વધારે ઠંડીના કારણે શિયાળાની ઋતુમાં આંગળીઓ સોજી જાય છે. ખાસ કરીને જો તમે ઠંડા પાણીથી રસોઇ કરો અથવા ઠંડા પાણીથી કપડાં ધોવો છો અને ઘરનાં ઘણાં કામકાજને કારણે પણ આંગળીઓ સોજી જાય છે. જો આ સમસ્યાનું ધ્યાન ન રાખવામાં આવે તો કેટલીક વખત આ સમસ્યાના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તેથી, શિયાળાની ઋતુમાં આંગળીઓમાંથી સોજા દૂર કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો અપનાવવાની જરૂર છે. આ ટીપ્સની મદદથી તમે આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો.
સરસવ તેલ
રસોડામાં હાજર સરસવનું તેલ માત્ર રસોઈ માટે જ નહીં પરંતુ ઘણા ઘરેલું ઉપાયો માટે પણ વપરાય છે. શિયાળામાં, તમે આંગળીઓમાં સોજોની સમસ્યાને દૂર કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે સરસવનું તેલ ગરમ કરો, તેમાં થોડું મીઠું નાખો અને તમારા હાથની મસાજ કરો અથવા થોડા સમય માટે હાથ પર રહેવા દો. આ ઉપાયથી તમને ઘણો આરામ મળશે.
લસણનો ઉપયોગ કરો
આંગળીઓની સોજો દૂર કરવા માટે પણ લસણનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે સરસવના તેલમાં લસણ નાંખો અને થોડો સમય તેલ બરાબર ઉકાળો ત્યારબાદ તેને હાથ પર સારી રીતે લગાવો. આ ઉપાયથી તમારા હાથનો સોજો તરત જ અદૃશ્ય થઈ જશે.
થોડું ગરમ પાણી અને લીંબુનો રસ
જો ઠંડીની ઋતુમાં આંગળીઓમાં વારંવાર સોજો આવે છે, તો આ સમસ્યાને દૂર કરવા માટે નવશેકું પાણી અને લીંબુનો રસનો ઉપયોગ કરી શકાય છે. આ માટે વાસણમાં થોડું ગરમ પાણી લો અને તેમાં એક લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો. મિશ્રણ થયા પછી આ પાણીને તમારી આંગળીઓમાં સુતરાઉ કોટનની મદદથી લગાવો.
ઓલિવ તેલ અને હળદર
આંગળીઓના સોજોની સમસ્યાને દૂર કરવા માટે ઓલિવ તેલ અને હળદરનું મિશ્રણ પણ અસરકારક ઘરેલું ઉપાય છે. આ માટે હળદરના પાવડરમાં એક થી બે ચમચી ઓલિવ તેલ મિક્સ કરીને આ મિક્ષણ થોડીવાર માટે તમારી બધી આંગળીઓ પર લગાવો. થોડા સમય પછી તમારી આંગળીઓને નવશેકા પાણીથી સાફ કરો.
ડુંગળી પણ અસરકારક છે
તમે શાકભાજીમાં ડુંગળીનો ઘણો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી ત્વચા, વાળ અને સાંધા માટે પણ ફાયદાકારક છે. ખરેખર, ડુંગળીમાં એન્ટિ-બાયોટિક અને એન્ટી સેપ્ટિક તત્વો હોય છે, જે ખંજવાળ, સોજો, વાળ ખરવા અને સાંધાનો દુખાવો દૂર કરવામાં અસરકારક છે. તમારા આંગળીઓના સોજા દૂર કરવા માટે તમે ડુંગળીનો રસ આંગળી પર લગાવી શકો છો.
ફટકડી
પાણીમાં થોડી ફટકડી અને મીઠું નાખીને ઉકાળો. ત્યારબાદ આ પાણીથી આંગળીઓ ધોઈ લો. આ ઉપાય સોજો ઘટાડશે.
સરગવો
તમને જાણીને આશ્ચ્ર્ય થશે પણ સરગવો પણ આંગળીના સોજા દૂર કરવામાં ફાયદાકારક છે. આ માટે સરગવાને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીથી આંગળીઓને ધોઈ લો. આ સોજો ઘટાડશે અને પીડાને દૂર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત