શિયાળો આવી ગયો છે અને તેની સાથે સરસવનું શાક, બાજરીનો રોટલો, સૂંઠના લાડુ, કાશ્મીરી દમ આલૂ અને ચીક્કીની મોસમ પણ આવી ગઈ છે. શિયાળા દરમિયાન દેશભરમાં ઘણાં પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, તેમાંની એક છે ચીકી, જે એક ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે, જેને બનાવવામાં મુખ્યત્વે મગફળી અને ગોળનો ઉપયોગ થાય છે.
ચીકી ખાવાથી ત્વચામાં નિખાર આવે છે
આને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચીકી ખાવાથી ત્વચામાં નિખાર આવે છે, ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે, અને અહિયાં સુધી કે તે ખાવાથી હૃદયની સમસ્યામાં પણ રાહત મળે છે. ચિકીમાં હાજર મોનોનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હૃદયની સંભાળ રાખે છે. જ્યારે મગજ વધતી ઉંમર સાથે નબળુ થવા લાગે છે, ત્યારે તે તેની સામે લડવામાં પણ મદદ કરે છે. તેથી જો તમે તેને શિયાળામાં તમારા આહારનો ભાગ ન બનાવ્યો, તો અહિયાં જાણો તેને ખાવાના ફાયદા.
ત્વચાને શરીરની અંદરથી પણ પોષણની જરૂર હોય છે
શિયાળો આવતા જ ચામડીમાં પરિવર્તન થવાની શરૂઆત થઈ જાય છે, આવા કિસ્સામાં તમારે ત્વચાની સંભાળ રાખવા શિયાળાના હિસાબે ત્વચાની જાળવણી કરતું સ્કિન કેયર રૂટિન ફોલો કરવું જોઈએ. તમે ત્વચાની બાહ્ય સંભાળ ઘણી રીતે કરી લેતા હશો પરંતુ આ સમયે ત્વચાને શરીરની અંદરથી પણ પોષણની જરૂર હોય છે. ચિકીમાં ઘણા ગુણધર્મો હોય છે, જે ત્વચાની સમસ્યાને દૂર કરે છે. મગફળીમાં રહેલું વિટામિન ઇ, ઝીંક અને મેગ્નેશિયમ તમારી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખે છે.
ભરપૂર એમિનો એસિડ ખાવા જોઈએ
આપણું મગજ એ આપણા શરીરનું પાવર હાઉસ છે જે શરીરને સરળતાથી ચલાવવાનો આદેશ આપે છે અને તમામ નિર્ણયો લે છે. એટલા માટે તમે તમારા મનને શ્રેષ્ઠ રીતે કાર્યરત રાખવા માંગો છો. પરંતુ વધતી ઉંમર સાથે મગજ પણ નબળું થવા લાગે છે. તમે સ્વસ્થ વસ્તુઓ ખાઈને તમારા મગજને સ્વસ્થ રાખી શકો છો. ચિકીમાં ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈટો ફેનોલ્સ હોય છે, જે મગજની સામાન્ય સમસ્યાઓ જેમ કે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર સામે લડવામાં મદદ કરે છે. આપણી શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે કસરત, જીમિંગ વગેરે શિયાળો આવતાની સાથે જ ઓછી થઈ જાય છે. તે આપણા મેટાબોલિક રેટને ઘટાડે છે જેની આપણા સ્વાસ્થ્ય વિકાસ પર અસર કરે છે. તેનાથી બચવા માટે આપણે ભરપૂર એમિનો એસિડ ખાવા જોઈએ. જે ગોળ અને મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે.
ડાયાબિટીઝના દર્દીઓ સંતુલિત માત્રામાં ખાઈ શકે છે
ડાયાબિટીઝ એ એક એવો રોગ છે જેનો ઉપચાર થઈ શકતો નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને યોગ્ય આહાર લેવાથી તેને નિયંત્રિત કરી શકાય છે. જો આરોગ્ય અહેવાલોની માને તો મેંગેનિઝથી ભરપૂર ચિક્કીને ડાયાબિટીઝના દર્દીઓ સંતુલિત માત્રામાં ખાઈ શકે છે. આ એટલા માટે કે મેંગેનીઝ ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને બચાવવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ સુગર લેવલૉ નિયંત્રણમાં રહે છે. ચિક્કીના ઘણા ફાયદા છે, પરંતુ તમારા આહારમાં કોઈ ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ