ભગવાન શ્રી વિષ્ણુ અને મહાદેવની જેમ ગણેશજીના ઘણા અવતાર છે. દ્વાપર યુગ, સત્યયુગ અને ત્રેતાયુગ એમ ત્રણેય યુગમાં શ્રી ગણેશ વિવિધ નામો, વાહનો, ગુણો અને સ્વરૂપો સાથે અવતાર ધારણ કર્યો હતો. ગીતા પ્રેસના પ્રકાશિત ‘અવતાર કથા’ પુસ્તક અનુસાર, શ્રી ગણેશ સત્યયુગામાં મહગોગ વિનાયક, ત્રેતાયુગમાં મયુરેશ્વર અને દ્વાપર યુગમાં શિવપુત્ર ગજાનન તરીકે થયો હતો. કલિયુગમાં પણ, શ્રીગણેશ ધુમકેતુનો અવતાર છે.
એકદંત કેમ કહેવાયા ગણેશજી? : શ્રીગગેશના એકદંત નામની પાછળ ત્રણ પૌરાણિક કથાઓ છે. ચાલો તેની વાર્તા જાણીએ.
બીજી દંતકથાઃ પરશુરામ સામે યુદ્ધ દરમિયાન તૂટ્યો હતો દાંત : સુપ્રસિદ્ધ માન્યતા અનુસાર પરશુરામ શિવને મળવા કૈલાશ આવ્યા હતા, પરંતુ દરવાજા પર ઊભેલા પુત્ર ગણેશે વારંવાર પરશુરામને અંદર ન જવા વિનંતી કર્યા પછી તેઓ ક્રોધિત થયા. પરશુરામે તેમને લડવા માટે પડકાર આપ્યો જેનો ગણેશે સ્વીકાર કર્યો. આ યુદ્ધ દરમિયાન, શ્રી ગણેશે પોતાનો દાંત ગુમાવ્યો.
ગજમુખાસુરે તેનું મૃત્યુ નજીક જોયું અને ઉંદરનો અવતાર ધારણ કર્યો અને આસપાસ દોડવાનું શરૂ કર્યું. ગણેશજીએ તેને પકડ્યો અને પોતાનું વાહન બનાવ્યું.
શાથી કહેવાયા મયુરેશ્વર? : એક વાર્તા મુજબ, ત્રેતાયુગમાં દેવતાઓ દૈત્યરાજ સિંધુના અત્યાચારથી ખૂબ હેરાન થતા હતા. દેવોને ત્રાસમાંથી મુકત કરવા મયુરેશ્વર તરીકે અવતર્યા હતા. ગણપતિએ માતા પાર્વતીને કહ્યું, “માતા, હું વિનાયક જ્ઞાનરાજ સિંધુને મારી નાખીશ.” પછી ભોલનાથે તેમને આશીર્વાદ આપ્યો કે, આ કામ નિશંક કોઈ વિઘ્ન વિના પૂર્ણ થશે. પછી મોર પર બેઠેલા, ગણપતિએ દૈત્ય સિંધુની નાભી પર હુમલો કર્યો અને તેનો અંત કરી અને દેવતાઓની જીત થઈ. તેથી તેમને ‘મયુરેશ્વર’નું બીરુદ મળ્યું. મયુરેશ્વરને ‘મોરેશ્વર’ પણ કહેવામાં આવે છે.