અનેક લોકોની સાથે એવી સમસ્યા રહે છે જેના કારણે તેમને ક્યારેક શરમમાં પણ મૂકાવવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તમને ઓડકાર શા માટે આવે છે. ઘણા લોકો માને છે કે તેમનું પેટ ભરેલું હોય છે માટે તેમને ઓડકાર આવે છે. જો તમને પણ આખો દિવસ ઓડકાર આવવાની ફરિયાદ રહે છે તો તમારે આ કારણોને જાણી લેવા જરૂરી છે.
ઓડકાર આવવાની પાછળ ખાસ કરીને આ 5 કારણો જવાબદાર હોય છે.
1. અનેનક વાર ખાનપાનની ખોટી આદતોના કારણે પણ ઓડકાર આવતા રહે છે. વધારે પડતા તળેલા અને તીખા ખોરાક, કોલ્ડ્રિંક્સ, ફુલાવર, બીન્સ, બ્રોકોલી વગેરેના કારણે પેટમાં ગેસ બને છે. જેના કારણે તમને ઓડકાર આવી શકે છે. આ ચીજોને રાતે ખાવાનું શ્કય હોય ત્યાં સુધી ટાળવું.
2. લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા રહે છે તો પણ વધારે ઓડકાર આવે તે શક્ય છે. આ એક પ્રમુખ કારણ હોઈ શકે છે. આ રીતે પહેલાં તમારે કબજિયાતને સમસ્યાને દૂર કરવાની રહે છે. ઓડકારની સમસ્યા જાતે જ દૂર થઈ જશે.
3. ક્યારેક વધારે ઓડકાર આવવાનું કારણ એ પણ હોય છે કે તમે વધઆરે ખોરાક ખાઈ લો છો અને સાથે તમે તેને યોગ્ય રીતે પચાવી શકતા નથી. જેના કારણે તમને વારે ઘડી ઓડકાર આવે છે.
4. અનેક વાર નાના નાના કારણે પેટમાં ગેસ બને છે. જેના કારણે અન્ય અનેક સમસ્યાઓ સર્જાય છે. જ્યારે તમે પાણી પીઓ છો, ખાવાનું ખાતી સમયે વાત કરો છો અને ચ્યુઈંગમ વગેરે ખઆઓ છો ત્યારે પેટમાં હવા જાય છે. આ હવા ગેસ જન્માવે છે. અને ઓડકારની સમસ્યા આવે છે. તેને એરોફેસ પણ કહેવામાં આવે છે.
5. જ્યારે ગેસના કારણે તમારું પાચનતંત્ર ખરાબ થાય છે તો એચ પાયલોરી નામના બેક્ટેરિયાના કારણે પેપ્ટિક અસરની સમસ્યા જન્મે છે. જે ઓડકારની સાથે સાથે પેટના દુઃખાવાનું કારણ પણ બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,