મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દરેક વસ્તુ ગોઠવાઈ તે ખુબ જ મહત્વનુ છે. જો તમે તમારા ઘરને વાસ્તુ મુજબ ગોઠવો તો તેનો પ્રભાવ આવનાર દરેક વ્યક્તિ પર પડે છે. વિશેષ તો લોકો પોતાના ઘરની સજાવટ પર જ ધ્યાન આપતા હોય છે, તે વાસ્તુ ને તો સાવ ભૂલી જ જાય છે અને તેના કારણે જ અજાણતા જ ઘણીવાર અમુક પ્રકારની ભૂલો થઇ જતી હોય છે અને તેની સીધી જ અસર આપણા જીવન પર પડતી હોય છે.
આપણે આપણા ઘરની બધી જ સજાવટ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જ કરવી જોઇએ. જો તમે શાસ્ત્રોના આ નિયમો મુજબ તમારુ ઘર બનાવો છો અને તેમા રહેલી વસ્તુઓ પણ આ શાસ્ત્રના નિયમો મુજબ ગોઠવો છો તો તમારા જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓ સર્જાતી નથી અને તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિ બની રહે છે. તો ચાલો આ અંગે હજુ થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.
તમે ક્યારેય કલ્પના કરી છે કે, ભગવાનમા તમને ઊંડી શ્રદ્ધા છે અને તમે નિયમિત પૂજા પણ કરો છો તેમછતા જીવનમા તણાવ કેમ રહે છે? તમે જાણો છો કે, આ થવા પાછળનુ કારણ વાસ્તુદોષ હોય શકે છે. જો તમે તમારા ઘરમા વાસ્તુના નિયમોનો ઉલ્લંઘન કરો છો તો તમારે જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તુ મુજબ ઘરનુ મંદિર ક્યારેય પણ અગ્નીકોણમા ના હોવી જોઈએ. તે અપશુકનિયાળ સાબિત થાય છે. આવુ કરવાના કારણે ઘરના વડાને ક્યારેક હૃદયરોગની સમસ્યા થાય છે, ક્યારેક શરીરમાં લોહીની કમી પણ થાય છે એટલે કે એનીમિયાની સમસ્યા પણ થઇ શકે છે.
આ ઉપરાંત વાસ્તુ મુજબ ઘરનુ મંદિર ક્યારેય હવાઈ કોણમા ના હોવુ જોઈએ. જે ઘરમા મંદિર આ દિશામા હોય છે તેમણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાથી પીડાવુ પડી શકે છે. આ સિવાય આ ઘરમા હમેંશા વાળ-વિવાદથી ભરપૂર વાતાવરણ બની શકે છે અને અમુક આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે.
વાસ્તુ મુજબ જો તમારા ઘરમા મંદિર ઇશાન કોણમાં હોય તો તે ખૂબ જ શુભ છે. એ માન્યતા છે કે, આ દિશામા મંદિર હોય તો નાના ભાઈ-બહેન, પુત્ર કે ઘરના વડાની પુત્રીઓ ઘણા વિષયોના વિદ્વાન બને છે. હકીકતમાં આ દિશાને બ્રહ્મ દિશા તરીકે પણ ઓળખવામા આવે છે. તેઓ જણાવે છે કે, આ દિશામા રહેલુ મંદિર આખા ઘરમાં સકારાત્મક ઉર્જાની અસર રાખે છે અને તમારા જીવનને સુખી અને સમૃદ્ધ પણ બને છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,