મિત્રો, ડાયાબિટીઝ એ એક ગંભીર બીમારી છે, જેને નિયંત્રિત કરી શકાય છે પરંતુ, સંપૂર્ણ રીતે મટાડી શકતા નથી. ડાયાબિટીઝની સમસ્યાને જડમૂળમાથી દૂર કરી શકાતી નથી પરંતુ, અમુક બાબતોની સાર-સંભાળ રાખીને તેના જોખમોથી બચી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી લોહીમા સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે, જ્યારે શરીરને સક્રિય રાખવા માટે સારા આહાર અને કસરત જરૂરી છે.
ડાયાબિટીઝના દર્દીઓને ફળો ખાવાનુ પણ ઓળખવામા આવે છે કારણકે, ફળો શરીરને જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે પરંતુ, અમુક એવા ફળો છે જે ડાયાબિટીઝના દર્દીઓએ ટાળવા જોઈએ કારણકે, તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.ચાલો આપણે જાણીએ કે ડાયાબિટીઝના દર્દીઓએ કયા ફળોથી દૂર રહેવું જોઈએ.
આ ફળમા ખૂબ જ ખાંડ હોય છે, તે ટાળવું જોઈએ. તેના વધારે સેવનને કારણે લોહીમા ગ્લુકોઝનુ પ્રમાણ વધી શકે છે અને આ કિસ્સામા ખાંડનુ સ્તર પણ વધે છે. જો તમને આ ફળ ખાવાનુ ખૂબ જ ગમે છે, તો ફક્ત ફળો જ ખાઓ તેના જ્યુસનુ સેવન ના કરો કારણકે, આ ફળના રસમાં મળતો ગ્લુકોઝ શરીરમા વધારે નુકસાન પહોંચાડે છે.
ઘણા લોકોને ખાવાનુ ખુબ જ પસંદ હોય છે પરંતુ, ડાયાબિટીઝના દર્દીઓએ તેનુ સેવન ટાળવુ જોઈએ. આ વસ્તુનુ સુગર પ્રમાણ વધારે છે, જે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. કેટલાક અધ્યયન મુજબ ૧૦૦ ગ્રામ દ્રાક્ષમાં આશરે ૧૬ ગ્રામ ખાંડ જોવા મળે છે, જે ડાયાબિટીઝના દર્દીઓને નુકસાન પહોંચાડે છે.
કેટલાક અધ્યયન મુજબ ૧૦૦ ગ્રામ કેરીમા અંદાજે ૧૪ ગ્રામ સુગર હોય છે, જે લોહીમા સુગરનુ સ્તર વધારે છે. જો ડાયાબિટીઝના દર્દીઓ મોટા પ્રમાણમાં કેરી ખાતા હોય તો તેમને હૃદયરોગ અથવા સ્ટ્રોક થવાનું જોખમ રહેલું છે. આ સિવાય ચીકુમા પણ ખાંડનુ પ્રમાણ ખૂબ જ વધારે છે, તેનુ સેવન કરવાથી બ્લડ સુગરમા એકાએક વધારો થઈ શકે છે.
જે ડાયાબિટીઝના દર્દીઓ માટે વધારે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. આ ફળમા કેલરી પણ ખૂબ ઊંચી માત્રામા મળી આવે છે, જે સુગરનુ સ્તર વધારવા માટે જવાબદાર છે.આ કિસ્સામા ડાયાબિટીઝના દર્દીઓએ આ ફળ અથવા તેના રસનો ફળ લેવાનુ ટાળવુ જોઈએ.
ડાયાબિટીઝના દર્દીઓએ તેમના ભોજનમા આવી ચીજોનો સમાવેશ ના કરવો જોઇએ, જેનાથી ખાંડ વધી શકે છે. ચોખા, બટાટા વગેરે વધારે કેલરીવાળા ખોરાકને ટાળો. શરીરમા ડાયાબિટીઝની માત્રાને નિયંત્રિત કરવા માટે તમારી રૂટિનને શિસ્તબદ્ધ રાખો, સમયસર ખાવુ.
ખૂબ જ લાંબા સમય સુધી ભૂખ્યા ના રહો, તે ડાયાબિટીઝ અથવા મૂર્છા જેવા લક્ષણોનું કારણ બની શકે છે.વ્યક્તિએ દરરોજ નિયમિત મોર્નિંગ વોક પર જવું જોઈએ.આનાથી શરીરમાં હોર્મોન્સ સંતુલિત રહે છે.ડાયાબિટીઝ તણાવમાં પણ અનિયંત્રિત થઈ શકે છે, તેથી હળવા રહેવાનો પ્રયત્ન કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત