અગિયારસો વર્ષ પછી મહાસંયોગ લઈને આવતી દિવાળી તમારી રાશિ માટે કેવી રહેશે?
દિવાળી એટલે અંતર ના અજવાળા કરવાનો ઉત્સવ. ખુશી રહે જવાનો તહેવાર એટલે દિવાળી.
હિન્દુ સંસ્કૃતિમાં દિવાળીના તહેવાર નું અનેરું મહત્વ છે. સમગ્ર ભારત દેશ દિવાળી આનંદ પૂર્વક મનાવવામાં આવે છે, પાંચ દિવસનો આ મહોત્સવ આનંદ મંગલ સાથે સુખ-સમૃદ્ધિ લઈને આવે છે. એમાં પણ આ વરસની દિવાળી ખાસ મહાસંયોગ સાથે આવતી હોવાથી તેનું મહત્વ વિશેષ બની જાય છે.
આ દિવાળીની રાત્રે અગિયારસો વર્ષ પછી એવો મહાસંયોગ સર્જાય છે જે પાંચ રાશિના જાતક ને અતિ લાભદાયક પુરવાર થશે.
આપણે દર આસો મહિનાની અમાસે દિવાળી પર્વને ઊજવીએ છીએ. દિવાળી પર્વ ઉજવવા પાછળ ઘણી બધી પૌરાણિક કથાઓ પણ રહેલી છે. ખાસ તો એમ કહેવાય છે કે આસો વદ અમાસના દિવસે રાજારામ તેમનો ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પરત ફર્યા હતા તેની ખુશાલીમાં દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે.
શાસ્ત્રોક્ત કથન મુજબ દિવાળીના દિવસે સંધ્યા સમયે પ્રદોષકાળ અને મહાન નિશિત કાળમાં અમાવસ્યા આવતી હોય તે દિવસે દિવાળીનો મહાસંયોગ સર્જાય છે. વિધાન મુજબ અગિયારસો વર્ષ બાદ આ વર્ષે દિવાળી એ મહાસંયોગ બને છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ મહાસંયોગ કેટલીક ખાસ રાશિઓ ઉપર તેમના આશીર્વાદ વરસાવશે.
મેષ રાશિ
દિવાળીના દિવસે સર્જાતો દર્શન અમાવસ્યા નો મહાસંયોગ મેષ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા આપનારો બનશે. મેષ રાશિના જાતકો માટે બિઝનેસના ક્ષેત્રમાં નવા દ્વાર ખુલશે તેમને અગાઉ કરેલા રોકાણ માં પણ નાણાકીય લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મેષ રાશિના જાતકોએ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અવશ્ય કરવું. જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન લક્ષ્મીજીની કૃપા વરસશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિ ધરાવતા લોકો માટે વર્ષ 2019 ની દિવાળી વરદાનરૂપ બનશે. આ વર્ષે વૃષભ રાશિના જાતકોને નોકરી તેમજ ધંધામાં અઢળક લાભ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે.સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર ની પ્રાપ્તિ થવાનો સંયોગ પણ મેષ રાશિના જાતકો માટે સર્જાઈ રહ્યો છે. દિવાળીનો મહાસંયોગ વૃષભ રાશિના જાતકો માટે ધન લાભ સાથે ઊર્જા શક્તિ નો સંચાર કરનારો પણ બની રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આવનારી દિવાળી કારકિર્દી માટે મહત્વની બની રહેશે. કારકિર્દીના ક્ષેત્રે નવી દિશાઓ પ્રાપ્ત થશે.ઘણા સમયથી વિલંબમાં પડેલા કાર્યોનો સિદ્ધ થશે ઉપરાંત કાર્યક્ષેત્રમાં ઉચ્ચપદની પ્રાપ્તિ થશે. દિવાળીનો મહાસંયોગ બિઝનેસમાં પણ મહત્વની સફળતા આપવા અંગે દિશા સૂચન કરી રહ્યો છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે 2019 ની દિવાળી સુખ-સમૃદ્ધિ સાથે પારિવારિક સંબંધોમાં પણ સફળતા અપાવનારી રહેશે. આ સમયમાં લક્ષ્મીજીની કૃપા થી સ્થાવર જંગમ મિલકત સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ થશે. નોકરીમાં પણ ઉચ્ચપદ પ્રાપ્તિના યોગ બનશે. જીવનમાં વ્યાપેલી હતાશા અને આ દિવાળી દૂર કરી ધનપ્રાપ્તિ ,ખુશી અને સફળતાના નવા માર્ગો ખોલી આપનારી બની રહેશે.
તુલા રાશિ.
દિવાળી પર સર્જાય રહેલો શુભ સંયોગ તુલા રાશિના જાતકો માટે સકારાત્મક બદલાવ લાવનારો નીવડશે.તુલા રાશિના જાતકો જે બી કઈ રોકાણ કરશે તે તેમના માટે લાંબા ગાળે લાભદાયક સાબિત થશે. નોકરીમાં પરિવર્તન સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત થવાના યોગ આ દિવાળી તુલા રાશિના જાતકોને આપી રહી છે. તુલા રાશિના જાતકો માટે પિતૃ સંપત્તિનો લાભ મેળવવાનો પણ પ્રબળ યોગ સર્જાઈ રહ્યો છે. દિવાળીએ સર્જાઈ રહેલા મહાસંયોગ ને પરિણામે તુલા રાશિના જાતકો પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશે જે તેમને સફળતાના નવા આયામો સ્થાપવામાં મદદગાર સાબિત થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !