વાસ્તુ ટીપઃ બાથરૂમ અને ટોઈલેટ એક સાથે હોવાને કારણે થઈ શકે છે આ પાંચ ગેરફાયદા… જ્યાં નહાવાનું સ્થાન અને શૌચાલય એક સાથે હોય એ જગ્યાએ સર્જાઈ શકે છે આ નકારાત્મક સમસ્યા… જાણો શું થઈ શકે છે નુક્સાન…
આજકાલ, નવી ડિઝાઈનના ઘરોની સુંદર ડિઝાઈનિંગ અને સગવડો વિશે ખાસ દ્યાન રાખવામાં આવે છે. ઘરમાં રહેતી દરેક વ્યક્તિની પસંદગીનું પણ આ ઘરોમાં ખ્યાલ રાખવામાં આવતું હોય છે. સાથે તે દરેક ઘરના તમામ કમરામાં એક એવી સગવડની આવશ્યકતા જરૂરી થઈ ગઈ છે, જેમાં એક સાથે બાથરૂમ અને ટોઈલેટ / રેસ્ટરૂમ જેવું રાખવાનું સામાન્ય બની ગયું છે. ઘરમાં રહેતાં સૌને સમય ખૂબ ઓછો હોય છે, દરેકને પોતાની પ્રાઈવસી અને પોતાના સમયની બહુ જ કદર હોય છે તેથી દરેકના રૂમમાં એટેચ બાથરૂમ ટોઈલેટ રાખવાનો આગ્રહ આજના જમાનામાં સૌ કોઈ રાખે છે.
એક રીતે આ ખાસ કરીને ટેનામેન્ટ કરતાં ફ્લેટ સિસ્ટમમાં આ સગવડ વધારે જોવા મળે છે. તેને એટેચ લેટ – બાથ પણ કહેવામાં આવે છે. ઘણા ફ્લેટમાં, તેઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ તેનાથી ૫ પ્રકારના નુકસાન થઈ શકે છે.
થઈ શકે છે કેટલાંક મોટાં નુક્સાન જો, તમારા ઘરમાં આ બંને એકસાથે જોવા મળે છે તો…
ઘરમાં વાસ્તુ દોષ:
વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ જે ઘરમાં નહાવાની સગવડ અને શૌચાલય એક સાથે બનાવડાવવામાં આવ્યું હોય તો તે એક પ્રકારે આપના ઘરમાં વાસ્તુને લગતી ખામી ઉત્પન્ન કરે છે. આ ખામીને કારણે ઘરના લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે એક પ્રકારે નકારાત્મક ઊર્જા સર્જાવાનું કારણ બની શકે છે.
મતભેદ અને મનભેદ:
વાસ્તુ દોષની આ મુશ્કેલીને કારણે જે તે ઘરમાં રહેતાં પરિવારના લોકો વચ્ચે, મતભેદ અને મનભેદ થવાની શક્યતા રહે છે. આ પ્રકારની ખામી ઘણીવાર પતિ-પત્ની અને કુટુંબના અન્ય સભ્યો વચ્ચે અણબનાવની સ્થિતિ અને ચર્ચા – દલીલ તેમજ નફરતની લાગણી તરફ દોરી જાય છે. જેને કારણે તેવા લોકોને એકબીજા સાથે કોઈને પણ લાંબા સમય સુધી સાથે ઘરે રહેવાનું મન થતું નથી.
ગ્રહણ યોગ:
વાસ્તુ શાસ્ત્ર મુજબ તેના દોષમાં ચંદ્ર નહાવાના સ્થળે બાથરૂમમાં અને રાહુ મળ – મૂત્ય ત્યાગના સ્થાને શૌચાલયમાં રહે છે. જો ચંદ્ર અને રાહુ એક જગ્યાએ એક સ્થળે ભેગા થાય છે તો તે એક પ્રકારે ગ્રહણ યોગ બનાવે છે. આ તમારા ભાગ્યમાં રહેલા ચંદ્રની અસરને ભ્રષ્ટ કરે છે. ચંદ્ર દૂષિત થતાં જ તમારા જીવનમાં ઘણા પ્રકારની ખામી થવા લાગી છે તેવું અનુભવવા લાગો છો. કારણ કે ચંદ્ર મન અને જળનું પ્રતીક છે, જ્યારે રાહુ મગજને બગાડે તેને એક રીતે ઝેર તરીકે માનવામાં આવે છે. આ રીતે પાણી ઝેરી બની જાય છે. જે પહેલા વ્યક્તિના મન પર અસર કરે છે અને બીજું તેના શરીર પર ઉપર પણ ખરાબ અસર કરી શકે છે.
દ્વેષની લાગણી:
ચંદ્ર અને રાહુના સંયોજનને કારણે મન અને મગજ ઝેરી થઈ જાય છે. તેથી, લોકોમાં સહનશીલતાનો અભાવ થવા લાગે છે. મનમાં એક બીજા પ્રત્યે નફરતની ભાવના જાગે છે. તે અંદરોઅંદર ઝઘડા, કંકાસ અને તણાંવના સંજોગો બનવા લાગે છે. આજના સમયમાં લોકો વચ્ચે જાણેઅજાણે આ રીતે કોઈને કોઈ મુશ્કેલીઓ અનુભવાય છે. તેની પાછળનું કારણ આ પ્રકારે વાસ્તુ દોષ હોઈ શકે છે.
દુર્ઘટનાઓના બનાવો વધવા લાગે છેઃ
આની સાથે વધુ એક વાત કહીએ તેઓ તેને જાણીને પણ આપને નવાઈ લાગશે કે આજકાલ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ઠેરઠેર અચાનક બનતા અકસ્માતની ઘટનાઓ વધતી રહી છે. આ વિશે લાલ કતાબ મુજબ એક બાબત એવી પણ લખાઈ છે કે તે રાહુની ખામીને કારણે જીવનમાં અણધાર્યા અને અમંગળ બનાવો અને અકસ્માતોમાં વધારો થાય છે. તેથી, ઘરના શૌચાલય અને સીડી હંમેશાં સાફ રાખવા જોઈએ અને તેને ખામીથી મુક્ત રાખવા જોઈએ.
સંપત્તિનું નુકસાન:
શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જીવનમાં સંપત્તિનું આગમન ગુરુ અને ચંદ્રના સંયોગ દ્વારા થાય છે. રાહુની સકારાત્મક બાજુ એ છે કે જો ચંદ્ર મન દ્વારા મજબૂત થાય છે, તો તે કલ્પનાનો અધિપતિ છે, પૂર્વશક્તિ છે અને અદૃશ્યને જોવાની શક્તિ પ્રદાન કરે છે. તેથી, જ્યાં બંને વચ્ચેના સંબંધોમાં બગાડને કારણે પૈસાની ખોટ થાય છે, ત્યાં મન અને મગજ નબળા પડી જાય છે. જો તમને અચાનક વ્યવસાય અને નોકરીમાં આવકમાં ખોટ જણાય તો સમજવું કે તમારા ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ દોષ રહેલો છો.
શું હોવું જોઈએ:
વાસ્તુ શાસ્ત્રના મુખ્ય ગ્રંથ વિશ્વકર્મા પ્રકાશ અનુસાર, ‘પૂર્વામ સ્નન મંદિરામ’ એટલે કે બિલ્ડિંગની પૂર્વ દિશામાં બાથરૂમ હોવો જોઈએ. બીજી બાજુ, તે જ લખાણમાં કહેવામાં આવ્યું છે કે ‘અથવા નૈરત્ય માધ્યય પુરીષ ત્યાગ મંડીરમ’ એટલે પુરૂષ એટલે કે દક્ષિણ અને નૈરત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશાની મધ્યમાં આંતરડાની ગતિનું સ્થાન હોવું જોઈએ. જેનો અર્થ એવો કરી શકાય કે તે દિશામાં શૌચાલય બનાવડાવવું જોઈએ.
શૌચાલયને લગતા વાસ્તુ શાસ્ત્રના નિયમો:
જો તમારું શૌચાલય આકસ્મિક રીતે પૂર્વ દિશામાં ન બનાવવામાં આવ્યું હોય, તો તે મોટા નુકસાન અને જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. પ્રાથમિક સારવાર તરીકે, એ સ્થળે સિંહના શિકારની તસવીર બહાર મુકો. શૌચાલયમાં બેઠક યોગ્ય છે જો તે દક્ષિણ અથવા પશ્ચિમ તરફનો હોય એવું ધ્યાન રાખવું જોઈએ.
બાથરૂમના વાસ્તુ નિયમો:
બાથરૂમમાં વાસ્તુ ખામીને દૂર કરવા માટે બ્લુ મગ અને ડોલનો ઉપયોગ કરવો જોઈએ. બાથરૂમમાં કોઈપણ પ્રકારનું ચિત્ર ન મૂકવું જોઈએ પરંતુ યોગ્ય દિશામાં એક નાનો અરીસો હોવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ