જો તમે ઘરમાં આ રીતે મુકશો પિરામિડ, તો વાસ્તુ દોષ થશે દૂર અને સાથે મળશે આ લાભ પણ

ઘરમાં આ રીતે મુકો પિરામિડ, વાસ્તુ દોષ તો દૂર થશે જ પણ સાથે સાથે મળશે અન્ય ઘણા લાભ.

વાસ્તુ શાસ્ત્ર દ્વારા ઘર કે પછી કોઈપણ જગ્યાની નકરાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવીને લાભ મેળવી શકાય છે એવી જ રીતે ચીની વસ્તુઓ એટલે કે ફેંગશુઈમાં પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી તમારી ઘણા પ્રકારની તકલીફો અને વાસ્તુ દોષમાંથી તમને છુટકારો મળે છે.

image source

વાસ્તુ દોષથી નકરાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે જેના કારણે તમારે પારિવારિક કલેશ, આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે. ફેંગશુઈમાં પીરામીડને ઘરમાં રાખવાનું ખુબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. એને ઘરમાં રાખવાથી તમે વાસ્તુ દોષ અને બીજી ઘણી બધી તકલીફોમાંથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો આજે જાણી લઈએ કે એને ઘરમાં કઈ રીતે મુકવાથી તમે તકલીફોથી છુટકારો મેળવી શકો છો.

image source

તમે તમારા ઘરમાં ધાતુ કે પછી લાકડાનો બનેલો પિરામિડ મૂકી શકો છો. આ પીરામીડને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. જો તમારા ઘરમાં બાળકોનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો તમારે ઘરમાં પિરામિડ રાખવો જોઈએ. આવું કરવાથી અભ્યાસ કરતી વખતે બાળકની એકાગ્રતા જળવાઈ રહે છે. અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ઘરમાં પિરામિડ રાખવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

image source

જો તમે શત્રુ બાધાથી પીડાઈ રહ્યા હોય તો દક્ષિણ દિશામાં પિરામિડ રાખવો જોઈએ. જો તમારો કોઈપણ કેસ કોર્ટમાં ફસાયેલો હોય તો એમાં ગતિ આવે છે. પણ પિરામિડ ત્રિકોણ હોય છે એટલે એની સાચી દિશા સમજવી ખૂબ જ જરૂરી હોય છે નહીં તો તમને તકલીફ પણ થઈ શકે છે.

image source

પિરામિડ વિશે એવું કહેવામાં આવે છે કે જો એમ કોઈ વસ્તુ મુકવામાં આવે તો એના ગુણધર્મમાં પરિવર્તન આવી જાય છે. જો તમારી પાચન શક્તિ સારી ન રહેતી હોય તો પાણી પીતા પહેલા એની ઉપર પિરામિડ મૂકી દો. એવું માનવામાં આવવા છે કે આવું કરવાથી તમારી પાચન શક્તિ વધે છે.

જો તમે યશ કીર્તિ મેળવવા માંગતા હોય તો ઘરની પૂર્વ દિશામાં પિરામિડ મુકવો જોઈએ. જો તમારા પરિવારમાં કોઈ સભ્યને ખોટી આદતો પડી ગઈ હોય તો પણ ઘરમાં જો તમે પિરામિડ મુકશો તો એનાથી લાભ મળે છે.

image source

વાસ્તુ અનુસાર તમે બાલ્કનીમાં પણ પિરામિડ મૂકી શકો છો, આવું કરવાથી બહારની નકરાત્મક ઉર્જા તમારા ઘરમાં નહિ પ્રવેશે. આ સિવાય તમે એને દરવાજા પર પણ મૂકી શકો છો પણ ધ્યાન રાખો કે એ કોઈને દેખાવવું ન જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ