જલ્સા કરોને જેંતીલાલ

27 તારીખે છે ચૈત્રી પૂનમ, ભૂલ્યા વગર કરો આ ઉપાયો, અજાણતા થયેલા તમામ પાપ થઇ જશે નષ્ટ

આપણાં ધર્મમાં દર મહિને પૂનમ આવે છે પણ ચૈત્રી પૂનમનું મહત્વ સૌથી વધારે છે. હિન્દૂ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો વર્ષનો પહેલો મહિનો હોય છે. તેથી આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિના તમામ દુખોનું નિવારણ થાય છે. આ વ્રત 19 એપ્રિલે છે, શાસ્ત્ર કહે છે કે તેની પૂજા વિધિ-વિધાન મુજબ પૂજા કરનારને તેનું ફળ જરૂર મળે છે. જો વ્રત કરનારે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નહીં તો યોગ્ય ફળ નહીં મળે. વિશ્વની મોટાભાગની સંસ્કૃતિમાં જીવનની રોજિંદી ઘટમાળમાં અમુક ગૂઢ બાબતોને સહજતાથી વણી લેવામાં આવી છે. આ વાત ભારતીય સંસ્કૃતિને વધુ સચોટ રીતે લાગુ પડે છે. તેના માટે જો વિશેષ ચિંતન અને મનન કરવામાં આવે તો ઘણાં રહસ્યો સાંપડે છે. આપણા વ્યવહારમાં દરરોજ ડગલે ને પગલે આપણે તિથિ- વાર- તારીખનો ઉલ્લેખ કરીએ છીએ. આ પ્રત્યેક તિથિ એટલે અંતરીક્ષમાં ભ્રમણ કરતાં સૂર્ય અને ચંદ્રનું એકબીજા વચ્ચેનું અંશાત્મક અંતર છે. ચૈત્રી પૂનમનો દિવસ પણ એક પ્રબળ જ્યોતિષ સંયોગ છે. જન્મકુંડળીમાં બાર સ્થાન વચ્ચે મહત્ત્વનો ત્રિકોણયોગ બને છે. એમ ચાંદ્ર વર્ષના બાર મહિના વચ્ચે પણ મહત્ત્વનો ત્રિકોણ બને છે.

image source

તા. ૨૭-૦૪-૨૦૨૧ને મંગળવારના દિવસે ચૈત્ર સુદ પૂનમ (ચૈત્રી પૂર્ણિમા)નો મહત્ત્વનો દિવસ છે. આ દિવસ ઘણી બધી વિશિષ્ટતા ધરાવે છે. જોકે વ્રતની પૂનમ તા.૨૬ એપ્રિલ ને સોમવારે છે.

image source

આપણા ચાંદ્ર વર્ષના બાર મહિના કારતક, માગશર, વગેરેમાં બીજા- છઠ્ઠા અને દસમા માસ (માગશર- ચૈત્ર અને શ્રાવણ માસ) થકી એક મહત્ત્વનો ત્રિકોણ રચાય છે. તેથી જ્યોતિષ અને ધર્મશાસ્ત્રમાં માગશર માસની પૂનમ દત્ત જયંતી. ચૈત્ર માસની પૂનમ હનુમાન જયંતી. શ્રાવણ માસની પૂનમ એટલે બળેવ, રક્ષાબંધન.

આમ ચૈત્રી પૂનમનો દિવસ આરોગ્ય, જ્યોતિષ, અધ્યાત્મ અને વૈદકની દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિમાં અનોખું સ્થાન ધરાવે છે તેની જાણકારી બહુ ઓછા લોકોને છે. ભગવાન સૂર્યનારાયણે તા.૧૪મી એપ્રિલના રોજ નિરયન મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. તા. ૧૪મી મે સુધી એક માસ દરમિયાન પોતાની આ ઉચ્ચ રાશિમાં રહેશે. બારેય રાશિના જાતકો માટે આ ઉચ્ચ રાશિમાં રહેલા સૂર્યની અસરો વધુ મહત્ત્વની અને નિર્ણાયક બની રહે છે. ચૈત્રી પૂનમના દિવસે બારેય રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જોઈએ?

ચૈત્રી પૂનમના દિવસે સાત્ત્વિક પ્રયોગોઃ

(૧) આ દિવસે ઉપર સૂચવેલા મંત્રો થઇ શકે તેમ ન હોય તો વહેલી સવારે સ્નાન કરી પવિત્ર સ્થળે શાંતિથી કુળદેવી માતાજી કે ઇષ્ટદેવતાના મંત્રો યથાશક્તિ કરી શકાય. સાંજે પૂર્ણ ચંદ્રનાં દર્શન કરવાં જોઇએ. શુદ્ધ-સાત્ત્વિક ભોજન કરવું. ફ્ળાહારથી ઉપવાસ થાય તો ઉત્તમ ગણાય.
(૨) આ દિવસે પોતાના ગામમાં કે દાદા-પરદાદાના ગામમાં (વતનમાં) જળાશયના વિકાસ, મરામત કે લોકોને ઉપયોગી અન્ય સેવાકીય પ્રવૃત્તિમાં યથાયોગ્ય યોગદાન આપવું જોઇએ

Exit mobile version