જલ્સા કરોને જેંતીલાલ

ફરીથી જીવતા થશે એ આશામાં આ જગ્યાએ 146 મૃત લોકોના શરીર સાચવી રાખવામાં આવ્યા, ટેક્નોલોજી પર રાખ્યો વિશ્વાસ

તમારામાંના ઘણાંએ હોલિવૂડની લોકપ્રિય સાયન્સ ફિક્શન મૂવીઝ ઇંટરસ્ટેલર, પેસેન્જર, કેપ્ટન અમેરિકા, એલિયન કોવનેંટ જોઈ જ હશે. આ બધા ફિલ્મોમાં ક્રિઓજેનિક ચેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ક્રૂ મેમ્બર્સ લાંબા સમય સુધી તેમના શરીરને સ્થિર રાખી શકે છે. વર્ષો પછી જ્યારે તે તેમાંથી બહાર આવે છે, ત્યારે તેનું શરીર જેવું હોય તેવું જ બહાર આવે છે. મૂવી કેપ્ટન અમેરિકામાં બતાવવામાં આવ્યું છે કે 70 વર્ષ સુધી બરફમાં સ્થિર થયા પછી, તે ફરી સજીવન થાય છે અને એવું જ શરીર બહાર નીકળે છે.

image source

તાજેતરમાંલ જ કેટલાક દિવસો પહેલા કરંટ બાયોલોજીમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સાઇબિરીયામાં 24,000 હજાર વર્ષ બરફમાં સ્થિર થયા પછી ડેલોઇડ રોટીફર નામનો સૂક્ષ્મજીવાણ જીવંત બની ગયો હતો. આ એક આશ્ચર્યજનક સંશોધન હતું. આ બધાને ધ્યાનમાં રાખીને આ સવાલ ઉઠાવવો સ્વાભાવિક છે કે શું લાંબો સમય ક્રાયોજેનિક સ્લીપમાં રાખ્યા પછી મનુષ્ય પણ જીવિત થઈ શકે છે? શું ભવિષ્યમાં એક વધુ સારી તકનીક વિકસિત થઈ શકે છે, જે મૃત માણસોને જીવનમાં પાછું લાવી શકે છે? આ આશામાં અલકોર લાઇફ એક્સ્ટેંશન ફાઉન્ડેશનમાં 146 મૃત લોકોની લાશને રાખવામાં આવી છે, જેમને આશા છે કે વિજ્ઞાનની મદદથી તેઓ ભવિષ્યમાં ફરી જીવીત થશે.

image source

એરિઝોનાની એલ્કોર લાઇફ એક્સ્ટેંશન ફાઉન્ડેશ, લક્ઝરી સબર્બની બહાર ફોનિક્સમાં આવેલ છે. આ સંગઠન તે લોકોના મૃતદેહને એક વિશેષ પ્રકારનાં ક્રાયોજેનિક ચેમ્બરમાં રાખે છે, જેમને આશા છે કે ભવિષ્યમાં વિજ્ઞાન પ્રગતિ કરશે અને તેમને જીવનમાં પાછા આવવાની તક મળશે.

image source

આ વિશેષ પ્રકારના ચેમ્બરમાં માનવ શરીરને ખૂબ નીચા તાપમાને રાખવામાં આવે છે. નીચા તાપમાનને કારણે શરીરમાં કોઈ ફેરફાર અને સડો થતો નથી. અલ્કોર લાઇફ એક્સ્ટેંશન ફાઉન્ડેશન પાસે તેની વેબસાઇટ પર આ પદ્ધતિનું સંપૂર્ણ વર્ણન છે. આ ખાસ પ્રકારના ક્રિઓ ચેમ્બરમાં ડેડબોડી રાખવાની કિંમત લગભગ 1.5 કરોડ છે. આ કારણોસર ફક્ત ધનિક અને પ્રભાવશાળી પરિવારોના લોકો જ તેમના મૃતદેહોને તેમાં રાખવામાં આવે છે.

image source

ઉલ્લેખનીય છે કે ક્રાયોનિક્સ એક ખાસ પ્રકારની પ્રક્રિયા છે, જેમાં શરીરને ખૂબ નીચા તાપમાને રાખવામાં આવે છે. ક્રાયોજેનિકલી દફનાવાયેલ શરીર સ્થિર થાય છે. તેની અંદર સડો થવાની પ્રક્રિયા અટકી જાય છે. આને કારણે શરીર હોય એવું જ રહે છે. તેમાં કોઈ પરિવર્તન નથી થતું. આ સંસ્થાએ વિશેષ પ્રકારનાં પ્રવાહી નાઇટ્રોજનમાં લગભગ 146 લોકોનાં મૃતદેહોને ક્રાયોજેનિકલી સંગ્રહિત કર્યા છે. તેમાં પ્રથમ વિશ્વ યુદ્ધના સૈનિકનો પણ મૃતદેહ છે. દફનાવવામાં આવેલા તમામ લોકોને આશા છે કે ભવિષ્યમાં વિજ્ઞાન પ્રગતિ કરશે અને મૃત લોકોને જીવંત બનાવવાનો રસ્તો મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version