અનાનસ ખાવાથી ગર્ભવતી હાથણીનું મૃત્યુ, દેશ ભરમાં રોષ. સેલેબ્રેટીએ કરી આકરી સજાની માંગ
– કેરળની ઘટના પર દેશભરમાં રોષ સતત વધતો જઈ રહ્યો છે.
– આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, દિશા પટની, અથિયા શેટ્ટી, દિયા મિર્ઝા, રણદીપ હૂડા અને રિધ્ધિમા કપૂરે પણ આ અંગે પોસ્ટ કરી હતી.
View this post on Instagram
કોરોના મહામારીમાં લોકોના જીવ જ્યારે ખતરામાં આવી ગયા છે. આવા સમયે કેરળથી માણસાઈ શર્મસાર થાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં કોરોના મહામારીમાં લોકો જ્યારે અધૂરી માહિતીને કારણે ભયથી પોતાના જ પાળેલા જીવોને તરછોડી રહ્યા છે, ત્યારે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્રીટી આગળ આવીને લોકોને આવું ન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે તેમ જ યોગ્ય માહિતી આપતા રહે છે. જો કે આ દરમિયાન કેરળની ઘટના પર ફરી સેલેબ્સે તેમનો પશુપ્રેમ બતાવ્યો છે.
What happened to humanity
#Elephant pic.twitter.com/Xe8izKAtbN— Pranitha Subhash (@pranitasubhash) June 3, 2020
કેરળના પલક્કડ જીલ્લાની ઘટના
કેરળના પલક્કડ જીલ્લામાંથી આ ઘટના સામે આવી છે. અહી ભોજનની શોધમાં આવેલી એક ગર્ભવતી હાથણીનું 27 મેના રોજ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ ભોજનની શોધમાં આવેલી આ હાથણીને ફટાકડાવાળું અનાનસ આપ્યું હતું, જે હાથણીના મોઢામાં ફૂટ્યું અને તે મૃત્યુ પામી હતી.
સેલેબ્રીટીએ કડક સજાની માંગ કરી હતી
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આ નિર્દય ઘટના ઘણી ફેલાઈ છે, અને લોકો આ બાબતે તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ પ્રમાણેની નિર્દય ઘટના આપણાં અંદર મરી રહેલી માણસાઈને દર્શાવે છે.
આ ઘટના પર સોશિયલ મીડિયામાં આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, દિશા પટની, અથિયા શેટ્ટી અને દિયા મિર્ઝાએ પણ આ ઘટનાને શેર કરીને તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
That’s why we are facing several disasters again and again.
God bless her soul 🙏😢
As a human I am sorry #Elephant 🐘
God please forgive us 🙏#Karma pic.twitter.com/CH7lFPJrQW— Sakshi Gupta🇮🇳 (@Sakshi4india) June 3, 2020
આ ઘટનાના વિરોધ સાથે જ તેમણે આ નિર્દય કામ કરનાર આરોપીને કડક સજા મળે તેવી માંગ પણ કરી છે. આ એક્ટ્રેસ અવારનવાર પ્રાણીઓના અધિકાર તેમજ આઝાદી માટે અવાજ ઉઠાવતા રહે છે. જો કે રણદીપ હૂડા અને રિધ્ધિમા કપૂરે પણ અ ઘટનાને વખોડી હતી.
હાથણીનું કરુણ મૃત્યુ, છતાં એણે કોઈને નુકશાન ન કર્યું
There’s a natural law of karma that vindictive people, who go out of their way to hurt others, will end up broke and alone.”#Elephant pic.twitter.com/1J2epz2YDG
— Aman banka (@AmanBanka00) June 2, 2020
કેરળના પલક્કડ જીલ્લામાં ૨૭ મેના દિવસે આ હાથણી મૃત્યુ પામી હતી. ઉલ્લેખનીય છે કે તે 8થી 20 મહિના પછી મદનિયાને જન્મ આપવાની હતી. જમવાનું શોધવા નીકળેલ હાથણીને ત્યાના કોઈ સ્થાનિક જને ફટાકડાવાળું અનાનસ ખવડાવી દીધું હતું.
#Elephant #Kerela pic.twitter.com/ljJwQv8uks
— Amit (@amitshetty1) June 3, 2020
આ અનાનસ ખાધા પછી તેના મોઢામાં જ ફૂટી જતા તેના મોઢાને ગંભીર ઇજા પહોંચી હતી, જેને કારણે તે કઈ પણ ખાઈ શકે એમ ન હતી. જો કે હાથણી જ્યારે નદી પસાર કરી રહી હતી ત્યારે નદીમાં અધવચ્ચે જ તેનું મૃત્યુ થયું.
કેરળના ફોરેસ્ટ ઓફિસરે લખી ભાવુક પોસ્ટ
Humans Are the worst things on earth Hence proved #Elephant #SabYaadRakhaJayega #elephant pic.twitter.com/aQp11i7Xhe
— Zain_Fanny (@zain_fanny) June 3, 2020
કેરળના ફોરેસ્ટ ઓફિસર મોહન ક્રિશ્નને ફેસબુક પર આ હાથણી માટે મલયાલમ ભાષામાં ભાવુક પોસ્ટ લખી હતી, જેમાં એમણે કહ્યું કે, હાથણીને આટલું દુઃખ પહોચ્યું હતું છતાં એણે ગામના કોઈપણ લોકોને ઇજા પહોંચાડી ન હતી, મોઢામાં થયેલ ઇજાને કારણે તે ખાઈ પણ શકતી ન હતી. આટલી પીડા છતાં તે દર્દ અને ભૂખ લઈને ગામમાં ફરતી રહી હતી.
Ram Ram ji 🙏 Killers of #elephant should be imprisoned and Killers of #Cow should also be imprisoned 😡 NOONE should kill ANIMALS 🙏 Hope it gets inside the brain of DUMB liberals 🙏pic.twitter.com/GmVNcxpUsU #PayalRohatgi #Malappuram #manekagandhi
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) June 4, 2020
હાથણીના પેટમાં મદનીયું પણ મૃત્યું પામ્યું હતું
મૃત હાથણીને નદીમાંથી બહાર કાઢવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બે અન્ય હાથીઓની મદદ લીધી હતી, પણ આ દરમિયાન હાથણીએ નદીમાં જ દમ તોડી દીધો હતો.
Humanity has Failed
again and again…
Not only Humans,
against animals too….☹️#elephant #RIPHumanity
Government have to take action
@CMOKerala pic.twitter.com/tRQ5fJrgMM— Sahana Khan (@SahanaK01142184) June 3, 2020
જો કે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા હાથણીને ટ્રકમાં ભરીને જંગલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તે મોટી થઇ હતી. જ્યાં મોટી થઇ હતી ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આ દરમિયાન પોસ્ટમોર્ટમમાં ડોક્ટરને હાથણીના પેટમાંથી નાનકડું મદનિયું પણ મળ્યું હતું, જે આ અમાનવીય દુનિયામાં આવી ન શક્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ