ભારતીય ધર્મ સંસ્કૃતિમાં એક દેવ એવા છે જેમની પૂજા સર્વ પ્રથમ કરવાની ટેક રખાયેલ છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં કે પછી કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવા પહેલાં અને લગ્નપ્રસંગના આરંભે આપણે સૌથી પહેલાં ગણેશ વંદના કરીએ છીએ.
ગણપતિજી મહાદેવ શિવ શંકર અને માતા પાર્વતીના બીજા નંબરના પુત્ર છે. તમને એ દંતકથા પણ ખ્યાલ હશે કે શંકર પાર્વતી બંને પુત્રો કારતિકેય અને શ્રી ગણેશ બંને પુત્રોને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું નક્કી કરાયું અને બંનેમાંથી કોણ પહેલું પરત ફરશે તેની હરિફાઈ રખાઈ. ત્યારે કારતિકેય તેમના મયુરપંખ વાહન પર સવાર થઈને નીકળી પડ્યાઅ જ્યારે ભારે કાયા સાથે ઉંદર પર બેસીને કઈરીતે ગણેશજી પ્રદક્ષિણા કરે? એ વિચારે એમણે એક યુક્તિ કરી અને તેમણે માતાપિતાને પ્રણામ કર્યા પાસપાસે ઉભાં રાખીને તેઓ બંનેની પ્રદક્ષિણા કરી. આ પ્રસંગે ભોળાનાથે પ્રસન્ન થઈને દુનિયામાં મંગળ કાર્યો પ્રહેલાં સૌ પ્રથમ પૂજાવવાનું વરદાન આપ્યું.
પ્રાચિન દંતકથાઓમાંથી કહેવાય છે ભોલેનાથે તેમના પુત્ર ગણેશનું કાપેલુ માથું ઉત્તરાખંડ એકની ગુફામાં રખાયું હતું. આ ગુફા ઉત્તરાખંડ વિસ્તારના પિથોરાગઢ પાસે સ્થિત છે. આ સ્થળને પાતાળ ભુવનેશ્વરના નામથી ઓળખાય છે. વર્ણન સ્કંદ પુરાણ જેવા પ્રાચિન ગ્રંથમાંથી વંચાયેલ કથા પ્રમાણે બાળ સ્વરૂપ ગણેશજીના કાપેલા માથાની અહીં એક મુર્તિ સ્થાપિત છે જેને આદિગણેશ કહે છે.