જાણો સૂર્યાસ્ત પછી કેમ ના કરવા જોઈએ આ કામ
એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી જમવાનું જમવું જોઈએ નહિ. જૈન ધર્મના લોકો આ નિયમનું પાલન પણ કરે છે. આયુર્વેદ મુજબ પણ સૂર્યાસ્ત પહેલા જમવાનું જમી લેવું જોઈએ.
જ્યારે કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાવાથી પરહેજ કરવો જોઈએ. એમ પણ બધા ધર્મોમાં ખાવાનું ખાવાના પોતપોતાનાં નિયમો છે.
જેમકે ખાવાનું ખાતા પહેલા પાણી પીવું સારું હોય છે, ભોજન દરમિયાન પાણી પીવું જોઈએ નહિ કે પછી ભોજન કર્યા પછી ૪૦-૪૫ મિનિટ જ પાણી પીવું જોઈએ. ત્યારે એનાથી શરીરને લાભ મળી શકે છે.
અહિયાં અમે જણાવી રહ્યા છીએ કે સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓ ના ખવિજોઈએ. નહિ તો તે શરીરમાં વિષાક્તનું કામ કરે છે. જાણીએ કઈ છે તે વસ્તુઓ અને ખાધ પછી શું થઈ શકે છે નુકસાન?
શુ ના ખાવું જોઈએ?
એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ફળ, શેરડી, જંકફૂડનું સેવન કરવું જોઈએ નહીં.
– જ્યારે રાત્રે ફળ, દહીં, મૂળા, રીંગણ અને જવ ખાવા જોઈએ નહીં.
-ગરમ ખાદ્ય પદાર્થો, વધારે મરચા મસાલા વાળું અને ખાટાં રસથી બનેલ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં.
-જો આપ જમ્યા પછી ચા, કોફી પીવાનો શોખ રાખો છો તો આ સ્વાસ્થ્ય માટે સારું નથી.
-ફળની સાથે શાકભાજી કે શાકભાજી પછી ફળ ખાવા જોઈએ નહીં.
રાતના ભોજનમાં દૂધ, દહીં અને સલાડમાં ડુંગળી ખાવી જોઈએ નહીં.જ્યારે સૂર્યાસ્તના સમયે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
આની પાછળ ચાર મુખ્ય કારણ છે.
-સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવાથી ભોજનને પચવા માટે યોગ્ય સમય મળી રહે છે જેનાથી પાચનતંત્ર સારું રહે છે.
-આ સમયે ભોજન કરવાથી કેટલાક પ્રકારના રોગોથી બચી શકાય છે. રાતના સમયે ભોજનમાં બેક્ટેરિયા અને અન્ય જીવો ચોંટી જાય છે કે સ્વયં ઉતપન્ન થઈ જાય છે. જેના કારણે બીમાર પડવાનો ખતરો વધી જાય છે.
-સૂર્ય આથમી ગયા પછી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે સુક્ષમ જીવો અને બેક્ટેરિયા ઉતપન્ન થાય છે. દિવસના સમયે સૂર્યના તાપના કારણે તે ઉત્તપન્ન થતા નથી પરંતુ સૂર્યાસ્ત પછી ભેજ વધવાના કારણે તે સક્રિય થઈ જાય છે.
-સૂર્યાસ્ત પછી ઝાડ, છોડ, પશુઓ ,પક્ષીઓ પોતપોતાના ઘરોમાં ચાલ્યા જાય છે. ભોજનની પ્રકૃતિમાં પણ પરિવર્તન આવે છે અને ભોજનમાં રહેલા ગુણ કે પોષકતત્વો નષ્ટ થવા લાગે છે. સૂર્ય આથમી ગયા પછી ભોજન વાસી અને દૂષિત થવાનું શરૂ થઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ