નમસ્તે મિત્રો આજે આપણે અમુક મસાલાઑના પ્રયોગ દ્વારા ભાગ્યમાં થતી વૃદ્ધિ વિશેની ચર્ચા કરીશું.દરેક ભારતીય રસોડાની અંદર મરી મસાલાઓ હોય છે જે રસોઈમાં સ્વાદ વધારવાનું કામ કરે છે.પરંતુ આજે આપણે આ માસલાઓ દ્વારા આપણાં જીવનમાં આવેલી અનેક સમસ્યાઓનું નિરાકરણ વિશેના ઉપાયો જાણીશું. જો ઘર પરિવારમાં વાસ્તુશાસ્ત્ર સારું ન હોય તો ગમે તેટલી મેહનત કરવાથી તરક્કી થઈ શક્તિ નથી. વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રની અંદર મસાલાઓ દ્વારા અલગ અલગ ઉપાય કરવાથી ઘર પરિવારમાં વૃદ્ધિ થાય છે.
આજે આપણે રસોડામાં ઉપલબ્ધ જીરુંના ઉપાય વિશેની વાત કરીશું.જીરુંનો ઉપયોગ આપણે અનેક વાનગીની અંદર સ્વાદ વધારવા માટે કરીએ છીએ. આ ઉપરાંત જીરૂના ઉપયોગ દ્વારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર જીરું નો સબંધ રાહુ તેમજ કેતુ ગ્રહ સાથે જોડાયેલો છે.આ બંને ગ્રહ ખરાબ હોવાથી વ્યક્તિએ તમામ દુખોનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર રાહુ કેતુ ગ્રહની ખરાબ નજર રહેલી છે તેવા વ્યક્તિએ શનિવારના દિવસે જીરુનું દાન કરવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના ફોટાની સામે એક લાલ રંગના કપડાં પર એક મૂઠી જીરું તેમજ થોડાક સિક્કા રાખી દો.ત્યાર બાદ માતા લક્ષ્મીની પુજા અર્ચના કરવી. પુજા થઈ ગયા બાદ આ જીરું તેમજ સિક્કા રાખેલી પોટલીને તેજુરીમાં રાખો.આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાને માટે બની રહે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે થોડાક જીરૂના દાણા લઈને માથા પર ઘુમાવીને તેને અગ્નિમાં હોમી દો. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે સવારે જીરું ખાઈને ઘરની બહાર નીકળવાથી આપણાં તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થાય છે.આ ઉપરાંત જીરુનું સેવન કરવાથી દરરોજ ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
મંગળવારના દિવસે દહીમાં જીરું નાખીને ખાવાથી શુભ માનવામાં આવે છે.આમ આવા અનેક પ્રયોગો દ્વારા આપણે આપણાં જીવનમાં રહેલી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ છીએ.ઉપર જણાવેલ દરેક સમસ્યાની અંદર આપણે જીરુનો ઉપાય કરવાથી આ સમસ્યાઓ દૂર થયા છે. તેમજ ઘર પરિવારમાં રહેલા મતભેદો નો અંત આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong