રંકમાંથી રાજા બનાવી શકે છે નાનકડી ફટકડી, બસ ઘરમાં આ જગ્યા પર રાખી દો તેને ટુકડા
આપણા ઘરમાં અને આપણી નજરની સામે જ એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે પરંતુ આપણે તેના ફાયદાઓ અને ખાસ ઉપયોગથી અજાણ હોવાથી તેના લાભથી વંચિત રહીએ છીએ. આવી જ એક વસ્તુ છે ફટકડી, આ નામ આવતાં જ મોટાભાગના લોકો મનમાં પાણી સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુ એવો વિચાર આવે. વધુમાં વધુ તેનો ઉપયોગ દાંત સાફ કરવા કે અને કોઈ ઘરગથ્થુ ઉપાયમાં થતો જોયો હશે અથવા તો તેના વિશે સાંભળ્યું હશે.
ફટકડી એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે અને આયુર્વેદમાં પણ તેનાથી થતા ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ફટકડીના લાભ વિશે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. જી હાં તમારા ઘરની શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધારવાનું કામ પણ ફટકડી કરી શકે છે.
– દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું ઘર સુખ, સમૃદ્ધિથી છલકતું રહે. પરંતુ વાસ્તુ દોષના કારણે તમામ પ્રયત્નો નિષ્ફળ થઈ જાય છે. ઘરમાં વાસ્તુ દોષ કોઈપણ કારણે હોય તેનાથી મકાનમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. આવા મકાનમાં સકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારવા એક કાચની પ્લેટમાં ફટકડીના નાના-નાના ટુકડા કરી બારી, દરવાજા અને બાલ્કનીમાં મુકી દો. આ ટુકડાને દર મહિને બદલી દેવા. આ ઉપાય કરવાથી કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ દૂર થઈ જશે.
– આવી જ રીતે બાથરૂમમાં પણ ફટકડીના ટુકડા ભરેલું બાઉલ રાખો અને દર મહિને આ બાઉલમાં રાખેલી ફટકડી બદલો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં ફેલાતી નથી.
– જો પરિવારના સભ્યોમાં ઝઘડો થતો હોય તેમણે આ ક્લેશ નિવારવા માટે પરિવારના મુખ્ય વ્યક્તિના પલંગ નીચે એક લોટો પાણી રાખવો જોઈએ. સવારે ગુરુમંત્ર અથવા ઇષ્ટદેવના નામનો ઉચ્ચાર કરીને આ પાણી પીપળાના ઝાડમાં અર્પણ કરવું જોઈએ. તેનાથી પારિવારિક તકરાર દૂર થઈ જશે અને ઘરમાં શાંતિ રહેશે.
– માન્યતા એવી પણ છે કે કોઈ દુકાન કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા કપડાના ટુકડામાં ફટકડી બાંધી લટકાવી દેવામાં આવે તો ઘરમાં તેમજ વ્યાપારમાં બરકત વધે છે.
– એવું માનવામાં આવે છે કે જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેના માટે દરરોજ રાત્રે સૂતા પહેલા ફટકડીથી દાંત સાફ કરવા જોઈએ. આ સિવાય સપ્તાહમાં એકવાર ફટકડીના પાણીથી નહાવું જોઈએ.
– ખરાબ સપનાથી છુટકારો મેળવવામાં પણ ફટકડી અસરકારક છે. તેના માટે તમારા પલંગની નીચે કાળા કપડામાં બાંધી અને ફટકડી રાખી દેવી. આ ઉપાય કરવાથી દુસ્વપ્નો આવતા તુરંત બંધ થઈ જશે. આ ઉપાય કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના ભયથી પણ મુક્ત થઈ જાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
– જો બાળકો ખરાબ સપનાથી ડરી જાગી જતા હોય તો કોઈપણ મંગળવાર અથવા રવિવારે બાળકના માથા પર ફટકડીનો ટુકડો બાળકના માથા પાસે મુકી રાખવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ