જલ્સા કરોને જેંતીલાલ

બોલિવૂડના આ ફેમસ એક્ટરે ઘરમાં સ્યુસાઇડ કરતા ચકચાર, દોઢ પાનાની લખી સ્યુસાઇડ નોટ, હિંમત હોય તો જ વાંચજો

ટીવી અને સાથે-સાથે બોલિવૂડના ફેમસ એક્ટર કુશલ પંજાબીનું 37 વર્ષની ઉંમરે નિધન થયુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કુશલે આત્મહત્યા કરી છે. ટીવી એક્ટરના આત્મહત્યાના સમાચાર તેના ખાસ મિત્ર કરણવીર બોહરા અને ચેતન હંસરાજે કન્ફર્મ કર્યા છે. ગઈ કાલે રાત્રે કુશલનો મૃતદેહ તેના ઘરે લટકેલી હાલતમાં મળ્યો હતો.

image source

આજે બપોરે 1 કલાકે કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુશલે મરતા પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી અને પોલીસને આ નોટ એના ઘરેથી મળી આવી છે. હાલમાં પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઈલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કુશલે છેલ્લે 24 ડિસેમ્બરે દીકરા સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામમાં શેર કરી હતી.

કુશલના નિધનના શોકિંગ સમાચાર એક્ટર કરણવીર બોહરાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપ્યા છે. કુશલ કરણવીરનો ખાસ મિત્ર છે. કરણવીર બોહરાએ કુશલ પંજાબીની તસવીરો શેર કરી એક ઇમોશનલ પોસ્ટ લખી છે. કેપ્શનમાં લખ્યુ છે કે તારા નિધનના સમાચારે મને ચોંકાવી દીધો. હજુ પણ હું એ વાત માની જ નથી શકતો. મને ખબર છે તું જ્યાં પણ રહીશ ખુશ રહીશ, તે જે રીતે જિંદગી જીવી મને તારી પાસેથી પ્રેરણા મળે છે. પણ મને ખબર ન હતી તું આમ છોડીને જતો રહીશ.

image source

કુશલે ઈન્ડસ્ટ્રીમાં ડાન્સર તથા મોડલ તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ટીવી કરિયરની શરૂઆત વર્ષ 1995માં ‘અ માઉથ ફુલ ઓફ સ્કાય’થી કરી હતી. ત્યારબાદ તે ‘લવ મેરેજ’, ‘કસમ સે’, ‘દેખો મગર પ્યાર સે’, ‘ડોન’ સહિતની સિરિયલ્સમાં જોવા મળ્યો હતો. કુશલ બોલિવૂડ ફિલ્મ્સ ‘લક્ષ્ય’, ‘સલામ-એ-ઈશ્ક’, ‘હમકો ઈશ્ક ને મારા’, ‘કાલ’ તથા ‘ધન ધના ધન ગોલ’માં જોવા મળ્યો હતો.

image source

કુશલને છેલ્લે સીરિયલ ઇશ્ક મેં મરઝાવામાં દેખાયો હતો. કુશલ પંજાબીની અંગત જિંદગીની વાત કરીએ તો તેણે યુરોપિયન યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેનો એક પુત્ર પણ છે. જેનો જન્મ 2016માં થયો હતો. કુશલે તેની શરૂઆત મોડલીંગથી કરી હતી. તેણે કેટલીક મોટી ફિલ્મો અને ટીવી શોમાં મહત્વનો રોલ કર્યો હતો. આ સાથે જ ટીવી એક્ટર ચેતન હંસરાજે જણાવ્યુ કે, ‘મેં તેની સાથે ક્રિસમસની સાંજે જ વાત કરી હતી.

image source

તે થોડો મુશ્કેલીમાં હોય તેમ લાગ્યું હતું પરંતુ તે આવું કંઈ કરશે તે વાતનો સહેજ પણ અંદાજો નહોતો. તે કામને કારણે થોડો સ્ટ્રેસમાં હતો અને તેને નાણાકીય મદદની જરૂર હતી. જો કે મને લાગે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં કામને લઈને મોટાભાગના લોકો સ્ટ્રેસમાં રહે છે. મારા મતે તેનું લગ્નજીવન હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું.

કુશલ પંજાબીની સ્યુસાઈડ નોટ મળી આવી

image source

પોલીસને એક્ટરની સ્યુસાઈડ નોટ મળી આવી છે. કુશલે તેમાં કોઈને જવાબદાર ગણાવ્યા નથી. કુશલ હાલ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તેની પાસે કોઈ કામ ન હતુ. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં બેલેન્સ ન કરી શકતા અંતે હતાશ થઈ કુશલે આ પગલું ભર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version