દરરોજ સવારે જાગ્યા પછી પહેલા હુંફાળું લીંબુ પાણી પીવું જોઈએ .જેથી પાચનતંત્ર સારુ રહે છે.મોંની દુર્ગંધ દૂર થાય છે,શ્વાસની દુર્ગંધ દૂર થાય છે,મગજની શક્તિ વધે છે.લીંબુપાણીમાં રહેલા લીંબુનાં રસમાં હાઈડ્રોલ્કોરિક એ સિડ અને પિત સિક્રશનનાં પ્રોડ્કશનમાં વૃદ્ધિ કરે છે.જે પાચન માટે આવશ્યક છે.લીંબુમાં વિટામીન સી હોવાથી તે સ્વાસ્થય માટે ફાયદાકારક છે.તેનો વપરાશ નિયમિત રીતે ભોજનમાં થતો હોય છે.પણ સવારે લીંબુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.
મગજની શક્તિ વધારે છે પોટેશિયમ અને મેગ્નેશિયમનાં પ્રમાણનું આપણા મગજ પર સકારાત્મક પ્રભાવ પડે છે.લીંબુ પાણીમાં ડિપ્રેશનથી છૂટકારો અપાવવાનો ગુણધર્મ છે.તે પીવાથી ધ્યાન ધરવામાં પણ મદદ મળે છે. વજન ઓછુ કરવા માટે – વજન ઓછુ કરવા માટે લીંબુપાણીનાં સેવનને ઉત્તમ માનવામાં આવે છે.દરરોજ સવારે હુંફાળાં પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.આ નુસખો વજન અોછું કરવા માટે કારગર છે.
કેન્સરમાં પણ ફાયદાકારક કેન્સરથી ગ્રસ્ત વ્યકિત પાણીમાં છાલ સહિત લીંબુ નાખીને સેવન કરે તો લાભ થાય છે. કિડની સ્ટોનમાં આપે છે રાહત લીંબુ પાણી પેશાબને પાતળો રાખવામાં મદદ કરે છે તથા કિડનીમાં પથરીની તકલીફ ઉદભવતી નથી. ડાયાબિટીસ કરે કંટ્રોલ લીંબુપાણીનું સેવન હાઈ શુગરવાળા માટે ઉત્તમ વિકલ્પ છે.તે શરીરમાં ના શુગર લેવલને કંટ્રોલમાં રાખીને શરીરને રિહાઈડ્રેટ અને તાજગી બક્ષે છે. પાચનક્રિયા કરે છે ઠીક લીંબુપાણીમાં રહેલા લીંબુનાં રસમાં હાઈડ્રોલ્કોરિક એ સિડ અને પિત સિક્રેશનનાં પ્રોડકશનમા વૃદ્ધિ કરે છે,જે પાચન માટે આવશ્યક છે.તેમુ એસિડિટી અને ગઠિયાના રોગમાં પણ લાભદાયક પુરવાર થયું છે.જે લોકોને એસિડિટીનાં લીધે છાતીમાં બળતરા થતી હોય તેમને લીંબુ પાણીનું સેવન નિયમિત કરવું જોઈએ .
મિનરલ,આયરન,મેગ્નેશિયમ,ફાસ્ફોરસ,કેલ્શિયમ,પોટેશિયમ અને જીંકનાં ગુણોથી ભરપૂર લીંબુ ઘણી બિમારીઓ ને દૂર કરવામાં મદદરૂપ છે.તે સિવાય રોજ લીંબુ પાણીનું સેવન કરવાથી બોડી ડિટોક્સ થાય છે અને ઝેરી પદાર્થો બહાર નિકળી જાય છે,જેનાથી ઘણી ગંભીર બિમારીઓ થી બચી શકાય છે.ઠંડીમાં ગરમપાણી,મધ અને લીંબુનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઘણી તકલીફો દૂર થાય છે.વધારે પડતા લોકો વજન ઓ છુ કરવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે પણ તેના સિવાય પણ લીંબુ પાણીનાં બીજા ઘણા ફાયદા છે.આજ અમે આપને લીંબુ પાણીનાં અે જ ફાયદા વિશે જણાવશું.તો આવો જાણીઅે લીંબુપાણીનું સેવનથી થતા ફાયદા વિશે.