ફેક મેસેજથી સાવધાન, કપૂર-અજમાની પોટલી શું ખરેખર ઓક્સિજનનું સ્તર વધારે છે? જાણી લો સંપુર્ણ સત્ય હકીકત

હાલમાં કોરોનાને લઈ લોકો અને સરકારની હવા ટાઈટ થઈ ગઈ છે. રોજ 1 લાખ કરતાં પણ વધારે લોકો આખા ભારતમાંથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આખા ભારતમાં કોરોના વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે લોકોને બીક લાગી રહી છે કે ક્યાંક ફરી એક વખત ગત વર્ષની સ્થિતિ ઉભી ના થાય અને લોકડાઉન ન થાય તો સારુ છે. ત્યારે આ વચ્ચે થોડી અફવાઓ પણ વાયરલ થતી રહે છે. વૉટ્સએપ પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે, જે સમજાવે છે કે ઘરેલું ઉપાય કેવી રીતે ઓક્સિજનના સ્તરમાં વધારો કરી શકે છે.

image source

આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કપૂર અને ઓરેગાનોની ગંધ ઓક્સિજનના સ્તરમાં વધારો કરે છે. પરંતુ આ દાવામાં કેટલી સત્યતા છે? એ જાણ્યા સિવાય જ આપણે બીજાને શેર કરી દેતા હોઈએ છીએ અને ફોલો કરવાં લાગતા હોઈએ છીએ. ત્યારે આ અંગે વાત કરવા માટે ગુજરાતમાં સંજીવની હેલ્થકેરના ડો.પ્રયાગરાજ ડાભીનો એક વાયરલ સંદેશ છે, “આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે જૈન સમાજના આગેવાન પ્રમોદભાઈ મલકન સાથે શું થયું. તેનો પુત્ર કોરોના પોઝિટિવ હતો. ઓક્સિજનનું સ્તર (સ્તર) ઘટાડીને 80-85 કરવામાં આવ્યું હતું. તબીબી સલાહ મુજબ, હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હતું.

image source

આગળ ડોક્ટર કહે છે કે પરંતુ ઘરેલું ઉપાય નિષ્ણાત પ્રમોદભાઇએ રૂમાલમાં 10 થી 12 વાર ઉંડા રૂમમાં કપુરનો ઘન અને એક ચમચી સુંગધી પાનવાળી એક વિશિષ્ટ બાંધી હતી. દર બે કલાકે તેને શરૂ કર્યાના 24 કલાકની અંદર, ઑક્સિજનનું સ્તર 98-99 સુધી પહોંચી ગયું હતું અને હોસ્પિટલમાં જતા મુશ્કેલીથી બચી ગયો હતો. તેના એક મિત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેણે તેના પર પ્રયોગ પણ કર્યો હતો જેના સારા પરિણામો મળ્યા હતા અને તેને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ માહિતી સમાજ માટે બનાવવામાં આવી છે જેથી તે અન્ય લોકો માટે ઉપયોગી થાય. આ મેસેજ હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેની સત્યતા જાણી તો હકીકત બહાર આવી હતીય

ખુદ ડો.પ્રયાગરાજ ડાભીએ કહ્યું કે વાયરલ થયેલો મેસેજ ખોટો છે. ડો.ડાભીએ કહ્યું કે આ મેસેજ તેના નામને કલંકિત કરવા માટે કોઈ બીજા દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. મેસેજ શેર કરતી વખતે વાયરલ થતા મેસેજ અંગે પણ ખુલાસો આપ્યો છે. જો ડૉક્ટર પ્રયાગરાજ ડાભી દ્વારા જે મેસેજ આપ્યો એની વાત કરવામા આવે તો તેઓએ કહ્યું કે નમસ્તે, હું ભાવનગર, ગુજરાતના સંજીવની હેલ્થકેર, ડો. પ્રયાગરાજ ડાભી છું. છેલ્લા ઘણા દિવસોથી, કેટલાક લોકો, જેઓ આપણને બાળી નાખે છે અને દુશ્મનાવટ કરે છે, આયુર્વેદને બદનામ કરવા અને કાયદા દ્વારા આપણને બાંધી રાખવાનું, નામ અને નંબર લગાવીને, કોરોના મટાડનારા અને ઓક્સિજન વધારતા નકલી સંદેશા લખીને, અમારા નામે, ખૂબ જ છે વાયરલ. અમે આ કરી રહ્યા છીએ અને નિષ્કપટ લોકો આ ષડયંત્રને સમજી શકતા નથી અને તે અન્ય લોકો સાથે શેર કરે છે, તો પછી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારનો સંદેશ આપણા દ્વારા લખાયો નથી અથવા ફેલાયો નથી. જો તમે તેનું પાલન કરો છો અને શેર કરો છો, તો પછી તમે તેના માટે પોતે જવાબદાર રહેશે. ”

તો બીજી તરફ રાજ્યમાં જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ છે અને દિવસે દિવસે ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો માટે ઇન્જેક્શન લેવા વહેલી સવારથી લાઈનમાં ટોકન લેવા લાઈનમાં આવી ગયા છે. આજે સવારથી ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી, જેમાં 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યાં છે, જેથી લોકોને પોલીસ દ્વારા પરત મોકલાતાં લોકો રોષે ભરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!