મીઠું આપણાં શરીર માટે ખૂબ જરૂરી છે. તેમછતાં તેને આપણે યોગ્ય મીઠું ખાતા નથી.
આ વાત કદાચ આપને નવાઈ લાગે, પરંતુ આ એક હકીકત છે. ફક્ત આયોડિનના કારણે વધારે મીઠું ખાવું સમજદારી નથી, કેમકે આયોડિન આપણે બટાકા, અળવીની સાથે સાથે લીલા શાકભાજીથી પણ સરળતાથી મળી જાય છે.
સામાન્ય રીતે સ્ત્રીઓ વ્રત દરમિયાન જ સિંધવ મીઠાનો ઉપયોગ કરે છે, પરંતુ શું આપ જાણો છો કે આને આપની ડેલી ડાયટમાં સામેલ કરવું જોઈએ. કેમકે સિંધવ મીઠું આપના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ કેમિકલ, મેગ્નેશિયમ સલ્ફેટથી બને છે.
મેગ્નેશિયમ, માનવ સેલ્સના ઘટકોમાંનું એક છે, અને લગભગ ૩૨૫ એન્ઝાઇમોને વિનિયમિત કરવા માટે જરૂરી હોય છે અને કેટલાક શારીરિક કાર્યોમાં પણ એક મહત્વની ભૂમિકા નિભાવે છે.
મેગ્નેશિયમની ઉણપથી હાઈ બ્લડપ્રેશર, હડકની નબળાઈ અને માથાના દુખાવા જેવી હેલ્થ પ્રોબ્લમસ થઈ શકે છે. સલ્ફેટ બ્રેન ટિશ્યૂના ગઠન અને શરીર દ્વારા પોષકતત્વોના અવશોષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સાથે જ આ ડિટોક્સિફિકેશન પ્રક્રિયામાં પણ મદદ કરે છે.
મેગ્નેશિયમ સલ્ફેટના ત્વચાના માધ્યમથી અવશોષણ કરી શકાય છે સિંધવ મીઠાનો ઉપયોગ બાહ્ય અને આંતરિક એમ બંને સ્વરૂપમાં કરી શકાય છે. આ સિવાય સિંધવ મીઠાને રોજ ઉપયોગ કરવાથી શરીરની કેટલીક બીમારીઓ દૂર રહે છે. ચાલો જાણીએ સિંધવ મીઠાથી મળનાર ફાયદાઓ વિષે.
સ્ટ્રેસને ઓછો કરવા માટે સિંધવ મીઠું ખૂબ ફાયદાકારક હોય છે. સ્ટ્રેસ દરમિયાન શરીરમાંથી મેગ્નેશિયમ નીકળવા લાગે છે અને એડ્રેલાઇનનું લેવલ વધવા લાગે છે અને મેગ્નેશિયમ મુદને બનાવવાવાળા સેરોટોનીન કેમિકલને રીલીઝ અને તેજ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આ રીતે સિંધવ મીઠું ગભરાહટ, ચિડિયાપણું અને અનિદ્રાને દૂર કરીને રાહત આપે છે. સ્ટ્રેસ થાય ત્યારે નહાવાના હુંફાળા પાણીમાં એક કપ સિંધવ મીઠું નાખી દેવું. પછી આ પાણીથી ૨૦ મિનિટ સુધી ન્હાવું જોઈએ.
આમ કરવાથી આપને વધારે સુકુન મળશે અને ખૂબ સારી ઊંઘ આવશે. એક અઠવાડિયામાં ત્રણવાર સિંધવ મીઠાવાળા પાણીથી નાહવાથી આપ સ્ટ્રેસ ફ્રી થઈ જશો.
હાર્ટ હેલ્થ માટે સારું છે.:
સિંધવ મીઠું હાર્ટ હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. સિંધવ મીઠામાં રહેલ મેગ્નેશિયમ નોર્મલ હાર્ટ બીટ અને વેસલ્સને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
વેસલ્સના હેલ્ધી થવાથી બ્લડ ક્લોટ, પ્લાકનું બનવું, ધમણીઓની દિવારોને નુક્સાનનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય સિંધવ મીઠું બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં મદદ કરે છે, જેનાથી હ્રદય રોગ અને સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
દુખાવો દૂર કરે છે.:
સિંધવ મીઠું દુખાવો અને સોજાને દૂર કરવામાં પણ આપની મદદ કરી શકે છે. આમાં રહેલ મેગ્નેશિયમ શરીરમાં પીએચ લેવલને વિનિયમિત કરવામાં મદદ કરે છે. આ આર્થ્રાઇટીસના કોઈપણ રીતે જોડાયેલ જકડન, સોજો અને દુખવાને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે જ આ બોન મીનરલના રૂપમાં પણ મદદ કરે છે.
આ સિવાય સિંધવ મીઠું નર્વસની ક્ષમતાને વધારે છે અને નર્વસ પેઈનમાં આરામ આપે છે. દુખાવો દૂર કરવા માટે આપે હુંફાળા પાણીમાં બે ચમચી સિંધવ મીઠું ભેળવવું. પછી શરીરના દુખાવાવાળા ભાગને આ પાણીમાં ૨૦ થી ૩૦ મિનિટ સુધી રાખવો. આ ઉપાય અઠવાડિયામાં ત્રણવાર કરવાથી લાભ મળે છે.
ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.:
સિંધવ મીઠું શરીરમાંથી વિષાક્ત પદાર્થોને નષ્ટ કરવામાં મદદ કરે છે. આ વિષાક્ત પદાર્થ હેલ્થ માટે ખતરનાક હોય છે. સિંધવ મીઠામાં રહેલ મેગ્નેશિયમ સેલ્સ ડિટોક્સ માટે ખૂબ જરૂરી હોય છે.
એક આરામદાયક ડિટોક્સ સ્નાનનો આંનદ લેવા માટે આપે હુંફાળા પાણીથી ભરેલ બાથટબમાં ૧ થી ૨ કપ સિંધવ મીઠું ભેળવીને ૧૦ થી ૧૫ મિનિટ માટે નહાવું. આ ઉપાય અઠવાડિયામાં ૨ થી ૩ વાર કરવો જોઈએ.
ડાયજેશનને સુધારવામાં મદદ કરે છે.:
શરીર અને ડાયજેશન સિસ્ટમમાંથી હાનિકારક વિષાક્ત પદાર્થોને ઘટાડવામાં સિંધવ મીઠું આપની મદદ કરે છે. આ રેચકના રૂપમાં કામ કરે મળને નરમ કરીને સરળતાથી પારિત કરીને અને કબ્જના ઉપચારમાં મદદ કરે છે. એક કપ ગરમ પાણીમાં ૧ ચમચી સિંધવ મીઠું નાખીને દિવસમાં એકવાર ખાલી પેટે પીવું જોઈએ.
પરંતુ આંતરિક રીતે સિંધવ મીઠાને વધારે લેવાથી ગેસ્ટ્રોઇનટેસ્ટાઇનલ બળતરા, દસ્ત, ઊબકા અને ઊલટી સહિતના કેટલાક સાઈડ ઇફેક્ટ ઉત્પન્ન કરી શકે છે. આ સિવાય સિંધવ મીઠાથી સ્નાન કરવાથી વોટર રિટેન્શન અને પેટનો સોજાને ઓછો કરવામાં મદદ મળે છે.
સિંધવ મીઠું પ્રભાવી રીતે ડાયજેશન અને સ્લાઈવા જ્યૂસને હેલ્ધી બનાવી રાખે છે. આપ સામાન્ય મીઠાને બદલે આપના ભોજનમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો.
મસલ્સના સંકોચનથી છુટકારો અપાવે છે.:
સિંધવ મીઠું વર્કઆઉટ પછી મસલ્સના સંકોચન અને દુખાવાના ઉપચાર માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. મેગ્નેશિયમ પ્રભાવી રીતથી દુખાવાને સરળ બનાવે છે અને સોજાને ઓછો કરે છે. આ સાથે જ મસલ્સને સ્ટ્રેસ ફ્રી કરવામાં પણ મદદ કરે છે. એના માટે આપે સિંધવ મીઠામાં થોડું ગરમ પાણી ભેળવીને ઘાટી પેસ્ટ બનાવી લેવી.
ત્યારપછી આ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર ૧૫ થી ૨૦ મીનીટ માટે લગાવી રાખવી. અન્ય વિકલ્પ તરીકે સિંધવ મીઠું ભેળવેલ પાણીથી ઓછામાં ઓછું ૨૦ મિનિટ માટે નાહવું. એટલા માટે એક હુંફાળા પાણીના ટબમાં એક કપ સિંધવ મીઠું ભેળવવું.
અન્ય ફાયદાઓ :
આપ કદાચ આ વાત જાણીને ચોંકી જશો કે સિંધવ મીઠું વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ શરીરના ફેટ સેલ્સને ઓછા કરી દે છે.
સિંધવ મીઠામાં જરૂરી મિનરલ હોય છે જે આપના ઇમ્યુન સિસ્ટમને સુધારે છે.
સિંધવ મીઠું આપના દાંતોને સફેદ કરવા માટે અને માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ થાય છે. આપ ગળાની ખરાશને દૂર કરવા માટે સિંધવ મીઠાના કોગળા પણ કરી શકો છો.
જ્યારે સિંધવ મીઠાને લીંબુના જ્યુસ સાથે લેવામાં આવે છે તો પેટના કિડાથી આરામ મળે છે અને ઉલતીઓને પણ રોકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ