કોરોના કે પછી વઝે પ્રકરણ? અંબાણી પરિવાર એક મહિનાથી રહે છે રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં જામનગર

હાલમાં મુકેશ અંબાણી એક વાતને લઈ ચર્ચામાં છે. વાત કંઈક એવી છે કે 25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાતે 1 વાગ્યે આ ગાડી એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે એ પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટીનની સ્ટિક્સ મળી હતી. 5 માર્ચે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શબ મળ્યું હતું. થોડા દિવસો પહેલાં જ મનસુખે આ ગાડી ખોવાયો હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારે હવે રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં રહી રહ્યા હોવાનો રિપોર્ટ મળ્યો છે.

image source

હાલમાં સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે અંબાણી પરિવાર જામનગર પાસે આવેલી તેમની રિલાયન્સ ટાઉનશિપમાં હાલમાં રહેવા આવી ગયા છે. જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા ટીએમસી બંગલોઝની બાજુમાં તેમનું ભવ્ય નિવાસસ્થાન છે, જ્યાં આ પરિવાર રહેતો હોવાનું હાલમાં સુત્રો કહી રહ્યા છે જો કે આ વાતને રિલાયન્સ ગ્રુપ દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી. પણ લોકો અને સુત્રો દ્વાર આ જાણકારી મળી રહી છે. હાલમાં માહોલ એવો છે કે રિલાયન્સ ટાઉનશિપમાં સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.

image source

આ બધા પગલાં લેવામાં આવ્યા એના પરથી ચોક્કસપણે અંબાણી પરિવાર જામનગરમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને અહીં રહેવા પાછળનાં કારણો વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. કોઈ નક્કર કારણો વિશે હાલમાં માહિતી બહાર આવી રહી નથી અને સુત્રો દ્રારા જ માહિતી વાયરલ થઈ રહી છે. મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી કાર મળ્યા બાદ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ એપીઆઈ સચિન વઝેની ધરપકડ કરી છે. ત્યાર બાદ રોજેરોજ નવા વળાંકો આવી રહ્યા છે. અંબાણી પરિવાર એક મહિનાથી જામનગરમાં હોવા પાછળ પણ આ પ્રકરણ કારણભૂત હોવાનું પણ માનવામાં આવે છે. તો બીજી તરફ મુંબઈમાં કોરોનાના વધતા કેસોને પગલે અંબાણી પરિવાર જામનગરમાં આવી ગયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

image source

હવે જોવાનું એ રહ્યું કે આખરે અંબાણી પરિવાર શા માટે મુંબઈ છોડીને જામનગર આવી ગયા છે. સત્તાવાર સૂત્રોએ અંબાણી પરિવાર આટલા લાંબા સમયથી જામનગર શા માટે રહી રહ્યો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતાં તેમના જામનગરના વસવાટ અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે. ધરપકડ કરાયેલ સચિન વઝે વિશે વાત કરવામાં આવે તો 1990માં વઝે પીએસઆઈ તરીકે મુંબઈ પોલીસમાં જોડાયા હતા. મુંબઈના 63 એન્કાઉન્ટરમાં તેમનો સહભાગ છે. એમાં છોટા રાજન, દાઉદ ઈબ્રાહિમના અનેક ગુંડાઓનો સમાવેશ થાય છે.

image source

હાલમાં રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી એ ટીમનું નેતૃત્વ વઝેએ કર્યું હતું. 2002માં ઘાટકોપર બોમ્બવિસ્ફોટના આરોપી ખ્વાજા યુનુસના રહસ્યમય મૃત્યુ પ્રકરણે વઝે સહિત 14 પોલીસને 2004માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે હાલમાં તો એ મુદ્દો વધારે ચર્ચાઈ રહ્યો છે કે આખરે અંબાણી પરિવાર શા માટે એક મહિનાથી જામનગરમાં રહેવા આવી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!