જો તમને પણ ડાયાબિટીસ છે તો તમે ખાસ પીવો એલચીની ચા, જાણો કેવી રીતે બનાવશો ઘરે

એલચી ચા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોવાથી તે બ્લડ શુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. એલચીની ચા ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે એલચીમાં રહેલા તત્વો ખાંડના સ્તરને યોગ્ય રાખવામાં બરાબર મદદ કરે છે.

image source

મોટાભાગનાં ઘરોની રસોડામાં, ઘણાં મસાલાઓ હોય છે, જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે. એ જ રીતે, એલચી પણ એક એવો મસાલા છે જેનો ઉપયોગ આપણે મીઠાઇ, ખીર અથવા ચા જેવા ખોરાકનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. જે લોકોને ચા પીવાના ખૂબ શોખ હોય છે, તેઓ ચામાં એલચીનો ઉપયોગ ચોક્કસપણે કરતા હોય છે. તેનો ઉપયોગ કરવાથી ચાનો સ્વાદ પણ બમણો થઈ જાય છે. એલચીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એલચી અંગેના તાજેતરના સંશોધન મુજબ, તેના એન્ટીઓકિસડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને હાયપોલિપિડેમિક ગુણધર્મો રક્તમાં ખાંડના સ્તરને બરાબર રાખવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો, તો એલચીની ચા તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય પણ એલચીની ચા પીવાથી ઘણા ફાયદાઓ થાય છે તો ચાલો અમે તમને જણાવીએ એલચીની ચા બનાવવાની યોગ્ય રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

1. કાળા મરી અને એલચી ચા

આ ચા બનવવા માટેના ઘટકો

  • એલચી
  • લવિંગ
  • 1/2 ઇંચ તજ
  • 2 કપ પાણી

ચા બનાવવાની સાચી રીત

  • એલચી મરીની ચા બનાવવા માટે સૌ પ્રથમ તો એક પેનમાં પાણી લો અને તેને ગેસ પર ગરમ કરો.
  • પાણી સારી રીતે ગરમ થાય એટલે તેમાં દૂધ, એલચી, લવિંગ, કાળા મરી અને તજ નાખીને અડધો કલાક ઉકાળો.
  • જ્યારે ચા સારી રીતે ઉકલી જાય ત્યારે ચા ગાળી લો અને આ ચાનું સેવન કરો.

2. બ્લેક ટી

બ્લેક ટી બનાવવા માટેની સામગ્રી

  • 2 એલચી
  • 1/2 ચમચી ચા પત્તી
  • બ્લેક ટી બનાવવાની સાચી રીત

બ્લેક ટી બનાવવા માટે, પહેલા ગેસ પર તપેલી ગરમ કરો.

  • જ્યારે તપેલી ગરમ થાય ત્યારે તેમાં પાણી, એલચી અને ચા પત્તી ઉમેરીને થોડા સમય માટે ઉકાળો.
  • જ્યારે ચા સારી રીતે ઉકળી જાય ત્યારે આ ચા ગાળી લો અને તેનું સેવન કરો.
  • એલચીની ચા પીવાથી થતા ફાયદાઓ જાણો –

1) પાચનમાં સુધારવામાં મદદ કરે છે

image source

એલચીની ચા પીવાથી તમને પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાથી રાહત મળે છે. એલચીમાં 25 થી વધુ અસ્થિર તેલ હોય છે, જે પેટના મ્યુકોસલ સ્તરને મજબૂત કરીને એસિડિટીને રોકવામાં મદદ કરે છે. એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે, જમ્યા બાદ એલચી ચા પીવો.

2) ઉબકા અને ઉલ્ટીની સમસ્યાથી બચો

image source

ઉબકાને રોકવા માટે એલચી અસરકારક ઉપાય છે. તે એન્ટિસ્પાસોડિક છે, જે ઉબકા અને ઉલ્ટીની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે. એલચી પેટમાં થતી કોઈપણ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

3) શરદી અને ફ્લૂ જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે

image source

એલચીની ચા પીવાથી શરદી અને ફ્લૂના લક્ષણો જેવા કે ગળામાં દુખાવો, છાતીમાં બળતરા અને કફ જેવી સમસ્યા દૂર થઈ શકે છે. એલચી કફનાશક તરીકે કામ કરે છે અને ગળામાં થતી બળતરા પણ દૂર કરવામાં મદદ કરે છે.

4) દુર્ગંધ અને દાંતના દુખાવામાં રાહત

image source

એલચી ચા મોમાં આવતી તીવ્ર દુર્ગંધ અને દાંતના દુખાવાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. એલચીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખરાબ શ્વાસને દૂર કરવામાં મદદ કરે છે. જમ્યા પછી એલચીની ચા પીવાથી ઘણી દાંતમાં થતા દુખાવામાં રાહત મળે છે.

5) રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં ફાયદાકારક છે

image source

એલચીની ચા તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદગાર છે. એન્ટીઓકિસડન્ટો અને ઝિંકથી ભરપૂર આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેને વધુ ફાયદાકારક બનાવવા માટે તમે તેમાં મરીનો પાઉડર પણ ઉમેરી શકો છો.

6) ચહેરા પર ચમક લાવવા

image source

એન્ટીઓકિસડન્ટથી ભરપૂર એલચીની ચા ચેહરા પરની કરચલીઓ ઓછી કરી તમારી ત્વચાને તેજ બનાવવા માટે ફાયદાકારક છે. દરરોજ એક કપ એલચીની ચા પીવાથી તમે ત્વચા પરની કરચલીઓ ઓછી કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત