૨ રૂપિયાની ફટકડીના આટલા બધા છે ઉપાયો, જાણીને તમે ચૌકી જ જશો, એકસાથે આટલા ઉપાયો કોઈ જગ્યાએ વાંચવા નહી મળે …

ફટકડીને અંગ્રેજીમાં એમલ કહેવાય છે. આ હકીકતમાં પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે. આમાં ઘણી પ્રકારના અૌષધિય ગુણ હોઈ છે. આયુર્વેદમાં તેને ઘણા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. અા રક્ત શોધક અને રક્ત સ્તંભક છે. આ એંટિસેપ્ટિક અને એંટિ બેક્ટિરિયલની જેમ પણ કામ કરે છે.

ફટકડી લાલ અને સફેદ બે પ્રકારની હોઈ છે. બન્નેના ગુણ લગભગ સમાન હોઈ છે. સફેદ ફટકડીનો જ મોટાભાગે ઉપયોગ કરવામાં અાવે છે. આ સંકોચક અર્થાત સિકુડન પેદા કરનાર હોઈ છે. શરીરની ત્વચા, નાક, આંખો, મૂત્રાંગ અને મળદ્વાર પર તો સ્થાનિક (બહારી) ઉપયોગ કરવામાં આવે છે. લોહી વહેવય, ઝાળા, કુકુર ઉધરસ તેમજ શ્વાસમાં તેના આંતરિક સેવનથી લાભ મળે છે.

આગળ જાણો ફટકડીના ખૂબ સરસ ઉપયોગ

-જો પરસેવો વધુ આવે છે તો નહાવાના પાણીમાં ફટકડી નાખીને નહાવુ. પરસેવો આવવાનો ઑછો થઈ જશે.

-ચહેરાની કરચલીઑ દૂર કરવા માટે ફટકડીના ટુકડાને પાણીમાં ડુબાડીને ચહેરા પર હળવા હાથે ઘસવી. સુકાઈ ગયા બાદ સાદા પાણીથી ધોઈ લો. થોડા જ દિવસોમાં કરચલીઑ દૂર થશે.

-પેઢામાં લોહી આવતુ હોઈ તો ફટકડીને પાણીમાં ઑગાળીને કોગળા કરવાથી મટે છે.

-ઝેરી જીવડુ કે વિચ્છી કરડે તો પાણીમાં ફટકડીનો પાઉડર નાખીને ઘાટુ મિશ્રણ બનાવીને લગાવવાથી આ આરામ મળે છે.

-દાંતમાં દુ:ખાવો હોઈ તો ફટકડી અને કાળુ કરચુ સમાન માત્રામાં પીસીને તેને દુ:ખાવા વાળા દાંતના પેઢા પર લગાવો. તેનાથી દુ:ખાવો ઑછો થઈ જાય છે.

-શરીર પર થયેલી ઈજામાંથી લોહી નિકળી રહ્યુ હોઈ તો ફટકડીનો પાઉડર ઘાવ પર છાંટવાથી લોહી નિકળવાનું બંધ થઈ જાય છે.

-ફટકડી મેળવેલા પાણીથી થોડા દિવસ માથુ ધોવાથી જુ ખતમ થઈ જાય છે.

-બવાસીરમાં ફટકડીનો પાઉડર માખણમાં મેળવીને મસ્સા પર લગાવવાથી ખૂબ લાભ થાય છે.

-નાકથી લોહી નિકળવા પર ફટકડીના ઘોળમાં રૂ ડુબાડીને નાકમાં લગાડવાથી લોહી બંધ થઈ જાય છે.

-ઈજા માટે ફટકડીને શેકીને પીસીને ઘીમાં મિક્સ કરીને ઈજા પર લગાડવાથી જખમ રૂઝાઈ જાય છે.

-દાઢી બનાવવા, વાળ કાપ્યા બાદ ફટકડી ઘસવી કે પાણીમાં ભીની કરી દાઢી પર લગાવવી. તેનાથી દાઢીની ચામડી સુંદર અને સ્વસ્થ થાય છે.

-જ્યાં કીડી અને ઉધઈ હોઈ ત્યાં સરસિયાનુ તેલ લગાવીને ફટકડી નાખવાથી કીડીઑ અને ઉધઈ નથી આવતી.

વિભિન્ન રોગોમાં ઉપચાર

જનનાંગોની ખંજવાળ

ફટકડીને ગરમ પાણીમાં મેળવીને જનનાંગોને ધોવાથી જનનાંગોની ખંજવાળમાં લાભ થાય છે.

ટાંસિલ (ગળામાં ગાંઠ)નુ વધવુ

ટાંસિલ વધવા પર ગરમ પાણીમાં ચપટી ફટકડી અને એટલી જ માત્રામાં મીઠુ નાખીને કોગળા કરવા.

ગરમ પાણીમાં મીઠુ કે ફટકડી મેળવીને તે પાણીને મોની અંદર ભરીને માથુ ઉંચુ કરીને કોગળા કરવાથી ગળાની ખરાશ, ટાંસિલ, કાંકડો વધવો, વગેરે રોગોમાં લાભ થાય છે.

૫ ગ્રામ ફટકડી અને ૫ ગ્રામ નીલેથોથે ને સારી રીતે પકાવીને તેની અંદર ૨૫ ગ્રામ ગ્લીસરીન મેળવીને રાખી લો. પછી સાફ રૂ અને ફુહેરી બનાવીને તેને ગળાની અંદર લગાવવા અને લાર ટપકાવવાથી ટાંસિલનો સોજો મટી જાય છે.

ઈજામા લોહી નિકળવુ

ઈજા તાજી હોઈ, વાગેલુ, છેકો લાગીને ઈજા પહોચી હોઈ, તેમાંથી લોહી નિકળી રહ્યુ હોઈ. એવા જખમને ફટકડીના પાણીથી ધોવો તેમજ જખમ પર ફટકડી પીસીને તેનો પાઉડર છાંટવા, લગાડવા અને દબાવવાથી લોહી નિકળવાનુ બંધ થઈ જાય છે. શરીરમાં ક્યાંયથી પણ લોહી નિકળી રહ્યુ હોઈ તો એક ગ્રામ ફટકડી પીસીને ૧૨૫ ગ્રામ દહી અને ૨૫૦ મિલી પાણી મેળવીને લસ્સી બનાવીને સેવન કરવાથી ખૂબ લાભદાયક હોઈ છે.

લોહીવાળી બવાસીર

લોહીવાળી બવાસીર હોઈ અને ગુદ્દો બહાર આવતો હોઇ તો ફટકડીને પાણીમાં ઘોળીને ગુદ્દામાં પીચકારી દેવાથી લાભ મળે છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી પીસેલી ફટકડી મેળવીને પ્રતિદિન ગુદ્દાને ધોવો તેમજ સાફ કપડાને ફટકડીના પાણીમાં પલાળીને ગુદ્દા પર રાખો.

૧૦ ગ્રામ ફટકડીને જીણી પીસીને તેના ચૂર્ણને ૨૦ ગ્રામ માખણ સાથે મિક્સ કરીને બવાસીરના મસ્સા પર લગાડવાથી મસ્સા સુકાઈને ખરી જાય છે. ફટકડીને પાણીમાં ઑગાળીને તે પાણી દ્વારા ગુદ્દાને ધોવાથી લોહીવાળી બવાસીરમાં લાભ થાય છે.

શેકેલી ફટકડી અને નીલાથોથા ૧૦-૧૦ ગ્રામ પીસી ૮૦ ગ્રામ ગાયના ઘીમાં મિક્સ કરીને રોજ સવાર-સાંજ બવાસીરના મસ્સા પર લગાડો. તેનાથી મસ્સા સુકાઈને ખરી જાય છે.

સફેદ ફટકડી ૧ ગ્રામ માત્રામાં લઈ દહીની મલાઈ સાથે ૫ થી ૭ અઠવાડિયા ખાવાથી લોહી વાળી બવાસીરમાં લોહી વધુ પડવાનુ ઑછુ થઈ જાય છે.

શેકેલી ફટકડી ૧૦ ગ્રામ, રસોત ૧૦ ગ્રામ અને ૨૦ ગ્રામ ગેરુને પીસીને ચાળી લો. તેને લગભગ ૩-૩ ગ્રામની માત્રામાં પ્રતિદિન સવાર-સાંજ ખાવાથી લોહીવાળી તેમજ બાદી બવાસીરમાં લાભ મળે છે.

ઘાવ

ફટકડીને તાવડી પર મુકી ગરમ કરીને રાખ બનાવી લો. તેને પીસીને ઘાવ પર દબાવો તેનાથી ઘાવ રૂઝાઈ જશે. ઘાવને ફટકડીના ઘોળથી ધોવો અને સાફ કરો.

૨ ગ્રામ શેકેલી ફટકડી, ૨ ગ્રામ સિંદૂર અને ૪ ગ્રામ મુર્દાસંગ લઈ ચૂર્ણ બનાવો. ૧૨૦ મિલિગ્રામ મીણ અને ૩૦ ગ્રામ ઘી મેળવી ધીમા તાપ પર પકાવી લો. પછી નીચે ઉતારી તેમાં અન્ય વસ્તુઑના પીસેલા ચૂર્ણને સારી રીતે મિક્સ કરી લો. આ તૈયાર મલમને ઘાવ પર લગાડવાથી દરેક પ્રકારના ઘાવ રૂઝાઈ જાય છે.

ફટકડી, સજ્જીક્ષાર અને મદાર નુ દૂધ આ બધાને મિક્સ કરી પીસીને લેપ બનાવી લો. આ લેપ ઘાવ પર લગાડવાથી બળતરા અને દુ:ખાવો મટે છે.

શેકેલી ફટકડીને ચાળીને ઘાવ પર છાંટવાથી ઘાવથી સડેલુ માંસ બહાર નિકળી આવે છે અને દુ:ખાવામાં આરામ થાય છે.

આગથી બળવાને કારણે ઉત્પન્ન થયેલા ઘાવને મટાડવા માટે જુની ફટકડીને પીસીને દહીંમા મેળવીને લેપ લગાડવો જોઈએ.

૫ ગ્રામ ફૂલેલી ફટકડીનુ ચૂર્ણ બનાવી દેશી ઘીમાં મેળવી દો, પછી તેને ઈજા પર લગાવો. તેનાથી ઘાવ રૂઝાઈ જાય છે.

કોઈપણ અંગથી લોહી નિકળવુ: એક ગ્રામ ફટકડી પીસી ૧૨૫ ગ્રામ દહી અને ૨૫૦ મિલીમીટર પાણી મિક્સ કરી લસ્સી બનાવીને પીવાથી ક્યાંયથી પણ રક્તસ્ત્રાવ હોઈ, બંધ થઈ જાય છે.

નસકોરી

ગાયના કાચા દૂધમાં ફટકડી ઑગાળીને સૂંઘવાથી નસકોરી મટે છે. જો નાકથી લોહી બંધ ના થાય તો ફટકડીને પાણીમાં ઑગાળીને તેમાં કપડુ પલાળીને માથા પર રાખવુ. ૫-૧૦ મિનિટમાં લોહી બંધ થઈ જશે. ચોથાઈ ચાની ચમચી ફટકડી પાણીમાં ઑગાળી રોજ ત્રણ વાર પીવી જોઈએ.

જો નાકથી સતત લોહી વહી રહ્યુ હોઈ તો ૩૦ ગ્રામ ફટકડીને ૧૦ મિલી પાણીમાં મેળવીને તે પાણીમાં કોઈ કપડુ પલાળીને માથા અને નાક પર રાખવાથી નાકથી લોહી વહેવાનુ બંધ થઈ જાય છે.

ગાયના કાચા દૂધમાં ફટકડી મેળવીને સૂંઘવાથી નાકથી લોહી નિકળવાનુ બંધ થઈ જાય છે.

મોનુ લિબલિબાપણુ: સંચળ અને ફટકડી સમાન માત્રામાં મેળવી પીસીને તેના પાઉડરથી મંજન કરવાથી દાંત અને મોંનુ લિબલિબાપણુ દૂર થાય છે.

આંખોમાં દુ:ખાવો: એક ગ્રામ ફટકડી, ૪૦ ગ્રામ ગુલાબજળમાં પલાળીને શીશીમાં ભરી લો. તેના બે-બે ટીપા આંખમાં રોજ નાખો. તેનાથી આંખનો દુ:ખાવો, ચીપડા, લાલાશ વગેરે દૂર થશે. રાત્રે સુતા સમયે આંખમાં નાખવાથી તરાવટ રહે છે. આ રોજ નાખી શકો છો.

આંગળીઑના સોજા: પાણીમાં વધુ કામ કરવાથી શિયાળામાં આંગળીઑમાં સોજા કે ખંજવાળ થઈ જાય તો પાણીમાં ફટકડી ઉકાળીને તેનાથી આંગળીઑ ધોવાથી લાભ થાય છે.

પાયોરિયા, પેઢામાં દુ:ખાવો, સોજો, લોહી નિકળવુ: એક ભાગ મીઠુ, બે ભાગ ફટકડી જીણુ પીસી પેઢા પર રોજ ત્રણ વાર લગાવો. પછી એક ગ્લાસ ગરમ પાણીમાં પાંચ ગ્રામ ફટકડી નાખીને હલાવીને કોગળા કરો. તેનાથી પેઢા અને દાંત મજબૂત થશે. તેનાથી લોહી નિકળવુ અને મવાદ આવવાનુ બંધ થઈ જશે.

દાંતનો દુ:ખાવો:

શેકેલી ફટકડી, સરસિયુ તેલ, સિંધાલુ મીઠુ, નૌસાદર, સંભાર મીઠુ ૧૦-૧૦ ગ્રામ અને તૂતિયા ૬ ગ્રામ મેળવીને જીણુ પીસી કપડાથી ગાળી લો. તેને દાંત પર ઘસવાથી દાંતનો દુ:ખાવો, હલવા, ટીસ મારવા, પેઢા ફૂલાવા* , પેઢાથી રસી નિકળવી તેમજ પાયોરિયા રોગ મટી જાય છે.

ફટકડી જીણી પીસીને પાઉડર બનાવી લો. તેનાથી રોજ મંજન કરવાથી દાંતનો દુ:ખાવો જલ્દી મટે છે.

ફટકડીને ગરમ પાણીમાં ઑગાળીને સતત કોગળા કરવાથી દાંતમાં થઈ રહેલા વધુ દુ:ખાવાથી જલ્દી આરામ મળે છે.

શેકેલી ફટકડી ૧ ગ્રામ, કાથૌ ૧.૫ ગ્રામ અને શેકેલા તૂતિયા ૨૪૦ મિલિગ્રામ આ બધાને જીણા પીસીને ગાળીને મંજન જેવુ બનાવી લો. તેને રોજ સવાર સાંજ મંજનને દાંત પર ઘસો. તેનાથી દાંત મજબૂત થાય છે.

દાંતમાં હોલ હોઈ, દુ:ખાવો હોઈ તો ફટકડી રૂમાં રાખીને હોલમાં દબાવી દો અને લાળ ટપકાવો દાંતનો દુ:ખાવો મટી જશે.

મલેરિયા તાવ

એક ગ્રામ ફટકડી, બે ગ્રામ ખાંડકાં મેળવી મલેરિયા તાવ આવતા પહેલા બે-બે કલાકે બે વાર લો. મલેરિયા નહિ આવે અને આવશે તો પણ ઑછો. પછી જ્યારે બીજીવાર પણ મલેરિયા આવવાનો હોઈ ત્યારે આજ રીતે આપતા રહો. આ પ્રયોગ દરમિયાન દર્દીને કબજિયાત ના હોવી જોઈએ. જો કબજિયાત હોઈ તો પહેલા કબજિયાત દૂર કરવી.

લગભગ ૧ ગ્રામ ફટકડીને ફૂલેલા પતાશામાં નાખીને તેને તાવ આવ્યા ના ૨ કલાક પહેલા દર્દીને ખવડાવવાથી તાવ ઑછો ચડે છે.

લગભગ ૧ ગ્રામ ફટકડીમાં ૨ ગ્રામ ખાંડ મેળવી મલેરિયા તાવ આવતા પહેલા ૨-૨ કલાકના અંતરનાં ૨-૨ વાર આપો. તેનાથી મલેરિયા તાવ ઑછો થઈને ઊતરી જાય છે.

ફૂલેલી ફટકડીના ચૂર્ણમાં ૪ ગણી પીસેલી ખાંડ સારી રીતે મિક્સ કરી લો. તેને ૨ ગ્રામની માત્રામાં હુંફાળા પાણી સાથે ૨-૨ કલાકના અંતર પર ૩ વાર લો. તેનાથી મલેરિયા તાવમાં લાભ થાય છે.

ઝાળા અને પેચિશ

ફટકડી ૨૦ ગ્રામ અને અફીણ ૩ ગ્રામને પીસીને મેળવી લો. સવાર-સાંજ આ ચૂર્ણને દાળના બરાબર પાણી સાથે દર્દીને પીવડાવો તેનાથી ઝાળામાં લાભ થશે. પછી ત્રણ કલાક બાદ ઈશબગુલના ભૂક્કા સાથે આપો તો પેચિશ બંધ થઇ જશે અને લોહી આવવાનુ પણ બંધ થઈ જશે.

૧૨૦ મિલિગ્રામ ફટકડી બાળીને મધ સાથે એક દિવસમાં ૪ વાર પીવાથી લોહીવાળા ઝાળા અને પાતળા ઝાળા આવવાનુ બંધ થાય છે. ભોજનમાં સાબુદાણાની ખીર કે જવના દળિયા લો.

૧ ગ્રામ ફટકડીને ૧ કપ છાશ સાથે એક દિવસમાં ૩ વાર પીવાથી ગરમીના કારણે આવનાર લોહીવાળા ઝાળામાં લાભ થાય છે.

૨૦ ગ્રામ ફટકડી અને ૩ ગ્રામ અફીણ મેળવી પીસીને ચૂર્ણ બનાવીને રાખી દો, પછી આ બનેલા ચૂર્ણને થોડા પાણી સાથે પીવાથી ઝાળામાં લાભ મળે છે.

ફટકડીને શેકીને લગભગ ૨ ગ્રામ વેલના રસમાં મેળવીને પીવાથી લાભ મળે છે. શેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મેળવીને પીવાથી લોહીવાળા ઝાળા આવવાનુ બંધ થાય છે.


આંતરિક ઈજા: ચાર ગ્રામ ફટકડીને પીસીને અડધો કિલો ગાયના દૂધમાં મેળવીને પીવડાવાથી લાભ મળે છે.

સૂજાક

સૂજાકમાં પેશાબ કરતા સમયે બળતરા થાય છે. તેમાં પેશાબ ટીપુ-ટીપુ કરીને ખૂબ મુશ્કેલીથી આવે છે. એટલી વધુ તકલીફ થાય છે કે દર્દી મરવાનુ પસંદ કરે છે. આમાં ૬ ગ્રામ પીસેલી ફટકડી એક ગ્લાસ પાણીમાં ઑગાળીને પીવડાવો. થોડા દિવસ પીવડાવાથી સૂજાક મટે છે.

સાફ પાણીમાં પાંચ ટકા ફટકડી ઑગાળીને મિશ્રણ બનાવીને લીંગ ધોવુ જોઈએ.

ફટકડી, પીળો ગેરુ, નીલાથોથા, હરાકસીસ, સિંધાલુ, લોધ્ર, રસૌત, હરતાલ, મૈનસિલ, રેણુકા અને એલચીને સમાન માત્રામાં લઇ જીણુ ખાંડીને પીસીને ગાળી લો. આ ચૂર્ણને મધમાં મેળવીને લેપ કરવાથી ઉપદંશાના ઘાવ મટી જાય છે.

હાથપગમાં પરસેવો આવવો: જો પરસેવો આવે તો ફટકડી પાણીમાં ઑગાળીને તેનાથી હાથપગને ધોવો. તેનાથી પરસેવો આવવાનો બંધ થઈ જાય છે.

સુકી ઉધરસ: લગભગ ૧૦ ગ્રામ શેકેલી ફટકડી અને ૧૦૦ ગ્રામ ખાંડને જીણી પિસીને અંદરોઅંદર મિક્સ કરી લો અને સમાન માત્રામાં ચૌદ પડીકી બનાવી લો. સુકી ઉધરસમાં એક પડીકી રૌજ ૧૨૫ મિલીલિટર ગરમ દૂધ સાથે સુતા સમયે લેવી જોઈએ. તેનાથી સુકી ઉધરસમાં ખૂબ લાભ મળે છે.

કફવાળી ઉધરસ


૧૦ ગ્રામ શેકેલી ફટકડી અને ૧૦૦ ગ્રામ ખાંડ જીણી પિસીને અંદરોઅંદર મિક્સ કરી લો અને સમાન પ્રમાણમાં ૧૪ પડીકી બનાવી લો. સુકી ઉધરસમાં ૧૨૫ એમએલ ગરમ દૂધ સાથે એક પડીકી રોજ સુતા સમયે લેવી જોઈએ અને કફવાળી ઉધરસમાં ૧૨૫ એમએલ પાણી સાથે એક પડીકી રોજ લેવાથી કફવાળી ઉધરસમાં લાભ થાય છે.

ફટકડીને પીસીને લોખંડની કડાઈ કે તાવડામાં રાખીને શેકી લો. તેનાથી ફટકડી ફૂલીને શુધ્ધ થઈ જાય છે. આ શેકેલી ફટકડીનો ઘણા રોગોમાં સફળતાપૂર્વક વગર કોઈ હાનિએ ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી જુનીથી જુની ઉધરસ બે અઠવાડિયાની અંદર મટી જાય છે. સાધારણ અસ્થમા પણ દૂર થાય છે. ઉનાળાની ઉધરસ માટે આ ખુબ જ લાભકારી છે.

શ્વાસ, અસ્થમા

અડધા ગ્રામ પીસેલી ફટકડી મધમાં મેળવીને ચાટવાથી દમ, ઉધરસમાં આરામ મળે છે. એક ચમચી પીસેલી ફટકડી અડધો કપ ગુલાબજળમાં મેળવીને સવાર સાંજ સેવન કરવાથી અસ્થમા મટે છે.

એક ગાંઠ સૂંઠ, સફેદ ફટકડીના ફૂલા બે ગ્રામ, હળદરની એક ગાંઠ, ૫ કાળા મરચાને ખાંડમાં મેળવીને ખાવાથી શ્વાસ અનર ઉધરસ મટે છે. બારાસિંગાની ભસ્મ ૨ ગ્રામ, શેકેલી ફટકડી એક ગ્રામ, મિશરી ૩ ગ્રામ મેળવીને પાણીથી સવારના સમયે પાંચ દિવસ સુધી સતત સેવન કરવુ જોઈએ. તેનાથી શ્વાસ મટી જાય છે.

આગ પર ફૂલાવેલી ફટકડી ૨૦ ગ્રામ તેમજ મિશરી ૨૦ ગ્રામ બન્નેને પીસીને રાખી લો. આ ચૂર્ણ ૧ કે ૨ ગ્રામની માત્રામાં રોજ સવારના સમયે સેવન કરવાથી અસ્થમા રોગ નષ્ટ થાય છે. ફૂલેલી ફટકડી ૧૨૦ મિલીગ્રામની માત્રામાં મોંમા મુકીને ચૂસતા રહો. તેનાથી ના કફ બને છે અને ના અસ્થમા રોગ થાય છે.

ફૂલેલી ફટકડી અને મિશરી ૧૦-૧૦ ગ્રામ પીસીને રાખી લો. તેને દિવસમાં એક બે વાર દોઢ ગ્રામ ફાકી તાજા પાણી સાથે લેવી જોઇએ. તેનાથી જનો શ્વાસ પણ મટે છે. દૂધ, ઘી, માખણ, તેલ, ખટાશ, વધુ મરચા મસાલાથી દૂરી રાખવી જોઈએ. માખણથી નિકળેલો મટ્ઠો તેમજ શાકભાજીના રસ વગેરે લેવા જોઈએ.


પીસેલી ફટકડી એક ચમચી, અડધા કપ ગુલાબજળમાં મેળવીને સવાર-સાંજ પીવાથી અસ્થમા મટે છે.

ગર્ભપાત પીસેલી ફટકડી ચોથાઈ ચમચી એક કપ કાચા દૂધમાં નાખીને લસ્સી બનાવીને પીવડાવાથી ગર્ભપાત રોકાઈ જાય છે. ગર્ભપાતના સમયે દુ:ખાવો, રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોઈ તો દર બે-બે કલાકે એક-એક ખોરાક આપો.

વાંઝીયાપણ: માસિક-ધર્મ બરાબર હોવા છતા પણ સંતાન નથી થઈ રહ્યુ તો રૂ ના પુમડામાં ફટકડી વીટીને પાણીમાં પલાળીને રાત્રે સુતા સમયે યોનીમાં રાખો. સવારે કાઢવા પર રૂમાં દૂધની ખુર્ચન જેવુ જમા થશે. પુમડુ ત્યા સુધી રાખો, જ્યાં સુધી ખુર્ચન આવતુ રહે. જ્યારે ખુર્ચન આવવાનુ બંધ થઈ જાય તો સમજી જવુ જોઇએ કે વાંઝિયાપણાનો રોગ ખતમ થઈ ગયો છે.

કાનમાં કીડી ઘૂસી જવા પર: કાનમાં કીડી ઘૂસી જવા પર કાનમાં સુરસુરી થાય તો ફટકડીને પાણીમાં ઑગાળીને પીવાથી લાભ મળે છે.

વિચ્છી કરડવા પર: વિચ્છી કરડવા પર ફટકડીને પાણીમાં પીસીને લેપ લગાડવાથી વિચ્છીનુ ઝેર ઉતરી જાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ