કડી પત્તા (મીઠા લીમડાના પાન)એ દક્ષિણ ભારતીય ભોજનમાં શામેલ થનાર સૌથી લોકપ્રિય રસોઈ સામગ્રી છે. તે તમારા ખોરાકને સારી સુગંધ અને સ્વાદ આપે છે, સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ આપે છે. સામાન્ય રીતે, મોટાભાગના લોકો ખાવામાં કરી પત્તા ઉપયોગ કરે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે ચામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. જીહા દોસ્તો અમે આ જ મીઠા લીમડાના પાનની ચાની વાત કરી રહ્યા છીએ. આ ચા તમારા તણાવને ઘટાડવા અને હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરવા સહિતના ઘણા ફાયદાઓથી ભરેલી છે. ચાલો જાણીએ આ ચા બનાવવાની સરળ રેસીપી.
મીઠા લીમડાના પાંદડાની ચા કેવી રીતે બનાવવી
તમે કરી પત્તાની ચા બનાવવા માટે, સૌ પ્રથમ 20 થી 25 પાંદડા લો અને તેને પાણીથી ધોઈ લો.
આ પછી એક પેનમાં 2 અથવા 3 કપ પાણી ઉકળવા મુકો, જ્યારે પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તમે આ પાણીમાં પાનને નાખીદો અને પાણીને 3થી 4 મિનિટ સુધી ઉકળવા દો.
આ કર્યા પછી તમે જોશો કે પાણીનો રંગ બદલાઈ જશે. જો તમને પાણીનો રંગ બદલાયેલો ન લાગે તો પછી તેને થોડો સમય ગેસ પર રહેવા દો. ત્યાર પછી, આ ચાને ચાળણીની મદદથી ગાળીને એક કપમાંકાઢી લો. જો તમે તેમાં થોડી મિઠાસ ઉમેરવા માંગતા હો તો તમે તેમાં અડધી ચમચી મધ ઉમેરી શકો છો. આ રીતે તમારી મીઠા લીમડાના પાંદડાની ચા તૈયાર છે. આ ચાનું નિયમિત સેવન તમને વજન ઘટાડવાની સાથે ઘણા સારા ફાયદાઓ પણ આપી શકે છે. ચાલો આપણે અહીં આ ચાના અન્ય ફાયદાઓ જાણીએ.
બ્લડ સુગરને નિયંત્રિત કરે છે
જો તમે દરરોજ કરી પત્તાની ચાનું સેવન કરો છો, તો તે તમને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મીઠા લીમડાના પાંદડા તમારા બ્લડ સુગરનું સ્તર લગભગ 45 ટકા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમ આ ચા ડાયાબિટીઝના દર્દીઓ માટે યોગ્ય વિકલ્પ છે.
મોર્નિંગ સિકનેસ સામે લડવા માટે મદદગાર
તમે હંમેશાં જોયું હશે કે સગર્ભા સ્ત્રીઓને સવારે ઉલટી અથવા ઉબકા આવે છે, જેને મોર્નિંગ સિકનેસ તરીકે ઓળખવામાં આવે છે. આ કિસ્સામાં કરી પત્તાની ચા તમને સવારની માંદગી સાથે લડવામાં મદદ કરી શકે છે. તેથી, સગર્ભા સ્ત્રીઓ માટે મીઠા લીમડાના પાનવાળી ચા પીવી ફાયદાકારક હોઈ શકે છે.
પાચનમાં મદદરૂપ
એવું માનવામાં આવે છે કે મીઠા લીમડાના પાનવાળી ચા તમારા પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. આ એટલા માટે કેમ કે રેચક ગુણ અને પાચન એન્જાઈમ હોય છે, જે તમારી બાઉલ મુવમેન્ટને સુધારવામાં મદદ કરી શકે છે. તેથી તમારી પાચનશક્તિ સુધરે છે અને કબજિયાતમાં રાહત મળે છે.
તણાવ ઘટાડવામાં મદદગાર
મીઠા લીમડાના પાનવાળી ચા એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તે તમને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદગાર હોવાની સાથે સાથે સંક્રમણ અને ઈફ્લેમેશનથી બચાવવામાં પણ મદદગાર છે. આ સિવાય આ ચા તમને તણાવમાંથી મુક્તિ અપાવવામાં પણ મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે મીઠા લીમડાના પાંદડાની સુગંધ તમારી નશોને આરામ આપવામાં મદદ કરે છે. આ રીતે તમે નિયમિતપણે 1 કપ કરી પત્તાની ચા પી શકો છો. આ તમને વજન ઘટાડવા, કોલેસ્ટરોલને અંકુશમાં રાખવા, યકૃતને સ્વસ્થ રાખવા અને ડાયેરીયા જેવી ઘણી સમસ્યાઓમાં મદદગાર થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,