શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજીના દર્શન માત્રથી મનુષ્યને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ગંગાજળના સ્પર્શથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પાઠ, યજ્ઞ, મંત્ર, હોમ અને દેવર્ચન વગેરે જેવા શુભ કામોથી પણ જીવને એ ગતિ નથી મળતી જે ગંગાજળના સેવનથી મળે છે. માઁ ગંગા દૈહિક, દૈવિક અને ભૌતિક તાપોનું સમન કરનાર, ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ ચારેય પુરુષાર્થ આપનારી શક્તિ સ્વરૂપા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા ગંગામાં ન્હાવાથી તેમજ પૂજા કરવાથી ઘણા પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એનું વૈજ્ઞાનિક કારણ એ પણ માનવામાં આવે છે કે ગંગાના પાણીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે જેમાં ન્હાવાથી ઘણા પ્રકારના રોગ ખતમ થઈ જાય છે. એટલું જ નહીં ગંગાજળના પ્રયોગથી ઘરના વાસ્તુદોષ દૂર થઈને ઘરમાં સુખ શાંતિ આવે છે.
આવશે સકારાત્મક ઊર્જા.
જો ઘરમાં વાસ્તુદોષ છે અને તમે એનાથી પરેશાન રહેતા હોવ તો તમારા ઘરમાં નિયમિત ગંગાજળનો છંટકાવ કરો. આવું નિયમિત રીતે કરવાથી વાસ્તુ દોષનો પ્રભાવ ખતમ થઈ જાય છે અને ઘર પર સકારાત્મક ઊર્જા આવે છે. ઘરમાં ગંગાજળનો રોજ છંટકાવ કરવો જોઈએ.
નકારાત્મકતા થશે દૂર.
પારિવારિક સભ્યોમાં ક્લેશ રહે છે તો રોજ સવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આ ઉપાયથી ઘરની નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મક માહોલ બને છે.
ઉતરશે નજર.
જો કોઈ વ્યક્તિ કે બાળકને નજર લાગી ગઈ છે તો એને તમે ગંગાજળના છાંટા નાખીને નજરના દુષ્પ્રભાવને ઘણો જ ઓછો કરી શકો છો.
આરામથી આવશે ઊંઘ.
જો તમને કે બાળકોને રાત્રે ડર લાગતો હોય કે ખરાબ સપના આવતા હોય તો હંમેશા સુતા પહેલા પથારીમાં ગંગાજળનો છંટકાવ કરી દો. આવું કરવાથી બિહામણા સપના માણસને હેરાન નથી કરતા.
આવશે સમૃદ્ધિ.
જો વાસ્તુદોષના કારણે તમારા ઘરમાં તકલીફો આવી રહી હોય તો તમે ગંગાજળને પિત્તળની બોટલમાં ભરો અને એને તમારા ઘરમાં પૂર્વ દિશામાં મૂકી દો. એનાથી તમારી તકલીફ જલ્દી સોલ્વ થઈ જશે. ગંગાજળનવા હંમેશા તમારા પૂજા સ્થળ અને કિચનના ઉત્તર પૂર્વમાં રાખો, ધીમે ધીમે તમને તરક્કી અને સફળતા મળશે. જે ઘરમાં ગંગાજળ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે, એ ઘરમાં સુખ સમૃદ્ધિ હોય છે.
પાચન તંત્ર થશે તંદુરસ્ત.
ગંગાજળ વિજ્ઞાન માટે પણ ચમત્કાર છે કારણ કે એ વર્ષો સુધી બોટલમાં રહેવા છતાં ખરાબ નથી નથી. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ રોજ ગંગાજળ પીવે છે એ નિરોગી રહે છે અને વધુ ઉંમર સુધી જીવન વ્યતીત કરે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ગંગાજળ બુદ્ધિ વધારનાર અને પાચક તંત્રને મજબૂત કરવાની શક્તિ રાખે છે.
શનિદોષોમાં મુક્તિ.
જો સોમવારની શિવની પૂજામાં તમે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરશો તો ભોલેનાથ જલ્દી પ્રસન્ન થશે. જીવનમાં બધા વિકાર નષ્ટ થઈ જાય છે. આ રીતે દર શનિવારે એક લોટામાં ચોખ્ખું જળ ભરો અને એમાં થોડું ગંગાજળ નાખીને એ જળ પીપળાને ચડાવો. આવું કરવાથી શનિના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,