દરેક વ્યકિતના જીવનમાં કોઈને કોઈ તકલીફ જરૂરી હોઈ છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે સામાન્યરીતે આપણે ભગવાનના શરણમાં જતા હોઈએ છીએ અને પૂજા પાઠ કરીએ છીએ. જોકે આના સિવાય અમુક બીજી પણ ચીજો હોઈ છે જે તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે. અર્થાત વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ પણ આ રીતની ઘરેલુ સમસ્યાઓના સમાધાનનો દાવો કરે છે. આ કડીમાં આજ અમે તમને ‘કાચબા’ સબંધિત અમુક કામના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
View this post on Instagram
કાચબાને ખૂબ શુભ જાનવર માનવામાં આવે છે. હિંદુ ધર્મની વાત કરીએ તો આ વિષ્ણુ ભગવાનનો એક અવતાર (કચ્છપ) પણ હતો. તમે પણ ઘણા ઘરોમાં કાચબાની મૂર્તિને શો પીસમાં રાખેલી નિહાળી હશે. ઘણા તો કાચબાની વિંટી પણ પહેરે છે. એવામાં આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરમાં ક્યા પ્રકારનો કાચબો રાખવાથી શું શું લાભ મળે છે.
સંતાનપ્રાપ્તિ માટે
View this post on Instagram
જો કોઈ જોડાને લાખ પ્રયાસો છતા સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેને પોતાના ઘરમાં કાચબાની એવી મૂર્તિ રાખવી જોઈએ જેની પીઠ પર એક બાળક વાળો કાચબો બેસેલો હોઈ. આવુ કરવાથિો સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
ઘરમાં શાંતિ માટે
ઘરમાં લડાઈ ઝગડા અને કલેશ થવો ખૂબ સાધારણ વાત છે. જોકે ઘણીવાર આ કાંઈક વધુ જ વધી જાય છે અને ચીજો હાથથી સરકવા લાગે છે. આ સ્થિતિમાં તમે ઘરનાં ‘કાચબાની જોડી’ રાખો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે અને લડાઈ ઝગડા નહિ થાય.
View this post on Instagram
પૈસાની અછત દૂર કરવા માટે
જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી. કે ઓફિસ, દુકાનમાં નુક્સાન થઈ રહ્યુ છે તો આ ઉપાય કરો. તમારા ઘર, ઓફિસ કે દુકાનની ઉતર દિશામાં ‘ક્રિસ્ટલનો બનેલો કાચબો’ રાખો. તેને તમારે કોઈ સુકી જગ્યાને બદલે પાણીથી ભરેલા કોઈ વાસણ કે શો-પીસમાં રાખવો જોઈએ. તેનાથી ઘરમાં પૈસાની અછત નથી થતી અને ધનની આવક પણ વધવા લાગે છે.
સફળ કરિયર માટે
View this post on Instagram
Welded tortoise planter. Made from horse shoes and scrap metal #upcycledmetal #metaltortoise
જો તમે એક વિધાર્થી છો કે નોકરીમાં સફળતાના ઝંડા ગાળવા ઈચ્છો છો તો તમારે ઘરમાં ‘ધાતુથી બનેલો કાચબો’ રાખવો જોઈએ. આવુ કરવાથી તમારા કરિયરમાં ઘણાબધા લાભ આવશે જેનો ફાયદો ઉઠાવીને તમે તમારી નાવડી પાર લગાવી શકશો. વિધાર્થી તો તેને પોતાના સ્ટડી રૂમમાં પણ રાખી શકે છે. આ તમારી બુધ્ધિનો વિકાસ કરશે અને પરિક્ષામાં તમારા વધુ નંબર લાવવામાં મદદ કરશે.
લાંબા આયુષ્ય માટે
વધુ વર્ષો સુધી જીવવાની ચાહ તો બધાને હોઈ છે. એવામાં પોતાના સારા સ્વાસ્થય અને અન્ય લાભ માટે તમે હાથમાં ‘કાચબા વાળી વીંટી’ પહેરો. તેનાથી તમે સ્વસ્થ રહેશો અને સાથે જ કોઈ દુર્ઘટનાનો શિકાર પણ નહિ બનો. આ રીતે આ તમારું આયુષ્ય વધારશે.
ઘણા દેશો અને ધર્મોમાં પણ કાચબાના મહત્વને દર્શાવવામાં આવ્યુ છે. અા ઘર માટે ખૂબ શુકન વાળી ચીજ હોઈ છે. અમુક લોકો તો ઘરમાં અસલી કાચબો પણ પાળે છે. આ પણ શુભ હોઈ છે. આમ તૌ તમે તમારી સમસ્યા મુજબ તે જ પ્રકારના કાચબાનો ઉપયોગ કરો જેના બાબતે અમે તમને આ લેખમાં જણાવ્યું છે.
ખૂબ શુભ હોઈ છે ઘરમાં ક્રિસ્ટલ કાચબો રાખવો, ૨૪ કલાકમાં રંકથી બની જશો રાજા
દરેક માણસ મોટો બનવા માંગે છે અને પૈસા કમાવા માંગે છે. તે ઈચ્છે છે કે તેના પાસે એટલા પૈસા હોઈ જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકે. પરંતુ કોઈ પણ ચીજ મેળવવા માટે મહેનતની આવશ્યકતા હોઈ છે. એવા ઘણા ઓછા લોકો હોઈ છૈ જે વગર મહેનત કર્યે નામ કમાઈ લે છે. એવા લોકોની કિસ્મત તેમના સાથે હોઈ છે. પરંતુ બધાની સાથે આવુ નથી હોતુ. સમાજમાં એક અમીર અને સફળ વ્યકિત બનચા માટે સખત પરિશ્રમની જરૂરત હોઈ છે. શું તમે વગર મહેનત કર્યે કોઈને અમીર બનતા જોયા છે? કદાચ ના, કારણ કે આવુ થતુ જ નથી. વડિલો કહે છે કે વગર મહેનતે ફળ નથી મળતુ. તેમનુ માનવુ છે કે જો વ્યકિતના કર્મ સારા હશે તેને સફળતા આપમેળે મળશે. પરંતુ ઘણીવાર સખત પરિશ્રમ કરવા છતા પણ લોકો સફળ નથી થઈ શકતા અને તેમના હાથ હમેંશા નિરાશા જ લાગે છે. જો તમે પણ તેમાંથી એક છો તો હવે તમારે ચિંતિત થવાની જરૂર નથી.
ફેંગશુઈમાં પણ કાચબાનું છે વિશેષ સ્થાન
ફેંગશુઈનું ચલણ હાલનાં દિવસોમાં વધતુ જઈ રહ્યુ છે અને સાથે જ આમાં વિશ્વાસ કરવા વાળા લોકોની સંખ્યા પણ. તેનુ મુખ્ય કારણ છે આમાં જણાવવામાં આવેલી સરળ ટીપ્સ. આ ટીપ્સ એટલી સરળ હોઈ છે જેનો ઉપયોગ આસાનીથી કરી શકાય છે. ફેંગશુઈ અને વાસ્તુમાં કાચબાનું ખૂબ મહત્વ છે. એટલે આજ અમે તમારા માટે કાચબાનો એક એવો ઉપાય લઈ આવ્યા છીએ જેને કરવા પર સફળતા જરૂર તમારા કદમ ચૂમશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે.
શુભતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે કાચબો
ખરેખર, ફેંગશુઈમાં ક્રિસ્ટલના કાચબાને એક વિશેષ સ્થાન પ્રાપ્ત છે. કહેવાય છે કે ક્રિસ્ટલ કાચબો ઘરમાં રાખવો ખૂબ શુભ હોઈ છે. તેનાથી ઘરમાં દૈવીય ઉર્જાનું સંચાલન થાય છે અને આ વ્યકિતના અશુભ ગ્રહોને તેના અનુકુળ બનાવીને તેના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત કરી દે છે. ક્રિસ્ટલના કાચબાનો સાચો ઉપયોગ વ્યકિતના જીવનમાં ચાલી રહેલી અનેક બાધાઓ ખતમ કરી દે છે. કાચબાને સનાતન હિંદુ ધર્મના સિવાય ચાઈનાના પ્રખ્યાત ફેંગશુઇ વાસ્તુમાં શુભતા અને સમૃદ્ધિનું પ્રતિક કહેવામાં આવ્યુ છે.
ઘરમાં જળવાઈ રહે છે સકારાત્મકતા
કહેવાય છે કે દરેક વ્યકિતને પોતાના ઘરમાં કાચબો કે પછી કાચબાનું પ્રતિક રાખવું જોઈએ. તેને ઘરમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે અને ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. તેને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે અને ઘરનું વાતાવરણ ખુશખુશાલ બની જાય છે. એટલુ જ નહિ, આ ઘરવાળાના સ્વાસ્થય પર પણ સારી અસર પાડે છે. ફેંગશુઈ અને વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને એક ખૂબ જ પ્રભાવશાળી યંત્ર જણાવવામાં આવ્યુ છે.
ધન સબંધિત મુશ્કેલીઓથી મળે છે મુક્તિ એટલું જ નહિ, કાચબાને ધન પ્રાપ્તિનુ સૂચક પણ કહેવામાં આવે છે. ધન સબંધિત મુશ્કેલીઓ થવા પર ક્રિસ્ટલ કાચબો ઘરમાં રાખવાથી બધુ તકલીફો દૂર થઇ જાય છે. તેને પોતાના ઘર, કાર્યસ્થળ કે પછી તિજોરીમાં રાખો. તેને સ્થાપિત કરવા માટે ગુરુવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એવુ એટલે કારણ કે કાચબો ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે અને ભગવાન વિષ્ણુનો ગુરુવારના દિવસે પૂજવામાં આવે છે. એટલે ગુરુવારના દિવસે આને સ્થાપિત કરવાથી બેગણુ ફળ પ્રાપ્ત થાય છે. તેને તમે ઘર કે ઓફિસની ઉત્તર દિશામાં રાખો. તેને એ રીતે સ્થાપિત કરો જેનાથી કે તેનુ મોં ઘરની અંદરની તરફ રહે. તેને સુકામાં રાખવાને બદલે કાચના કટોરામાં થોડુ પાણી નાખીને રાખો. થોડા જ દિવસોમાં તેની અસર તમને તમારા અંગત જીવન અને વેપારમાં જોવા મળશે.
View this post on Instagram
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ