એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે રાતના સમયે અચાનક કાર્ડિયક એરેસ્ટ થવાનું જોખમ અને તેના મૃત્યુ પુરુષો કરતામાં સ્ત્રીઓ વધારે હોય છે. આ અભ્યાસના પરિણામો હાર્ટ રિધમ નામના જર્નલમાં પ્રકાશિત થયા છે. એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત બહાર આવ્યું હતું કે રાતના સમયે પુરુષો કરતાં મહિલાઓને કાર્ડિયક એરેસ્ટ થવાનું જોખમ વધારે છે.
કાર્ડિયક એરેસ્ટમાં હૃદયના ધબકારા બંધ થાય છે
તબીબી નિષ્ણાતો આ વિશે ચિંતિત છે કારણ કે મોટાભાગના દર્દીઓ જ્યારે મોડી રાત્રે આરામ કરે છે ત્યારે તેમના મેટાબોલિકિઝમ, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઓછું હોય છે. અચાનક કાર્ડિયક અરેસ્ટ એ એક પ્રકારની ઈલેકટ્રીકલ વિક્ષેપ છે જે હૃદયના રિધમમાં થાય છે, જેના કારણે હૃદય ધબકારા બંધ થાય છે. કાર્ડિયક એરેસ્ટને હાર્ટ એટેક તરીકે ગણીને લોકો ઘણીવાર મૂંઝવણમાં આવે છે.
પરંતુ હાર્ટ એટેક કોરોનરી ધમનીઓમાં કોલેસ્ટરોલ પ્લેકની રચનાને કારણે અવરોધને કારણે થાય છે અને હાર્ટ એટેક દરમિયાન દર્દીમાં ઘણા લક્ષણો જોવા મળે છે. પરંતુ કાર્ડિયક એરેસ્ટ અચાનક થાય છે અને કાર્ડિયક એરેસ્ટ થવા પર કોઈ સંકેતો જોવા નથી મળતા. આ જ કારણ છે કે હાર્ટ એટેકના મોટાભાગના દર્દીઓ બચી જાય છે, સાથે કાર્ડિયક એરેસ્ટના 10 ટકા દર્દીઓ પણ બચી શકતા નથી. તમને આશ્ચર્ય થશે કે કાર્ડિયક એરેસ્ટના 17 થી 41 ટકા કેસો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા દરમિયાન જ થાય છે.
કાર્ડિયક એરેસ્ટની સમસ્યાથી દૂર રહેવા અને તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આ ટિપ્સ અપનાવો –
- – ધુમ્રપાન ના કરો. ધૂમ્રપાન એ હૃદય સંબંધિત રોગોનું સૌથી મોટું કારણ છે અને સાથે આલ્કોહોલનું સેવન પણ ઓછું કરો.
- – સક્રિય જીવનશૈલી અનુસરો. દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટની કસરત કરો.
- – તમારું વજન સંતુલન કરો. જો તમારું વજન વધારે છે તો હૃદયરોગનું જોખમ પણ વધારે છે, તેથી વજન ઓછું કરો.
- – તમારા દૈનિક આહારમાં ફાઇબરની માત્રામાં વધારો અને સંતૃપ્ત ચરબી સંબંધિત ઓછી વસ્તુઓ ખાઓ.
- – રોજિંદા આહારમાં તાજા અને મોસમી ફળ અને શાકભાજીનો સમાવેશ કરો. સલાડ અને બાફેલા શાકભાજી જેમ કે ટમેટા, કાકડી, મૂળો, લીલા પાંદડાવાળા શાકભાજી, કોબી, કેપ્સિકમ, વગેરે જેવી ચીજોનું સેવન કરવું ફાયદાકારક છે.
- – મીઠાનું સેવન ઓછું કરો.
- – અશ્વગંધાનું સેવન કરવાથી હૃદયને લગતા રોગોનું જોખમ ઓછું થાય છે કારણ કે તેમાં મળતા એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદગાર છે. અશ્વગંધાનું સેવન કરવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.
- – ધાણાનું જ્યુસ પણ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. શિયાળાની ઋતુ દરમિયાન દરેક જગ્યાએ એકદમ તાજા ધાણા સરળતાથી મળે છે. તેથી તમારા હૃદયને મજબૂત રાખવા માટે દરરોજ તાજા ધાણાનું જ્યુસ પીવું જોઈએ.
- – શિયાળાનળ દિવસોમાં ગરમ-ગરમ સૂપ પીવાથી તમે સ્વસ્થ રેહશો.
- – જયારે પણ તમે રોટલી બનાવો છો ત્યારે લોટમાં થોડો જવનો લોટ મિક્સ કરી દો. આ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરશે.
- – હૃદયને સ્વસ્થ રાખવા માટે દિવસમાં એકવાર પલાળેલા કઠોળનું સેવન કરવું જ જોઈએ.
હૃદયને સ્વસ્થ રાખવા માટે આ ચીજોનું સેવન ના કરવું જોઈએ-
- – માખણ, દેશી ઘી, શાકભાજી, નાળિયેર તેલનું સેવન ઓછું કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.
- – તળેલા વસ્તુઓ જેવી કે સમોસા, પુરી, પરોઠા, પકોડા વગેરે જેવી ચીજોથી દૂર રેહવું જોઈએ.
- – બેકરીની વસ્તુઓ જેવી કે કેક, પેસ્ટ્રી, બ્રેડ, પાઉં વગેરેનું સેવન ન કરો. કારણ કે આ તમારા જાડાપણામાં વધારો કરે છે અને હૃદય રોગનું કારણ બને છે.
- – ખાંડ, ગોળ, જામ, જેલી, મીઠાઈ જેમ કે લાડુ, બર્ફી, ખીર, રસ ગુલા, જલેબી, આઈસ્ક્રીમ, આ બધાંનું સેવન ફક્ત ક્યારેક-ક્યારેક જ કરવું જોઈએ. દરરોજ આ ચીજો ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
- – મકાઈનો લોટ, એરોરોટ, રિફાઈન્ડ લોટ, કાસ્ટરડ પાવડર જેવા સ્ટાર્ચવાળા ખોરાકને ટાળો.
- – કેળા, કેરી, દ્રાક્ષ સફરજન વગેરે જેવા કેલરીવાળા ઉચ્ચ ફળનું પ્રમાણ ઓછી માત્રામાં કરવું જોઈએ.
- – કાર્બોરેટેડ પીણા, દૂધ, ફળોના રસ વગેરેનું સેવન પણ ઓછું કરો.
- – લાલ માંસ, માછલી વગેરે જેવી નોનવેજ ચીજોનું સેવન ઓછું કરો. કારણ કે તેની અસર તમારા હૃદય સાથે તમારી કિડની પર પણ પડે છે.
- – પ્રોસેસ્ડ પનીર જેવા દૂધના ઉત્પાદનો ઓછા ખાઓ.
- – તેલમાં બનાવેલા કોઈપણ અથાણાંનું સેવન ન કરો.
- – તૈયાર ખોરાક જેવા કે ચટણી, પીઝા ટોપિંગ્સ વગેરેનું પ્રમાણ ઓછું કરો.
- – કાજુ, કિસમિસ, અખરોટ વગેરે જેવા ડ્રાયફ્રુટનું વધુ સેવન ના કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત