લીમડાના પાંદડામાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, ઉર્જા, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને કોપર વગેરે હોય છે. તેના પોષક તત્વોની સૂચિ ત્યાં સમાપ્ત અહીંયા સમાપ્ત નથી થતી.આ સિવાય તમને વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ઇ પણ લીમડાના પાંદડામાં જોવા મળે છે .એટલું જ નહીં, તેમાં ઘણા પ્રકારના એન્ટીઓકિસડન્ટો, એમિનો એસિડ્સ, નિયાસિન અને ફ્લેવોનોઇડ્સ શામેલ છે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય જો તમે ત્વચાની સમસ્યાથી બચવા માંગો છો તો લીમડાનો ઉપયોગ જરૂરથી કરો. લીમડાના પાંદડાના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. જો તમે તમારા ચહેરાને સુંદર અને સ્વચ્છ બનાવવા માંગો છો, તો લીમડાના પાંદડા જેટલું બીજું કઈ જ ઉપયોગી નથી. ડોકટરોના મતે લીમડાના પાનમાં એન્ટીફંગલ, એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય પણ લીમડો આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, ચાલો જાણીએ.
– લીમડો આયરન અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીરમાં થતી લોહીની ઉણપ દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે.
– આ સિવાય જે લોકો ખુબ જ આલ્કોહોલનું સેવન કરે છે, તેમના માટે પણ લીમડાનું સેવન સારું માનવામાં આવે છે.
– લીમડામાં ફાયબર હોય છે, જે શરીરમાં ડાયાબીટિઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
– કોઈપણ ખોરાકમાં લીમડાના પાંદડા ઉમેરવાથી તે ખોરાકનો સ્વાદ તો વધે જ છે, સાથે તે આપણું પાચન જાળવવામાં પણ મદદ કરે છે.
– લીમડાના પાંદડાનું સેવન કરવાથી લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટે છે. તેના સેવનથી વજન વધવાનું જોખમ ઓછું થાય છે. તે લોહીમાં સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરે છે અને હૃદયને લગતા રોગોથી પણ બચાવે છે.
– જો તમને કોઈ પ્રકારની ઇજા થઈ છે અથવા ત્વચા પર કોઈ ઘા છે અથવા તો તમારી ત્વચામાં અને શરીરમાં કોઈ બળતરા થાય છે, તો આવી સમસ્યાઓમાં લીમડાના પાંદડા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટોએન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ત્વચા માટે અસરકારક છે. આ માટે તમારે ફક્ત પાણીનો ઉપયોગ કરીને લીમડાના પાંદડાની પેસ્ટ બનાવવી પડશે અને તેને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાડવી પડશે. લીમડાના પાંદડાનું સેવન કરવું ફાયદાકારક છે, પણ તેની પેસ્ટ પણ એટલી જ અસરકારક છે.
– જો લીવર નબળું હોય, તો તેમાં લીમડાના પાંદડા ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા વિટામિન એ અને સી લીવરને રિપેર કરે છે.જો તમને કબજિયાત છે, તો લીમડાના પાંદડાનું સેવન કરવાથી કબજિયાત ચોક્કસપણે દૂર થાય છે.
– લીમડાના પાંદડામાં રહેલા એન્ટીઓકિસડન્ટો વાળને મોશ્ચ્યુરાઇઝ કરે છે અને શુષ્કતા દૂર કરે છે. આ સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળને કોઈપણ પ્રકારના ચેપથી સુરક્ષિત રાખે છે. જો વાળમાં ડેન્ડ્રફની સમસ્યા છે, તો તેને દૂર કરવા માટે લીમડાના પાંદ ખુબ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ માટે તમે લીમડાના પાંદડાને દૂધમાં મિક્સ કરી લો અને એક પેસ્ટ બનાવો. હવે તૈયાર કરેલી પેસ્ટને તમારા વાળના મૂળમાં લગાવો અને તેને લગભગ 2 કલાક રાખો. તે પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. આ કરવાથી તમારા વાળમાંથી ડેન્ડ્રફ દૂર થશે.
– અત્યારના સમયમાં સ્ત્રી અને પુરુષ બંને ખીલની સમસ્યાથી પીડાય છે. લીમડાના પાંદડાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે, કારણ કે લીમડો એન્ટિફંગલ છે જે ખીલ પર ઝડપી અસર કરે છે. આ માટે સૌથી પેહલા સૂકા લીમડાની એક પેસ્ટ બનાવો, તેમાં એક ચમચી લીંબુનો રસ, બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર ફેસ પેકની જેમ લગાવો. આ ફેસપેકને અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર લગાવો, આ કરવાથી તમારા ખીલની સમસ્યા સંપૂર્ણપણે દૂર થશે.
– જો બદલાતા હવામાનને કારણે તમારી ત્વચા બગડી રહી છે, તો આ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરો, તે તમારા ચહેરાને ઠંડુ કરશે. આ માટે લીમડાના પાનને સારી રીતે પીસી લો અને તેમાં થોડી હળદર ઉમેરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચેહરા પર લગાવવાથી તમારા ચેહરાનો ગ્લો પાછો આવશે અને તમારો ચેહરો એકદમ ફ્રેશ અને ઠંડો રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત