ડ્રાય ફ્રુટ ખાવ છો તો શું તમે જાણો છો કે કયા સમયે ખાવું જોઈએ…

એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને સુકો મેવો એટલે કે ડ્રાઇફ્રૂટ્સ નહીં ભાવતા હોય. આપણે બધા જ તેનો ફાયદો સારી રીતે જાણીએ છીએ. પણ શું તમને ખબર છે કે જેમ દૂધ રાત્રે સુતી વખતે પીવાય પણ દહીં રાત્રે ના ખવાય તેવી જ રીતે સૂકો મેવો ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે.

સૂકામેવામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. મુક્ત કણોના કારણે કોષિકાઓ, પેશીઓને જે નુકસાન થાય છે તેના માટે ડ્રાયફ્રૂટ્સ ખુબ જ ઉત્તમ છે. સૂકોમેવો ફાઈબર, ગુડ ફેટ, વિમટામિન અને ખનીજ તત્ત્વોથી ભરપુર હોય છે. સંશોધનો દર્શાવે છે કે તે કોલેસ્ટેરોલ નીચું લાવવામાં, રક્ત વાહિનીઓ સારી રીતે કામ કરી શકે તે માટે તેમજ સ્નાયુઓ અને સાંધા માટે સુકો મેવો ખુબ જ લાભપ્રદ છે. કેટલાક ડ્રાયફ્રૂટ્સમાં ચરબીનું પ્રમાણ ખુબ વધારે હોય છે માટે જ તેને મર્યાદિત માત્રામાં ખાવા અને યોગ્ય સમયે ખાવા માટેની સલાહ આપવામાં આવે છે.

ન્યૂટ્રિશનિસ્ટ નું કહેવું છે કે સૂકામેવા આયર્ન, વિટામિન, ખનીજત્તત્વો, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ્સ, અસંતૃપ્ત પોટેશિયમ અને ઝિંક ધરાવે છે. આ બધા જ તત્ત્વો તમારા શરીર માટે પાવર જનરેટર છે. તે વિવિધ સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ માટે અલગ અલગ ભાગ ભજવે છે પણ તે માટે તમે તે યોગ્ય સમયે, યોગ્ય અંતરાલે ખાઓ તે જરૂરી છે જેથી કરીને તમને તેનો પુરતો લાભ મળી શકે.

જો તમે ઇચ્છતા હોવ કે ડ્રાયફ્રૂટ્સમાંથી તમને પુરતા લાભ મળે તો તેના માટે તમે તેને સવારે ખાઓ તેવી સલાહ આપવામાં આવે છે. સવારે નાશ્તા સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી તમને થાક નહીં લાગે તમારું બ્લડ પ્રેશર નિયમિત રહેશે. લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટેરોલને દૂર કરવા માટે તે એક મહત્ત્વનો ફાળો આપે છે અને સાથે સાથે તે તમારા હૃદયને પણ નિયમિત કામ કરતું રાખે છે.

અહીં અમે તમને જણાવ્યું છે કે તમારે ડ્રાયફ્રૂટ્સ ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવા જોઈએ.

સવારેઃ

બદામ તમારા સ્વાસથ્ય પર હકારાત્મક અસર કરે છે. પુષ્કળ પોષક તત્ત્વો ધરાવતી બદામથી દીવસનો આરંભ કરવો તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

સાંજેઃ

પિસ્તા, કાજુ અને પાઇનનટ. આ ત્રણ સૂકા મેવા તમારી રોગપ્રતિકારક શક્તિ તેમજ આખા દિવસ દરમિયાન વપરાયેલી ઉર્જાને પાછી લાવે છે. સાંજના નાશ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

રાત્રેઃ

અખરોટ, પ્રૂન્સ અને ખજૂર. તે દ્રાવ્ય રેશાઓથી ભરપુર હોય છે અને પાચન તેમજ કબજિયાતની સમસ્યામાં તમને મદદરૂપ થાય છે. રાત્રે ખાવાથી તમને બીજા દિવસે ભારે ભારે નથી લાગતું અને કબજીયાત પણ નથી થતો.

તમારે શું ન કરવું જોઈએ ?

રાત્રીના સમયે કાજુ જેવા ખુબ જ સ્વાદિષ્ટ સૂકામેવા ન ખાવા જોઈએ. તે કદાચ તમારી ઉંઘ ખરાબ કરી શકે છે અને તમને તમારું પેટ ભારે લાગવા લાગે છે અને અપચો પણ થઈ શકે છે. તે સાથે સાથે તમારે શેકેલા મીઠાવાળા ડ્રાયફ્રૂટ્સ કે ચોકલેટ કોટિંગવાળા ડ્રાયફ્રૂટ્સ પણ ન ખાવા જોઈએ.

દિવસ દરમિયાન તમારે કેટલો સૂકોમેવો ખાવો જોઈએ ?

તમારે તમારા રોજિંદા ખોરાકમાં એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. એટલે કે દિવસના લગભગ 20-25 નટ્સ જેને તમે તમારા આખા દિવસના જુદા જુદા સમય માટે વહેંચી શકો છો.

માટે મહત્ત્વનું એ નથી કે તમારે કયો સૂકો મેવો ખાવો અને કયો ન ખાવો પણ મહત્ત્વનું એ છે કે કયા સમયે ખાવું અને કેટલા પ્રમાણમાં ખાવું અને તેમ કરવાથી જ તમને સારું પરિણામ મળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ