલ ફેરવી અને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,