એવું કહેવાય છે કે જો તમને શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ નથી થઈ રહી તો તેનો અર્થ એવો થાય કે તમારા ફેફસા મજબૂત છે અને તે અનેક નાની મોટી બીમારીઓ સામે પ્રતિકાર કરવા સક્ષમ છે. આમ છતાં ફેફસા સ્વસ્થ રાખવા બાબતે ઘનાખરા લોકો બેદરકાર છે.
હવામાં પ્રદૂષણની સાથે સાથે સ્મોકિંગ કરવાની આદત, કોઈ પ્રકારની એલર્જી, રેસ્પીરેટરી ડીસીઝ આ બધું મળીને શ્વાસ સંબંધી સમસ્યા ઉભી કરે છે. એટલા માટે ફેફસાનું ધ્યાન રાખવું એ બહુ અગત્યની બાબત છે. એ તો લગભગ સૌ કોઈ જાણે છે કે ફેફસાનું કામ શરીરમાં લોહી દ્વારા ઓક્સિજન પહોંચાડવાનું હોય છે. એટલું જ નહીં જો તમારા ફેફસા મજબૂત નથી તો તમને કોરોના વાયરસનું સંક્રમણ થવાનું જોખમ પણ વધી જાય છે કે કારણ કે કોરોના વાયરસ સીધો ફેફસા પર જ હુમલો કરે છે અને તેને નુકશાન પહોંચાડી તે તમારો જીવ પણ લઈ શકે છે.
ફેફસાને મજબૂત રાખવા માટે એ વાત ખૂબ મહત્વની છે કે તમે તમારા આહાર પર ધ્યાન આપો અને આહારમાં એ ચીજવસ્તુઓને શામેલ કરો કે જેથી ફેફસાની સ્વસ્થતા જળવાઈ રહે. એ સિવાય નિયમિત રીતે કસરત કરવાથી પણ ફેફસાની કાર્ય ક્ષમતામાં વધારો કરી શકાય છે. ત્યારે આજના આ સ્વાસ્થ્ય સંબંધી લેખમાં અમે તમને એક એવા આયુર્વેદિક નુસખા વિશે જણાવીશું જેનો લેપ બનાવી લગાવવાથી તમારા ફેફસા મજબૂત બનશે અને તે અનેક રોગો સામે લડવા સહાયક રહેશે.
ફેફસાની કાર્ય ક્ષમતા વધારવા અને તેને મજબૂત બનાવવા માટેનો આયુર્વેદિક લેપ બનાવવા સારું જરૂરી સામગ્રી
- – અડધી ચમચી કાચી હળદર અથવા તેનો પાવડર
- – 5 થી 6 લસણ
- – અડધી ડુંગળી
- – દિવ્યધારા
- – આદુનો ટુકડો
લેપ લગાવવા માટેની રીત
હળદર, લસણ, આદુ અને ડુંગળીને ગ્રાઈન્ડરમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેમાં થોડા ટીપાં દિવ્યધારા નાખી બરાબર મિક્ષ કરી લો. હવે આ લેપને છાતી પર વ્યવસ્થિત રીતે લગાવો અને ત્યારબાદ તેને કોટનના પાતળા વડે થોડી વાર માટે ઢાંકેલું રાખો. આ લેપ લગાડવાથી ફેફસા સંબંધી અનેક નાની મોટી સમસ્યાથી છુટકારો અને નવી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
છાતી પર આ આયુર્વેદિક લેપ લગાવવાથી થતા ફાયદા
- – ફેફસામાં પડેલી મોટી ગાંઠો ઓછી કરવામાં સહાયક બને છે
- – ન્યુમોનિયા બીમારીમાં દર્દી માટે રાહત
- – ફેફસાની અંદર જમા થયેલ કફને દૂર કરે છે
- – ફેફસાને પ્રાકૃતિક રૂપે મજબૂત બનાવવામાં સહાયક બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!